બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / talala 45 villages announcement of bandh for saffron mango crop issue

વિરોધ / જૂનાગઢ : તલાલાના 45 ગામોએ જાહેર કર્યુ બંધનું એલાન, કારણ છે કેસર કેરી, જાણો સમગ્ર મામલો

Dhruv

Last Updated: 03:46 PM, 21 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેસર કેરીના પાકના વળતર મુદ્દે તલાલાના 45 ગામોએ બંધનું એલાન જાહેર કર્યું છે. ખેડૂતો 26મીએ માર્કેટ યાર્ડથી રેલી યોજીને મામલતદારને આવેદન અપાશે.

  • ગીર પંથકમાં ખેડૂતો હવે લડતના મૂડમાં
  • તલાલાના 45 ગામમાં બંધનું એલાન જાહેર
  • માર્કેટ યાર્ડથી રેલી યોજીને મામલતદારને આવેદન અપાશે

ગીર પંથકમાં ખેડૂતો લડતના મૂડમાં આવી ગયા છે. કેસર કેરીના પાકના વળતર મુદ્દે ખેડૂતો દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યું છે.  26મેના રોજ તલાલાના 45 ગામમાં બંધનું એલાન જાહેર કરાશે. ભારતીય કિસાન સંઘ દ્વારા આ એલાનની જાહેરાત કરાઇ છે. જે બાબતે માર્કેટ યાર્ડથી રેલી યોજીને મામલતદારને આવેદન અપાશે.

આ વર્ષે માત્ર 20 ટકા જ કેસર કેરી પાકશે 80 ટકા પાક નિષ્ફળ રહેશે

અત્રે જણાવી દઇએ કે, બે વર્ષથી કેસર કેરીનો પાક નિષ્ફળ જતા ખેડૂતોને આર્થિક ફટકો પડી રહ્યો છે. કારણ કે ગત વર્ષે તૌકતે વાવાઝોડું તો આ વખતે ગ્લોબલ વોર્મિંગથી ખેડૂતોના પાકને ભારે નુકશાન થયું છે. છેલ્લાં ઘણાં વર્ષોથી કેસર કેરીનો પાક નિષ્ફળ જઈ રહ્યો છે. આ વર્ષે પણ માત્ર 20 ટકા જ કેસર કેરી પાકશે પરંતુ 80 ટકા પાક નિષ્ફળ નીવડશે. જેના કારણે ખેડૂતોને ભારે નુકસાન થશે.

મહત્વનું છે કે, તલાલા પંથકની જીવાદોરી સમાન કેસર કેરીના પાકને ગત વર્ષે તૌકતે વાવાઝોડાએ સાફ કરી નાખ્યો હતો તો આ વર્ષે ગ્લોબલ વોર્મિંગના કારણે ઊભી થયેલ પરિસ્થિતિએ આંબા ઉપર તૈયાર થતાં પાકનો નાશ કરી નાખતા આ વર્ષે પણ કેસર કેરીના પાકનું બાળમરણ થયું છે. આથી, તલાલા પંથકમાં બે વર્ષથી કેસર કેરીનો પાક નિષ્ફળ જતાં કેરીના ઉત્પાદક ખેડૂતોને આર્થિક જબરો ફટકો પડ્યો છે.

ખેડૂતોની યોગ્ય માંગણી પ્રત્યે સરકારે દાખવી હતી ઉદાસીનતા

આ કારણોસર નોંધારા થઈ ગયેલા ખેડૂતોએ આર્થિક પાયમાલીમાંથી બચાવા તલાલા તાલુકા કિસાન સંઘ ઉપરાંત તલાલા પંથકની 32 ગ્રામ પંચાયતો, 27 સહકારી મંડળી ઉપરાંત તલાલા માર્કેટીંગ યાર્ડ અને છેલ્લે ગીર પંથકના ધારાસભ્યએ વિસ્તૃત વિગતો સાથે સરકારમાં રજૂઆત કરી હતી. પરંતુ તલાલા પંથકના ખેડૂતોની યોગ્ય માંગણી પ્રત્યે સરકારે ઉદાસીનતા દાખવતા તલાલા પંથકના કેરીના ઉત્પાદક ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો છે.

આથી, ભારતીય કિસાન સંઘે ઉગ્ર લડત કરવાનો નિર્ણય લીધો છે જે અંતર્ગત તા. 26ના રોજ તલાલા તાલુકાના 45 ગામો સજ્જડ બંધ પાળશે. જેનાં સમર્થનમાં તલાલા શહેરના તમામ સમાજના નાના મોટા વેપારી ભાઈઓ પણ બપોર બાદ સજ્જડ બંધ પાળી ખેડૂતોને યોગ્ય ન્યાય અપાવવા આ લડતમાં જોડાશે. તલાલા પંથકના તમામ ગામના કેરીના ઉત્પાદક ખેડૂતો ઉપરાંત શહેરના વિવિધ સમાજના અગ્રણીઓ-વેપારી ભાઈઓ ગુરૂવારે બપોરના 3:00 વાગે માર્કેટીંગ યાર્ડ ખાતે એકત્ર થઈ મામલતદારને આવેદનપત્ર આપવા જશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ