બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Rain forecast with heavy wind in Gujarat in next 24 hours
Malay
Last Updated: 03:15 PM, 9 June 2023
અરબી સમુદ્રમાં સક્રિય બનેલ ચક્રવાત બિપોરજોય હવે પૂરઝડપે આગળ વધી રહ્યું છે. ત્યારે હવામાન વિભાગના જણાવ્યા મુજબ ચક્રવાતના કારણે ભારે પવન ફૂંકાઈ શકે છે અને 12 જૂન સુધી ગોવા, કર્ણાટક, કેરળના દરિયાકાંઠાના વિસ્તારોમાં હવામાન તોફાની થવાની શક્યતા છે, સાથે જ ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારોમાં પણ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. બિપોરજોય વાવાઝોડાને લઈને હવામાન વિભાગે આગામી 24 કલાકમાં ગુજરાતમાં ભારે પવન વરસાદની આગાહી કરી છે.
24 કલાક રાજ્યમાં વરસાદની આગાહી
અમદાવાદના હવામાન વિભાગના ડિરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું કે, બિપોરજોય વાવાઝોડું પોરબંદરથી 830 કિમી દૂર છે. આગામી 24 કલાક રાજ્યમાં વરસાદની આગાહી છે. આવતીકાલથી દક્ષિણ ગુજરાતમાં, સૌરાષ્ટ્ર, કચ્છમાં વરસાદ પડશે. આગામી પાંચ દિવસ માટે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. આગામી 2 દિવસ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં 35થી 45 કિમીની ઝડપે પવન ફૂંકાશે. 2 દિવસ બાદ પવનની ગતિમાં વધારો થતાં 50-60 કિમીની ઝડપે પવન ફૂંકાશે. પાંચમાં દિવસે 70 કિમીની ઝડપે પવન ફૂંકાવવાની આગાહી છે.
36 કલાકમાં ખતરનાક બની શકે છે વાવાઝોડું
અરબ સાગરમાં સર્જાયેલા આ ચક્રવાત પર હવામાન વિભાગના અપડેટ અનુસાર તે અરબી સાગરમાં પૂર્વ-મધ્ય વિસ્તાર ઉપર છે. તે ગોવાના પશ્ચિમ અને દક્ષિણ પશ્ચિમ દરિયાકાંઠા નજીક લગભગ 840 કિલોમીટર અને મુંબઈ પશ્ચિમ-દક્ષિણ પશ્ચિમ દરિયાકાંઠાથી લગભગ 870 કિલોમીટર દૂર છે. હવામાન વિભાગે આગામી 36 કલાકમાં આ ચક્રવાત વધુ વિકરાળ બને એવું અનુમાન વ્યક્ત કર્યું છે. ચક્રવાત બિપરજોય આગામી દિદવસોમાં ઉત્તર-ઉત્તર પશ્ચિમની નજીક આવશે.
NDRF અને સરકારી એજન્સીઓ એલર્ટ
ચક્રવાતનું રૌદ્ર સ્વરૂપ જોતાં NDRF અને સરકારી એજન્સીઓ એલર્ટ બની છે. IMDના જણાવ્યા મુજબ પૂર્વ-મધ્ય અરબ સાગર ઉપર ખૂબ જ ગંભીર ચક્રવાત બિપોરજોય હાલ પોરબંદરથી 830 કિમી દૂર છે.
સૌરાષ્ટ્રના તમામ બંદરો પર લગાવાયું 2 નંબરનું સિગ્નલ
સૌરાષ્ટ્રમાં સંભવિત વાવાઝોડાનો ખતરાને લઈ દરિયાકાંઠે હાઈએલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તમામ બંદરો પર ભયસૂચક 2 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. બિપોરજોય વાવાઝોડું ક્યાં ત્રાટકશે તે હજુ નક્કી નથી. જાનહાનીની ભીતિને ધ્યાનમાં રાખીને શહેરોમાંથી મોટા હોર્ડિંગ ઉતારી લેવાની સૂચના આપવામાં આવી છે. જામનગર જિલ્લાના 22 ગામોના 76 હજાર લોકોને સલામત સ્થળે ખસેડવા તૈયારી કરવામાં આવી છે. દ્વારકા, વેરાવળ, અમરેલીના દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
આતંકી હુમલો / મણિપુરમાં મોડી રાત્રે કુકી આતંકવાદીઓએ CRPF બટાલિયન પર કર્યો હુમલો, બે જવાન શહીદ
Indian army