બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
VTV / ગુજરાત / સ્પોર્ટસ / અમદાવાદ / Cricket / Rain Alert in Ahmedabad on the day of World Cup final Ambalal Patel's prediction will increase the heart rate of cricket lovers
Megha
Last Updated: 01:35 PM, 29 June 2023
ભારતમાં સત્તાવાર રીતે ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ છે અને આ સાથે જ છેલ્લા થોડા દિવસથી ગુજરાત સહિત અનેક જિલ્લાઓમાં વરસાદની ધોધમાર બેટિંગ ચાલી રહી છે. એવામાં હાલ જ હવામાન વિભાગ બાદ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદને લઈને આગાહી કરી છે.
વરસાદને લઈ અંબાલાલ પટેલની આગાહી
ગુજરાતમાં વરસાદને લઈ હવામાન વિભાગે આગાહી કરી છે કે રાજ્યમાં 8 જુલાઈ સુધી વરસાદનું જોર રહેશે અને આગામી 5 દિવસ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. તો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, આ વર્ષે સાર્વત્રિક વરસાદ થશે. ઓગસ્ટ મહિનાના પહેલા સપ્તાહમાં પણ સારો વરસાદ થશે. સાથે જ આ વર્ષે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ થશે. 1 જુલાઈ સુધી અમદાવાદ અને વડોદરામાં વરસાદ થવાની સંભાવના છે.
ખેડૂતો માટે આ વર્ષ સારું રહેશે, 18થી 20 નવેમ્બર ચક્રવાતની શક્યતા: અંબાલાલની આગાહી#RaininGujarat #AmbalalPatel #WeatherForecast #Khedut #VTVGujarati #VTVCard pic.twitter.com/nsOsbJDMsD
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) June 29, 2023
18થી 20 નવેમ્બરના ચક્રવાતની શકયતા
અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, ખેડૂતોએ વરાપ કરીને વાવેતર કરવું હિતાવહક છે. અંબાલાલ પટેલે કહ્યું કે, 5 ઓક્ટોબરે દરિયાકિનારે ભારે પવન ફૂંકાશે. 17 ઓક્ટોબરે પણ દરિયામાં ભારે પવન રહેશે. સાથે જ 18થી 20 નવેમ્બરના ચક્રવાતની શકયતા છે.
તો શું વર્લ્ડકપ ફાઇનલ પર સંકટના વાદળ છવાશે?
અંબાલાલ પટેલની આ આગાહી સાંભળીને ક્રિકેટ રસિકો ચિંતામાં મુકાયા છે. હવે વાત એમ છે કે ભારત વન ડે વર્લ્ડકપની યજમાની કરવા જઈ રહ્યું છે. આ ટુર્નામેન્ટ 5 ઓક્ટોબર 2023થી પ્રારંભ થશે જેમાં 10 ટીમો ભાગ લેવાની છે. વર્લ્ડ કપની ફાઈનલ મેચ 19 નવેમ્બરના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમવામાં આવશે. અંબાલાલ પટેલની આગાહી મુજબ 18થી 20 નવેમ્બરના ચક્રવાતની શકયતા છે, એવામાં જોવાનું રહ્યું કે વર્લ્ડકપ ફાઇનલના દિવસે મોસમનો મિજાજ કેવો રહેશે?
The ICC Men's @CricketWorldCup 2023 is almost here 🏆
— ICC (@ICC) June 28, 2023
Are you ready for it? 😍 pic.twitter.com/z8VlWfpGSo
IPL ફાઇનલમાં પણ વરસાદ બન્યો હતો વિલન
એ વાત તો જાણીતી જ છે કે IPL 2023ની ફાઇનલ પણ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઈટન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે રમાઈ હતી. IPLની ફાઇનલ મેચ વરસાદને કારણે બીજે દિવસે રમવામાં આવી હતી. એ મેચમાં પણ વરસાદ વિલન બન્યો હતો અને મેચની ઓવર ઘટાડવામાં આવી હતી. જણાવી દઈએ કે IPL 2023ની એ ફાઇનલ મેચ ચેન્નઈ સુપરકિંગ્સે જીતી હતી.
5 ઓક્ટોબરથી વર્લ્ડ કપની શરૂઆત
ભારતમાં રમાનાર વન ડે વર્લ્ડ કપ શેડ્યૂલની જાહેરાત થઈ ગઈ છે. 5 ઓક્ટોબરથી વર્લ્ડ કપની શરૂઆત થશે અને ફાઈનલ મેચ અમદાવાદમાં રમવામાં આવશે. આ ટુર્નામેન્ટ 46 દિવસ સુધી ચાલશે અને 10 જગ્યાએ કુલ 48 મેચ રમવામાં આવશે. ટુર્નામેન્ટની પહેલી મેચ ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમવામાં આવશે. ભારતીય ટીમની વાત કરવામાં આવે તો છેલ્લા 10 વર્ષમાં 9 ICC મેચમાં હાર મેળવી છે. ભારતીય ટીમ પાસે હવે ઘરે રહીને વર્લ્ડ ચેમ્પિયન બનવાની તક છે. ભારતે વર્ષ 2011માં ઘરે જ વર્લ્ડ કપ જીત્યો હતો. ફરી એકવાર ઈતિહાસ દોહરાવવા માટે ભારતીય ટીમે ખૂબ જ મહેનત કરવાની રહેશે. અહીંયા વર્લ્ડ કપ શેડ્યૂલની પાંચ બાબતો વિશે જણાવવામાં આવ્યું છે.
Proud moment for India! Hosting the ICC Men's Cricket World Cup for the fourth time is an incredible honor. With 12 cities as the backdrop, we'll showcase our rich diversity and world-class cricketing infrastructure. Get ready for an unforgettable tournament! #CWC2023 @ICC @BCCI pic.twitter.com/76VFuuvpcK
— Jay Shah (@JayShah) June 27, 2023
ભારતનો વર્લ્ડ કપ શેડ્યૂલ
-8 ઓક્ટોબરના રોજ વન ડે વર્લ્ડ કપમાં ભારત ઓસ્ટ્રેલિયા સામે મેચ રમશે. 15 ઓક્ટોબરના રોજ અમદાવાદમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમવામાં આવશે.
- પાકિસ્તાનને ICC શેડ્યૂલ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. પાકિસ્તાને બે મેચમાં જગ્યા બદલવાની માંગ કરી હતી. ભારત ચેન્નઈ અને ઓસ્ટ્રેલિયામાં અફઘાનિસ્તાન સામે મેચ રમવા માંગતી નહોતી. - પાકિસ્તાનની ટીમ ભારત સાથે અમદાવાદમાં રમવા માંગતી નહોતી, પરંતુ ICCએ પાકિસ્તાનની વાત સાંભળી નહોતી.
- ICC વર્લ્ડ કપ 2023 રાઉન્ડ રોબિન ફોર્મેટમાં જ રમાવામાં આવશે. રાઉન્ડ રોબિન ફોર્મેટ હેઠળ તમામ 10 ટીમ કુલ 9 લીગ મેચ રમશે. ટોપ 4માં જે ટીમ આવશે તે ટીમ સેમિફાઈનલ માટે રમશે.
- વનડે વર્લ્ડ કપ પહેલી સેમિફાઈનલ મેચ 15 નવેમ્બરના રોજ મુંબઈમાં અને બીજી સેમિફાઈનલ મેચ 16 નવેમ્બરના રોજ કોલકત્તામાં રમવામાં આવશે. ફાઈનલ મેચ 19 નવેમ્બરના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમવામાં આવશે.
- વર્લ્ડ કપ સેમિફાઈનલ અને ફાઈનલ માટે રિઝર્વ ડે રાખવામાં આવ્યો છે. વરસાદ અથવા અન્ય કારણોસર નોક આઉટ મેચ નક્કી કરેલ દિવસે રમવામાં નહીં આવે તો મેચ આગામી દિવસે રમવામાં આવશે. - તમામ નોક આઉટ મેચ ડે નાઈટ હશે, તે મેચ બપોરે 2 વાગ્યાથી શરૂ થશે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir