બ્રેકિંગ ન્યુઝ
સુરતની સુમુલ ડેરીના પશુપાલકો માટે આનંદના સમાચાર, બોનસની જાહેરાત
ગીર પંથકમાં ફરી ભુકંપનો આંચકો, સાસણ તથા આસપાસના વિસ્તારોમાં ધરાધ્રુજી
પોઇચા પાસે નર્મદા નદીમાંથી વધુ 2 મૃતદેહ મળી આવ્યા, અત્યાર સુધી કુલ 6 લોકોના મૃતદેહ મળ્યા
રાજ્યમાં આગામી 24 કલાક વરસાદની આગાહી, સમગ્ર ગુજરાતમાં ગાજવીજ સાથે પડી શકે છે વરસાદ
મોરબીની મચ્છુ નદીમાં ડૂબેલા ત્રણેય લોકોના મળ્યા મૃતદેહ, ફાયરની ટીમે આજે 2 લોકોના મૃતદેહને બહાર કાઢ્યા
પાક નુકસાનની સહાય મુદ્દે કિસાન કોંગ્રેસના નેતા પાલ આંબલિયાએ CMને લખ્યો પત્ર
મુંબઇ હોર્ડિંગ દુર્ઘટના: અકસ્માતમાં મૃતકોની સંખ્યા વધીને 16 થઇ ગઇ
ગંભીર દુર્ઘટના: ઇન્દોર અને તમિલનાડુમાં અકસ્માત સર્જાતા કુલ 12ના મોત, 15 ઘાયલ
છોટાઉદેપુરમાં નકલી કચેરીના મુખ્ય આરોપી સંદીપ રાજપૂતનું મોત
આજે સવારે 6 થી રાત્રે 8 વાગ્યા સુધીમાં ગુજરાતના 19 તાલુકામાં વરસાદ વરસ્યો,
VTV / ભારત / Politics / QUESTION RELATED TO ONE NATION ONE INCOME TAX WAS RAISED IN PARLIAMENT TODAY
Vaidehi
Last Updated: 05:34 PM, 7 February 2024
ADVERTISEMENT
અપ્રત્યક્ષ એટલે કે ઈનડાયરેક્ટ ટેક્સ લગાડવા માટે દેશમાં 1 જૂલાઈ 2017થી વન નેશન વન ટેક્સનાં સિદ્ધાંતનાં આધાર પર GST લાગૂ કરવામાં આવ્યું. ગુડ્સ એન્ડ સર્વિસિઝ પર હવે એક જ ટેક્સ GST લગાડવામાં આવે છે. તો હવે શું વન નેશન વન ઈનકમ ટેક્સ લાગૂ થવા જઈ રહ્યું છે? સંસદમાં વિપક્ષ દ્વારા આ સવાલ નાણામંત્રી નિર્મલા સીતારમણને પૂછવામાં આવ્યો હતો જેનો જવાબ આપતાં તેમણે કહ્યું કે તેઓ આ મુદા પર ચર્ચા કરવા માટે તૈયાર છે.
One nation, one tax! pic.twitter.com/7oY9aE397m
— Narendra Modi (@narendramodi) July 1, 2017
ADVERTISEMENT
ટેક્સપેયર્સમાં કંફ્યૂઝન
6 ફેબ્રુઆરી 2024નાં રાજ્યસભામાં પ્રશ્નોત્તરી સમયે BGDની સાંસદ સુલતા દેવે સવાલ કર્યો કે દેશમાં વન નેશન વન GSTનું પ્રચલન તો છે તો પછી વન નેશન વન ઈનકસ ટેક્સ શા માટે લાગૂ નથી કરવામાં આવી રહ્યું. તેમણે કહ્યું કે હાલનાં સમયમાં ન્યૂ ઈનકમ ટેક્સ અને ઓલ્ટ ઈનકમ ટેક્સ રિજીમ બંને લાગૂ છે જેને લઈને ટેક્સપેયર્સમાં કંફ્યૂઝન છે. દેશમાં કુલ 3થી 54 કરોડ ટેક્સપેયર્સ છે જે ઈનકમ ટેક્સ ભરે છે અને તેમની મૂંજવણમાં વધારો થયો છે.
નાણામંત્રી ચર્ચા માટે તૈયાર
નાણામંત્રીએ આ પ્રશ્નનો કોઈ સ્પષ્ટ જવાબ નથી આપ્યો પણ તેમણે કહ્યું કે આ એક ઘણો મોટો અને મહત્વપૂર્ણ મુદો છે જેના પર ચર્ચા માટે હું તૈયાર છું.
2020-21માં આવ્યો ન્યૂ ટેક્સ રિજીમ
1 ફેબ્રુઆરી 2022નાં બજેટ રજૂ કરતાં નાણામંત્રીએ ન્યૂ ઈનકમ ટેક્સ રિજીમ લાગૂ કરવાની ઘોષણા કરી. ન્યૂ ઈનકમ ટેક્સ જ્યારે લાગૂ કરવામાં આવ્યું ત્યારે સેવિંગ કે રોકાણ પર ડિડક્શન કે ટેક્સ છૂટનો લાભ નહોતો મળી રહ્યો. હોમ લોન કે મેડિક્લેમ પર પણ ટેક્સ છૂટની કોઈ સગવડ નહોતી. 50000 રૂપિયા સ્ટેંડર્ડ ડિડક્શનનો પણ લાભ ટેક્સપેયર્સને નહોતો આપવામાં આવતો. જેના લીધે ટેક્સપેયર્સને ન્યૂ ટેક્સ રિજીમ અંતર્ગત વધુ ટેક્સની ચુકવણી કરવી પડતી હતી.
વધુ વાંચો : કોણ છે જમ્મુ-કાશ્મીરની ક્યૂટ ટ્વિન સિસ્ટર્સ, જેઓએ PM મોદીને આપ્યું કાશ્મીર આવવા આમંત્રણ, વીડિયો વાયરલ
પણ ન્યૂ રિજીમને આકર્ષક બનાવવા માટે નાણામંત્રીાએ 2023-24નું બજેટ રજૂ કરતાં ન્યૂ IT રિજીમમાં ફેરફાર કર્યાં. જેમાં 7 લાખ રૂપિયા સુધીની ઈનકમવાળા લોકોએ ટેક્સ નહીં આપવું પડે જ્યારે ઓલ્ડ ટેક્સ રિજીમમાં આ લિમિટ 5 લાખ રૂપિયાની હતી.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Way To Videsh / કેનેડામાં નોકરી મેળવવા માટે શું શું કરવું પડશે?
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT