બ્રેકિંગ ન્યુઝ
રાજ્યમાં ફરી કમોસી વરસાદની આગાહી, આજે રાત સુધી પવન સાથે રાજ્યના તમામ જિલ્લામાં વરસાદ થવાની શક્યતા
ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને 17 મેએ મળશે માર્કશીટ
સુરતના 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ન્હાવા પડતા ડૂબ્યા, એક યુવકનો બચાવ, 7 લોકોની શોધખોળ શરૂ
અમદાવાદના પ્રહલાદનગરમાં કોમર્સ હાઉસમાં લાગીલી આગ કાબૂમાં, બિલ્ડિંગમાં ફયાસેલ 64 લોકોનું કરાયું રેસ્ક્યૂ
ખોડલધામ ખાતે શંકરસિંહ વાઘેલા અને નરેશ પટેલ વચ્ચે થઈ મુલાકાત, શંકરસિંહ વાઘેલાએ ખોડલધામ મંદિરમાં કર્યા દર્શન
રાજ્યમાં 24 કલાકમાં 118 તાલુકાઓમાં વરસાદ, અમરેલીના સાવરકુંડલામાં સૌથી વધુ અઢી ઇંચ વરસાદ
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કેસમાં નવો વળાંક
PM મોદીએ વારાણસીથી ભર્યું નામાંકન પત્ર
લોકસભા ચૂંટણી 2024: કંગના રનૌત આજે મંડીથી નામાંકન કરશે
મુંબઈના ઘાટકોપરમાં હોર્ડિંગ્સ પડતા મૃત્યુ પામેલાઓની સંખ્યા વધી
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / poor hydration linked to faster ageing and chronic disease new study reveals
Manisha Jogi
Last Updated: 04:52 PM, 5 January 2024
ADVERTISEMENT
વ્યક્તિએ સ્વસ્થ રહેવા માટે દરરોજ પર્યાપ્ત માત્રામાં પાણીનું સેવન કરવું જોઈએ. પાણીનું ઓછી માત્રામાં સેવન કરવાથી શરીરનું ફંક્શન બગડી શકે છે અને ડિહાઈડ્રેશન થવાનું જોખમ રહે છે. તાજેતરની સ્ટડી પરથી જાણવા મળ્યું છે કે, પાણીનું સીમિત માત્રામાં સેવન કરવાથી નાની ઉંમરે ઘડપણ આવી શકે છે. ઉપરાંત બ્લડ પ્રેશર, કોલસ્ટ્રોલ સહિત અનેક પ્રકારની ક્રોનિક બિમારીઓ થવાનું જોખમ રહે છે.
રિસર્ચ પરથી જાણવા મળ્યું છે કે, હાઈડ્રેટેડ લોકોની સરખામણીએ જે લોકોને ડિહાઈડ્રેશનની સમસ્યા હોય તેમનું નાની ઉંમરે મૃત્યુ થવાનું જોખમ રહે છે. આ સ્ટડીમાં 45થી 66 વર્ષના લોકોને શામેલ કરવામાં આવ્યા હતા. 25 વર્ષ સુધી 11,000 લોકો પર સ્ટડી પર કર્યા પછી આ સ્ટડીનું રિઝલ્ટ જાહેર કરવામાં આવ્યું છે. જે લોકો આ સ્ટડીમાં શામેલ કરવામાં આવ્યા તેમના બ્લડમાં સોડિયમ લેવલની તપાસ કરવામાં આવી હતી. જે લોકોના બ્લડમાં સોડિયમ કંસંટ્રેશનની માત્રા વધુ હતી તે લોકોના શરીરમાં પાણીની ઊણપ હોવાનું સામે આવ્યું હતું.
ADVERTISEMENT
જે લોકોના બ્લડમાં સોડિયમનું સ્તર વધુ હતું, તે લોકો અન્ય લોકોની સરખામણીએ વધુ વૃદ્ધ થઈ રહ્યા હતા. ઉપરાંત હાઈ બ્લડ પ્રેશર, કોલસ્ટ્રોલ અને ડાયાબિટીસનું વધુ જોખમ હતું. બ્લડમાં સોડિયમની માત્રા વધુ હોવી તે આરોગ્ય માટે હાનિકારક છે. આ પ્રકારની સમસ્યાથી બચવા માટે લિક્વિડનું પર્યાપ્ત માત્રામાં સેવન કરવું જોઈએ.
આરોગ્ય નિષ્ણાંતો અનુસાર તમામ ઋતુમાં દરરોજ 2થી 3 લીટર પાણીનું સેવન કરવું જોઈએ. પથરીની સમસ્યા હોય તો વધુ માત્રામાં પાણીનું સેવન કરવું જોઈએ. શરીરમાં પાણીની ઊણપ થવાને કારણે અનેક પ્રકારની પરેશાની થઈ શકે છે, ઉપરાંત કિડની પર પણ અસર થઈ શકે છે.
(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT