બ્રેકિંગ ન્યુઝ
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
Hiralal
Last Updated: 10:48 PM, 10 March 2024
સુરતની વિશાખા રાણા નામની 20 વર્ષીય છોકરીના આપઘાત ચકચાર મચાવી દીધી છે. સૌથી વધારે ભયાનક વાત એ છે આ છોકરીના આપઘાતના તાર ગૂગલ સાથે જોડાયેલા છે. આમ તો મોબાઈલની લતને કારણે જ વિશાખાએ આપઘાત કર્યો છે પરંતુ ચેતવા જેવી વાત એ છે કે વધારે પડતો મોબાઈલનો ઉપયોગ મનરોગી બનાવી મૂકે છે અને ટાઈમ પાસ માટે બાળકોને મોબાઈલ આપનાર વાલીઓએ ચેતી જવાની જરુર છે.
સતત મોબાઈલ જોવાને કારણે બની મનોરોગી
સુરતના ગોપીપુરાના મોટી છીપવાડમા આવેલા માધવ એપાર્ટમેન્ટમાં રહેતા નરેન્દ્રભાઈ રાણાની 20 વર્ષની પુત્રી વિશાખા રાણાએ પોતાના ઘરમાં ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. વિશાખાને દાંતમાં દુખાવો સહિત અન્ય બીમારી હતી. જેથી તે સતત મોબાઈલમાં અવનવા વીડિયો જોતી રહેતી હતી. તેમજ તેને ઘણા સમયથી મોબાઈલની લત લાગી હતી. આ લતને કારણે વિશાખાની વાણી અને વ્યવહાર બદલાવા લાગ્યા હતાં. મૃતક યુવતી વધુ પડતાં મોબાઈલના ઉપયોગના કારણે માનસિક અસ્વસ્થ બની ગઈ હતી. તેને ઉઠતાં-બેસતા ગમે ત્યાં મોબાઈલ અને ગૂગલ જ દેખાતાં હતાં.
વિશાખા ગૂગલને જીવિત વ્યક્તિ માની બેઠી
મોબાઈલના સતત એક્સપોઝરને કારણે વિશાખા ગૂગલને જીવતો જાગતો માણસ માની બેઠી અને તેની સાથે વાતો પણ કરવા લાગી હતી. આ દરમિયાન તે એવું કહેતી કે, ગૂગલ તેને જે પણ કરવાનું કહેશે, તે તે પોતે કરશે. જે બાદ તે ઘણા સમયથી પરિવારમાં એવું કહી રહી હતી કે, ગૂગલ તેને ખાવાની ના પાડે છે અને કહે છે કે, ‘મરી જા’. તે આવું બધું ઘરના કહેતી હતી જોકે આ મનોરોગનું જ લક્ષણ છે.
ગૂગલ પર ફેસ એક્સસાઈઝમાં મોઢું વળી ગયું
વિશાખા મોબાઈલમાં ગૂગલ પર ફેસ એક્સસાઈઝ કરી રહી હતી આવા કરવામાં તેનું મોંઢું વળી ગયું જે પછી તેને તાબડતોબ હોસ્પિટલમાં લઈ જઈને સારવાર કરાવાઈ હતી, છતાં કંઈ ફર્ક ન પડતાં માનસિક રોગોના ડોક્ટર પાસે લઈ જવાઈ અને ત્યાં સારવાર શરુ કરાઈ હતી, જે એક મહિના ચાલી હતી જે સમય દરમિયાન તેનો મોબાઈલ પણ લઈ લેવામાં આવ્યો હતો હવે તેને લત લાગી હોવાથી તે રહી શકે તેમ નહોતી અને ઘરના કંઈ કહી શકે તેમ પણ નહોતી આથી તેણે ઘરમાં ગળેફાંસો ખાઈ લીધો હતો.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
આતંકી હુમલો / મણિપુરમાં મોડી રાત્રે કુકી આતંકવાદીઓએ CRPF બટાલિયન પર કર્યો હુમલો, બે જવાન શહીદ
Indian army