બ્રેકિંગ ન્યુઝ
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
Pooja Khunti
Last Updated: 08:59 AM, 21 February 2024
આ વખતે માઘ મહિનાનું છેલ્લું પ્રદોષ વ્રત બુધવારના દિવસે માઘ શુક્લ ત્રયોદશી તિથિના રોજ હશે. માઘ પૂર્ણિમા પછી ફાગણના કૃષ્ણ પક્ષનું પ્રદોપ વ્રત આવશે. આ વખતે બુધ પ્રદોષ વ્રત આયુષ્માન અને સૌભાગ્ય યોગમાં છે. આ દિવસે પુનર્વસુ અને પુષ્ય નક્ષત્ર પણ છે. જે લોકો પ્રદોષના દિવસે રૂદ્રાભિષેક કરવા ઈચ્છે છે, તેમના માટે આ સમય સારો છે. જાણો, માઘ મહિનાનું બુધ પ્રદોષ વ્રત ક્યારે છે.
બુધ પ્રદોષ વ્રત
વૈદિક પંચાંગ પ્રમાણે માઘ મહિનાની શુક્લ ત્રયોદશી તિથિ 21 ફેબ્રુઆરીના રોજ બુધવારે 11:27 વાગ્યે શરૂ થઈ રહી છે. આ તિથીનું સમાપન 22 ફેબ્રુઆરીના દિવસે એટલે કે ગુરુવારે બપોરે 1:21 વાગે થશે. પ્રદોષ વ્રત માટે પ્રદોષ કાળની પૂજા મુહૂર્તની માન્યતા છે. આ પ્રમાણે બુધ પ્રદોષ વ્રત 21 ફેબ્રુઆરીના દિવસે ઉજવવામાં આવશે. તેનું એક કારણ એ પણ છે કે 22 ફેબ્રુઆરીના દિવસે ત્રયોદશી તિથિ બપોરે સમાપ્ત થઈ જશે.
બુધ પ્રદોષ વ્રતનું મુહૂર્ત
જે લોકો 21 ફેબ્રુઆરીના દિવસે બુધ પ્રદોષ વ્રત કરશે, તેમને ભગવાન શિવની પૂજા કરવા માટે અઢી કલાકનો સમય મળશે. માઘ મહિનાનાં બુધ પ્રદોષ વ્રતની પૂજાનું મુહૂર્ત સાંજે 6:15 થી રાત્રે 8:47 વાગ્યા સુધી છે. આ દિવસે બ્રહ્મ મુહૂર્ત સવારે 5:13 થી 6:04 વાગ્યા સુધી રહેશે.
સૌભાગ્ય યોગ અને પુષ્ય નક્ષત્રમાં બુધ પ્રદોષ વ્રતની પૂજા કરવામાં આવશે
માઘ મહિનાનાં બુધ પ્રદોષ વ્રતની પૂજા સૌભાગ્ય યોગ અને પુષ્ય નક્ષત્રમાં કરવામાં આવશે. વ્રતના દિવસે વહેલા સવારેથી જ આયુષ્માન યોગ ચાલુ રહેશે. જે 11:51 વાગ્યે સમાપ્ત થશે. ત્યારબાદ સૌભાગ્ય યોગ ચાલુ થશે. જે આખી રાત રહેશે. પુનર્વસુ નક્ષત્ર સવારથી બપોરના 2:18 વાગ્યા સુધી રહેશે. ત્યારબાદ પુષ્ય નક્ષત્ર ચાલુ થશે. બુધ પ્રદોષ વ્રતના દિવસે બંને યોગ શુભ છે અને નક્ષત્ર પણ સારા છે. આ સમયે પૂજા કરવાથી તમારી દરેક ઈચ્છાઓ પૂર્ણ થશે.
વાંચવા જેવું: ભારતના આ ગામમાં જ અવતાર લેશે ભગવાન કલ્કિ: આજે PM મોદીએ મંદિરનું કર્યું શિલાન્યાસ, જાણો શું છે માન્યતા
બુધ પ્રદોષ વ્રતનું મહત્વ શું છે
બુધ પ્રદોષ વ્રત રાખીને ભગવાન શિવની પૂજા કરવામાં આવે તો વ્યક્તિની દરેક સમસ્યાઓ દૂર થાય છે. આ સાથે તેને બીમારીઓથી પણ મુક્તિ મળે છે. આ વ્રત કરવાથી આર્થિક સ્થિતિમાં સુધાર થાય છે અને સંતાન સુખની પણ પ્રાપ્તિ થાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
આતંકી હુમલો / મણિપુરમાં મોડી રાત્રે કુકી આતંકવાદીઓએ CRPF બટાલિયન પર કર્યો હુમલો, બે જવાન શહીદ
Indian army