બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / ધર્મ / surya grahan 2023 know what to do or not during sutak kaal do these remedies after solar eclipse

માન્યતા / Surya Grahan 2023: સૂતક કાળમાં ભૂલથી પણ ન કરતા આ કાર્યો નહીં તો.., જાણો સૂર્યગ્રહણથી બચવા શું ઉપાય કરવા

Manisha Jogi

Last Updated: 08:48 AM, 10 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ધાર્મિક માન્યતા અનુસાર ગ્રહણનો સૂતકકાળ 12 કલાક થવા 9 કલાક પહેલા શરૂ થાય છે. જેમાં સૂર્યગ્રહણનો સૂતકકાળ 12 કલાક પહેલા પ્રારંભ થાય છે. સૂતકકાળને અશુભ માનવામાં આવે છે.

  • હિંદુ ધર્મમાં સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણનું વિશેષ મહત્ત્વ
  • આ વર્ષે 14 ઓક્ટોબરના રોજ સૂર્યગ્રહણ
  • સૂર્યગ્રહણ દરમિયાન શું કરવું અને શું ના કરવું?

હિંદુ ધર્મમાં સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણનું વિશેષ મહત્ત્વ છે. આ વર્ષે 14 ઓક્ટોબરના રોજ સૂર્યગ્રહણ છે. ભારતીય સમય અનુસાર 14 ઓક્ટોબરે રાત્રે 08:34 વાગ્યે સૂર્યગ્રહ્ણ શરૂ તશે ને રાત્રે 02:25 વાગ્યે પૂર્ણ થશે. આ ગ્રહણ 5 કલાક અને 51 મિનિટનું રહેશે. આ સૂર્યગ્રહણ વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ હશે. ગ્રહણ દરમિયાન સૂતકકાળનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. ધાર્મિક માન્યતા અનુસાર ગ્રહણનો સૂતકકાળ 12 કલાક થવા 9 કલાક પહેલા શરૂ થાય છે. જેમાં સૂર્યગ્રહણનો સૂતકકાળ 12 કલાક પહેલા પ્રારંભ થાય છે. સૂતકકાળને અશુભ માનવામાં આવે છે. સૂતકકાળમાં માંગલિક અથવા શુભ કાર્ય કરવામાં આવતું નથી. આ ગ્રહણનો સૂતકકાળ 14 ઓક્ટોબરે સવારે 08:34 વાગ્યે શરૂ થઈ જશે. 

ગ્રહણ દરમિયાન આ બાબતોનું ખાસ ધ્યાન રાખવું

  • ગ્રહણ દરમિયાન ઘરેથી બહાર ના નીકળવું જોઈએ. ગ્રહણને ક્યારેય પણ સીધી આંખોથી ના જોવું જોઈએ. 
  • ગ્રહણ સમયે રસોઈ સંબંધિત કોઈપણ કાર્ય ના કરવું જોઈએ અને ખાવું પણ ના જોઈએ. 
  • ગ્રહણ સમયે ગર્ભવતી મહિલાઓએ બહાર ના નીકળવું
  • ગ્રહણ સમયે સોયો દોરો ના પરોવવો જોઈએ. 
  • ગ્રહણ સમયે શાક ના સમારવું અને વઘાર ના કરવો. 
  • ગ્રહણ સમયે મંદિરની મૂર્તિને સ્પર્શ ના કરવો જોઈએ. 
  • ગ્રહણ સમયે સૂર્યદેવનું ધ્યાન ધરીને મોટા અવાજે મંત્ર 'ॐ ह्रां ह्रीं ह्रौं स: सूर्याय नम:' અને 'ऊँ घृणिः सूर्याय नमः' નો જાપ કરવો. 
  • ઊંચા અવાજે મંત્રોચ્ચાર કરવાથી નકારાત્મક ઊર્જા દૂર થાય છે. 
  • ગ્રહણ દરમિયાન ઘરમાં પાણીના વાસણમાં પાણીમાં, દૂધ અને દહીમાં તુલસીના પાન નાખવા. ગ્રહણ પૂર્ણ થયા પછી તે તુલસીના પાન કાઢીને ફેંકી દેવા. 

સૂર્યગ્રહણ પછી શું કરવું?

  • સૂર્યગ્રહણ પછી ઘરની સાફ સફાઈ કરીને આખા ઘરમાં ગંગાજળનો છંટકાવ કરવો. 
  • ઘરના મંદિરમાં રાખેલ તમામ દેવી દેવતાઓની મૂર્તિ અને તસવીર પર ગંગાજળ છાંટીને સ્નાન કરાવવું. 
  • સૂર્યગ્રહણ પછી સ્નાન ધ્યાન કરીને દાન કરવું.
  • સૂર્યગ્રહણ પછી ગાયને લીલો ચારો ખવડાવવો. 
  • ગ્રહણ દરમિયાન ઘરમાં પાણીના વાસણમાં પાણીમાં, દૂધ અને દહીમાં તુલસીના પાન નાખવા. ગ્રહણ પૂર્ણ થયા પછી તે તુલસીના પાન કાઢીને ફેંકી દેવા. 
  • સૂર્યગ્રહણ શરૂ થતા પહેલા અનાજ અને જૂના કપડાં કાઢીને રાખવા. ગ્રહણ પૂર્ણ થયા પછી તે કપડા અને અનાજ સફાઈ કર્મચારીને આપવા. આ પ્રકારે કરવાથી શુભ ફળ પ્રાપ્ત થશે. 
     
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ