બ્રેકિંગ ન્યુઝ
ગુજરાતમાં ભાવનગર, વલસાડ સહિતના વિસ્તારોમાં વરસાદ શરૂ
ખુલતાની સાથે જ શેરબજારમાં કડાકો, 700 પોઈન્ટ તુટ્યુ
Lok Sabha Elections 2024: આજે ચોથા તબક્કામાં 10 રાજ્યોની 96 લોકસભા બેઠકો માટે મતદાન
અમદાવાદ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, અજાણ્યા ઈ-મેઇલથી અફરા-તફરી
સુરતને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવી ભારે પડી, ઉધના પોલીસે ઉત્તર પ્રદેશના શખ્સની કરી ધરપકડ
દિલ્હીમાં સ્કૂલ બાદ હવે હોસ્પિટલોને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, પોલીસે શરૂ કરી તપાસ
સુરતમાં હિન્દુ નેતા ઉપદેશ રાણાને ધમકીનો કેસ, સુરત ક્રાઈમ બ્રાન્ચે શકીલ સતાર શેખ નામના શખ્સની કરી ધરપકડ
નર્મદા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદ, કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતામાં વધારો
ડાંગ જીલ્લાના વાતાવરણમાં પલટો, સાપુતારામાં બરફના કરા સાથે વરસાદ
દાહોદ જિલ્લાના વાતાવરણમાં આવ્યો અચાનક પલટો, લીમડી, કારઠ, દેપાડા, કચુંબર સહીતના વિસ્તારોમાં વરસ્યો વરસાદ
Hiralal
Last Updated: 04:05 PM, 16 January 2024
ફેબ્રુઆરીથી પર્સનલ લોન લેવી મોંઘી થવા જઈ રહી છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (આરબીઆઇ)એ કન્ઝ્યુમર ક્રેડિટ પર રિસ્ક વેઇટ 100 ટકાથી વધારીને 125 ટકા કરી દીધો છે.
તેનાથી તમામ નોન-બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપનીઓ (NBFCs)નું જોખમ વધશે. આના પરિણામે લોનનો રેટ 9 ટકાથી વધીને 11 ટકા થઈ જશે.
ADVERTISEMENT
લોનના દરોમાં થશે ફેરફાર
આરબીઆઈના નિર્ણય બાદ ધિરાણકર્તાઓએ તેમના દ્વારા આપવામાં આવેલી લોનની રકમના આધારે મૂડીનો એક નિશ્ચિત ભાગ જાળવવો જરૂરી બનશે. નિષ્ણાતોએ સ્પષ્ટતા કરી હતી કે આનાથી ધીરનારના જોખમનું વજન વધશે. આ સિવાય હવે ધિરાણકર્તાઓ માટે જોખમી લોન માટે વધુ મૂડી અનામત જાળવવી ફરજિયાત રહેશે. આનાથી લોનના દરમાં ફેરફાર થશે.
100 રૂપિયાની લોનમાં 125 રુપિયા ગુમાવવાનું જોખમ
અગાઉ 100 રૂપિયાની લોન આપવા પર લોન લેનારાઓ માટે પૈસા ડૂબવાનું જોખમ 100 રૂપિયા હતું. પરંતુ નવા નિયમો બાદ હવે આ જોખમ 125 રૂપિયા રહેશે. જેના કારણે ધિરાણકર્તાઓ વ્યાજ દરમાં વધારો કરશે. એક અંદાજ મુજબ જે લોન પર પહેલા વ્યાજ દર 9 ટકા હતો તે હવે 11 ટકા સુધી હોઈ શકે છે. એ જ રીતે કોમર્શિયલ બેન્ક ક્રેડિટ કાર્ડ ઓફર કરે તો તેનું જોખમ હવે 150 ટકા સુધી રહેશે, જે પહેલા 125 ટકા હતું.
ધીરાણકારોએ વધુ લોન આપવા માટે બજારમાંથી વધુ ભંડોળ લેવું પડશે
આવી સ્થિતિમાં, આ 25 ટકા જોખમ વધારાનો ભાર સામાન્ય લોકો પર આવશે. ધિરાણકર્તાએ વધુ લોન આપવા માટે બજારમાંથી વધુ ફંડ એકઠું કરવું પડશે. જ્યારે તમામ ધિરાણકર્તાઓ બજારમાં આવું કરે છે, ત્યારે બજારમાં નવા ભંડોળની માંગ વધશે, જે દેખીતી રીતે જ હવે તેમને લેવાનું તેમના માટે ખર્ચાળ બનશે. જેના કારણે ધિરાણકર્તા આ બોજ વધુ લોન લેનારા લોકો પર નાખશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ટોપ સ્ટોરીઝ