બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / pm modi letter to former vice president mv naidu compared him to acharya vinoba bhave

સંભારણા / PM મોદીએ વેંકૈયા નાયડૂને લખ્યો પત્ર: વિનોબા ભાવે સાથે કરી સરખામણી, અડવાણીની રથયાત્રાનો રસપ્રદ કિસ્સો યાદ કર્યો

Pravin

Last Updated: 07:14 PM, 11 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડાપ્રધાન મોદીએ પૂર્વ ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂને ઉદ્દેશીને એક પત્ર લખ્યો છે. આ પત્રમાં તેમણે રથયાત્રાનો એક કિસ્સો પણ યાદ કર્યો છે.

  • પીએમ મોદીએ વેંકૈયા નાયડૂને લખ્યો પત્ર
  • નાયડૂની સરખામણી આચાર્ય વિનોબા ભાવે સાથે કરી 
  • રથયાત્રાનો કિસ્સો પણ યાદ કર્યો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પૂર્વ ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂની સરખામણી આચાર્ય વિનોબા ભાવે સાથે કરી છે. 3 પેજના લેટરમાં પીએમ મોદીએ એમવી નાયડૂના વ્યક્તિત્વના વખાણ કર્યા અને તેમના દ્રઢ વિશ્વાસ અને ઊર્જાના પણ વખાણ કર્યા હતા. રાજ્યસભામાં પહેલી વાર આવનારા સભ્યોને પ્રોત્સાહિત કરવા અને રાજ્યસભાની કાર્યવાહીનું શાનદાર પ્રદર્શન અને સુધાર માટે તેમના વખાણ કર્યા હતા. 

પીએમ મોદીએ કહ્યું કે, થોડા દિવસ પહેલા સદનમાં આપના વિદાય ભાષણ પર મેં અમુક વાતો કહી હતી, તે સમયે મારા મગજમાં આપની સાથે જોડાયેલ કેટલીય યાદો અને અનુભવો હતો. નેલ્લોરની શેરીઓથી ઉપરાષ્ટ્રપતિ પદ સુધીની આપની જીવન યાત્રા અત્યંત ઉમદા અને પ્રેરિત કરનારી છે. આપની ઊર્જા અને સાહસ અદ્ભૂત છે.  

પીએમ મોદીએ પૂર્વ ઉપરાષ્ટ્રપતિ સાથે જોડાયેલ એક અનુભવ શેર કરતા લખ્યું કે, અડવાણીજીની રથયાત્રા દરમિયાન મને કેટલાય પ્રકારની સંગઠનાત્મક જવાબદારીઓ અને દાયિત્વ સોંપવામાં આવ્યા હતા. આ દરમિયાન મેં રથયાત્રામાં તૈનાત સુરક્ષાકર્મીઓના અનુભવ વિશે પૂછ્યું તો, તેમણે કહ્યું કે, આંધ્ર પ્રદેશના અમુક ભાગમાં આયોજીત કાર્યક્રમોનો અનુભવ ખૂબ જ સારો રહ્યો. જ્યારે મેં તેનું કારણ પૂછ્યું તો, બતાવ્યું કે, ત્યાં વેંકૈયા નાયડૂ જેવા નેતા હતા. જેમણે શાનદાર રીતે તેલૂગુમાં ભાષણ આપ્યું અને દર્શકો પર તેનો ઊંડો પ્રભાવ પડ્યો હતો. 

પીએમ મોદીએ આગળ લખ્યું છે કે, હું પૂર્વ ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂજીના જીવનથી હંમેશા પ્રેરિત રહીશ. આપના આતિથ્ય સત્કાર શાનદાર છે. પત્રની સમાપ્તિ કરતા પીએમ મોદીએ કહ્યું કે, ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂજી, આપના કાર્યકાળ દરમિયાન દેશ માટે આપે જે પણ કર્યું કે, તેના માટે આપનો આભારી છું. આશા રાખુ છું કે, આગળ પણ કેટલાય અવસર પર મુલાકાત થતી રહેશે. 

આપને જણાવી દઈએ કે, ઉપરાષ્ટ્રપતિ તરીકેનો વેંકૈયા નાયડૂનો કાર્યકાળ સમાપ્ત થઈ ચુક્યો છે. તેમણે બુધવારે કહ્યું કે, તેઓ પોતાનો કાર્યકાળ પુરો કર્યા બાદ રાષ્ટ્રની સેવા પોતાની અધૂરી યાત્રા ફરીથી શરૂ કરશે અને આવનારા સમયમાં લોકો સાથે સંવાદ ચાલુ રાખશે અને તેમનું ધ્યાન યુવાનો અને ખેડૂતો પર રહેશે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ