બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / ધર્મ / puja shubh muhurat chandrodaya time and dos donts sankashti chaturthi

તમારા કામનું / કાલે છે સંકષ્ટી ચતુર્થી, આ રીતે ભગવાન ગણેશની કૃપા મેળવી દૂર કરો દરેક મુશ્કેલીઓ, જાણો શુભ મુહૂર્ત

Arohi

Last Updated: 11:52 AM, 18 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સંકષ્ટી ચતુર્થી એટલે કે સંકટ ચોથના દિવસે ભગવાન ગણેશની પૂજા કર્યા બાદ રાત્રે ચંદ્રમાને આર્ધ્ય જરૂર અર્પણ કરો.

  • ક્યારે છે સંકષ્ટી ચતુર્થી? 
  • જાણો પૂજાનું શુભ મુહૂર્ત 
  • સંકષ્ટી ચતુર્થીના દિવસે ભૂલથી પણ ન કરો આ કામ 

આમ તો બધી ચતુર્થી ભગવાન ગણેશને સમર્પિત છે. દર મહિનામાં 2 ચતુર્થી આવે છે. આમાંથી એક કૃષ્ણ પક્ષમાં આવે છે અને બીજું શુક્લ પક્ષમાં. જેમાં કૃષ્ણ પક્ષની ચતુર્થી સંકષ્ટી ચતુર્થી તરીકે અને શુક્લ પક્ષની ચતુર્થીને વિનાયક ચતુર્થી કહેવામાં આવે છે. 

આવતીકાલે એટલે કે 19મી એપ્રિલે વૈશાખ માસની ચતુર્થી છે. આ દિવસે સંકષ્ટી શ્રી ગણેશ ચતુર્થી વ્રત રાખવામાં આવશે. સંકષ્ટી ચતુર્થીના ઉપવાસ અને પૂજા કરતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. તેમજ સંકષ્ટી ચતુર્થીની પૂજા શુભ મુહૂર્તમાં કરવી જોઈએ અને ચંદ્રને અર્ધ્ય આપવું જોઈએ. તેના વિના પૂજા અધૂરી માનવામાં આવે છે.

સંકષ્ટી ચતુર્થી પૂજા મુહૂર્ત 
ચતુર્થી તિથિ 19 એપ્રિલ, મંગળવારના રોજ 04:38 વાગ્યાથી શરૂ થશે અને 20 એપ્રિલના રોજ 01:52 વાગ્યા સુધી ચાલુ રહેશે. ચતુર્થીના વ્રત દરમિયાન ચંદ્રને અર્ઘ્ય અર્પણ કરવું જરૂરી હોવાથી ચતુર્થી એ જ દિવસે માનવામાં આવે છે જેમાં રાત્રિનો સમય આવે છે. આ વખતે સંકષ્ટી ચતુર્થી પર ચંદ્રોદયનો સમય રાત્રે 09:50 છે.

સંકષ્ટી ચતુર્થીના દિવસે ન કરો આ કામ

  • ભૂલથી પણ ભગવાન ગણેશને તુલસી ન ચઢાવો. આમ કરવું અશુભ માનવામાં આવે છે.
  • જો કે પશુ-પક્ષીઓને ક્યારેય હેરાન ન કરવા જોઈએ પરંતુ સંકષ્ટી ચતુર્થીના દિવસે આમ કરવું ભારે પડી શકે છે. આ દિવસે પ્રયત્ન કરો કે પ્રાણીઓ અને પક્ષીઓને ખોરાક અને પાણી આપવાનો પ્રયાસ કરો.
  • સંકષ્ટી ચતુર્થીના દિવસે વડીલો અને બ્રાહ્મણોનું અપમાન કરવાની ભૂલ ન કરવી. આ કારણે ભગવાન ગણેશ તમારાથી નારાજ થઈ શકે છે.
  • સંકષ્ટી ચતુર્થીના દિવસે તમારે વ્યવહાર સારો રાખો. કોઈની સાથે જૂઠું બોલશો નહીં, કોઈને છેતરશો નહીં.
  • સંકષ્ટી ચતુર્થીના દિવસે માંસ અને દારૂનું સેવન ન કરવું. આ દિવસે ઘરમાં લસણ-ડુંગળીનો ઉપયોગ ભોજનમાં ન કરવો. આ દિવસે સાત્વિક ભોજન જ ખાઓ.
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ