અમેરિકન કંપની ફાઇઝર ફાર્માસ્યુટિકલએ દાવો કર્યો છે કે તેની કોરોના રસી દવા વાયરસ પર અસરકારક છે, તે જ સમયે કંપનીના પૂર્વ ઉપ પ્રમુખ અને મુખ્ય વૈજ્ઞાનિકે દાવો કર્યો છે કે આ મહામારી હવે સમાપ્ત થઈ ગઈ છે. તેમણે કોવિડ -19 માટે કોઈપણ પ્રકારની રસીના ઉપયોગની જરૂર નથી તેમ કહ્યું હતું.
ફાઇઝર કંપનીના મુખ્ય વૈજ્ઞાનિકનો દાવો
ફિટ લોકોને વેક્સિન આપવાની જરૂર નથી : ડો. યેડોન
SARS-COV-2 નવો હોય પણ કોરોના નવો નથી : પૂર્વ ઉપાધ્યક્ષ
ડો. માઇકલ યેડોન એ વાયરસ અને શ્વસન ક્ષેત્રે 30 વર્ષના રિસર્ચનો અનુભવ ધરાવે છે, તેમના મત પ્રમાણે લાખો ફિટ તંદુરસ્ત લોકોને વેક્સિન આપવાની જરૂર નથી અને એવી વેક્સિન પણ ન આપવી જોઈએ જેના વ્યાપક માનવ પરીક્ષણ કરવામાં નથી આવ્યા. આ મુદ્દે તેમણે બ્રિટેનના સાઈન્ટિફિક એડવાઈજર ગ્રુપ ઓફ ઇમરજન્સી SAGE ની વાત કરી હતી.
SAGE ની પ્રથમ ભૂલ,"100 ટકા સેન્સિટીવીટીનું અનુમાન"
ડો. યેડોને કહ્યું હતું કે SARS-COV-2 વાયરસ ભલે નવો હોય, પરંતુ કોરોના વાયરસ નવો નથી જેનાથી 100 ટકા વસ્તી તેનાથી ખતરામાં હોય તે વાત ખોટી છે, જે લોકો પહેલા કોઈ કોરોના વાયરસ થી સંક્રમિત થાય તેમનામાં T cells હોય છે અને તે કોરોનાના ઘણા વાયરસ સામે રક્ષણ આપે છે, આમ હાલમાં વિશ્વની 30 ટકા વસ્તી T cells થી લેસ છે.
આ સિવાય તેમણે RT-PCR ટેસ્ટની વિશ્વસનીયતા પર પણ સવાલ ઉઠાવ્યો હતો, તેમણે કહ્યું હતું કે કોઈ વ્યક્તિને ઠંડીમાં કોરોનાનો છેપ લાગે તો તેને પણ તે પોજીટિવ જ દેખાડશે.
SAGE ની બીજી ભૂલ," સંક્રમણનો ઓછો અંદાજ"
ડો યેડોને આ આંગએ કહ્યું હતું કે," આ ગ્રુપની બીજી મોટી ખામીઓ એ છે કે તેને સંક્રમણની દરનો ઓછો અંદાજ લગાડ્યો છે, આ અંગે તેમણે કહ્યું હતું કે કોઈ પણ વ્યક્તિજે પહેલા કોઈ શ્વસનના વાયરસ થી સંક્રમિત થાયો છે અને જેનામાં T cells છે તે પૂરી રીતે સંક્રમિત ન પણ થાય અને આ સિવાય જેમને ઓછું સંક્રમણ થયું હોય તેમના શરીરમાં એન્ટિબોડી પેદા ન પણ થાય આમ એન્ટિબોડીના આધારે સંક્રમણની દર જાણવાનો સર્વે ખોટો પડી શકે છે. તેમના મત મુજબ સંક્રમિતોનો રેશિયો 20 થી 30 ટકા વચ્ચે હોય શકે છે.
લોકોને સામાન્ય જીવન જીવવા દેવું જોઈએ: ડો.યેડોન
આ સિવાય તેમણે કહ્યું હતું કે જો એમ માનવામાં આવે કે લગભગ 30 ટકા આબાદીમાં રોગ પ્રતિકારક શક્તિ છે અને સંક્રમણનો રેશિયો 20 થી 30 ટકાની વચ્ચે છે તો એનો અર્થ એ થાય કે હાલના તબક્કે 65 થી 70 ટકા જનસંખ્યામાં ઇમ્યુનિટી ડેવલપ થઈ ચૂકી છે માટે દેશને હવે સામાન્ય જીવન જીવવાની પરમીશન આપી દેવી જોઈએ