બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી
VTV / ગુજરાત / રાજકોટ / Rajkot District Panchayat Leader of Opposition Arjun Khatriya resigned from Congress
Dinesh
Last Updated: 10:24 PM, 13 January 2024
રાજકોટ જિલ્લા પંચાયતના વિપક્ષ નેતા અર્જુન ખાટરિયાનું રાજીનામું લઈ લેવાતા સ્થાનિક રાજકારણ ગરમાયું છે. જોકે અર્જુન ખાટરિયાએ હવે ભાજપમાં જોડાવાની જાહેરાત કરી છે. લોકસભા ચૂંટણી પહેલા જ કોંગ્રેસમાં ગાબડા પાડવા તથા રાજકીય ઓપરેશન હાથ ધરવા ભાજપ દ્વારા આગેવાનોની ખાસ કમિટી નિયુક્ત કરવામાં આવી હતી અને જાણે રાજકોટ જિલ્લામાં પ્રથમ રાજકીય ઘા કર્યો હોય તેમ જિલ્લા કોંગ્રેસના સૌથી સિનિયર નેતાઓમાંથી એક એવા જિલ્લા પંચાયતના વિપક્ષ નેતા અર્જુન ખાટરિયાની જ વિકેટ પાડી દેવામાં આવી છે.
અર્જુન ખાટરિયા ભાજપમાં જોડાશે
મહત્વનું છે કે, અર્જુન ખાટરિયા ભાજપમાં જોડાશે તેવી ચર્ચા છેલ્લા ઘણા સમયથી ચાલી રહી હતી. જોકે, અર્જુન ખાટરિયા ભાજપમાં જોડાઇ એ પહેલા જ કોંગ્રેસ પાર્ટીએ તેની હકાલપટ્ટી કરી દીધી છે. સાથો સાથ અર્જુન ખાટરિયાએ આગામી સમયમાં ભાજપમાં જોડાઇ કેસરિયો ધારણ કરે તેવી જાહેરાત પણ કરી છે. ત્યારે અર્જુન ખાટરિયા હવે કમુરતા ઉતરતા જ પોતાના સમર્થકો સાથે ભાજપમાં જોડાઈ જશે.
અર્જુન ખાટરીયાએ શું કહ્યું ?
અર્જુન ખાટરીયાએ જણાવ્યું હતું કે કોંગ્રેસ પક્ષ દ્વારા મારુ રાજીનામું માંગવામાં નથી આવ્યું. કોંગ્રેસ પક્ષ દ્વારા લેટરના માધ્યમથી જણાવવામાં આવ્યું છે કે જિલ્લા પંચાયતના કોંગ્રેસ પક્ષના નેતા તરીકે તમને દૂર કરવામાં આવે છે. પાર્ટીને નુકસાન પહોંચાડવાના મારા દ્વારા કોઈ પ્રયત્ન કરવામાં નથી આવ્યા. ત્યારે આગામી સમયમાં મારી સાથે મારા જિલ્લા તેમજ તાલુકા લેવલના સમર્થકો ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે તો સાથે જ સહકારી જગતના આગેવાનો પણ મારી સાથે ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે.
‘વન મેન આર્મી’
એવું કહેવામાં આવે છે કે, કેટલાંક વખતથી જિલ્લા કોંગ્રેસમાં અર્જુન ખાટરિયા જ ‘વન મેન આર્મી’ હતા. એટલે મોટાભાગના આગેવાનો તેમના સંપર્કમાં હતા. આ સ્થિતિમાં તેમનું રાજીનામું માગી લેવાતા કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. હવે ભાજપ દ્વારા વિધિવત કાર્યક્રમ યોજવામાં આવશે અને તેમાં વિધિવત કેસરીયો ખેસ ધારણ કરશે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
આતંકી હુમલો / મણિપુરમાં મોડી રાત્રે કુકી આતંકવાદીઓએ CRPF બટાલિયન પર કર્યો હુમલો, બે જવાન શહીદ
Indian army