ગત સપ્તાહે ગુજરાતના પોલીસબેડામાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. પહેલા આશિષ ભાટિયાની પોલીસવડા તરીકે નિયુક્તિ પછી રાજ્યના કેટલાય આઈપીએસ અધિકારીઓની બદલી અને બઢતીનો ગંજીફો ચીપાયો હતો. આવામાં હવે સુરતના રેંજ આઈજીને દિલ્હી મોકલવાની તૈયારી કરવામાં આવી રહી છે. સોહરાબુદ્દીન કેસથી વિવાદોમાં રહેલા આ અધિકારી ગૃહમંત્રી અમિત શાહનાં નજીકના ગણવામાં આવે છે.
સોહરાબુદ્દીન કેસ અને સુરતમાં હોદ્દા પર રહ્યા ત્યારે ઘણા વિવાદોમાં રહ્યા
કેન્દ્રથી આવી શકે છે તેડું
ગુજરાત કેડરના IPS ઓફિસર અને સુરતના રેંજ આઈજી પાંડિયા રાજકુમારને કેન્દ્રમાં નિયુક્તિ માટે રાજ્ય સરકાર તરફથી મંજૂરી મળી ગઈ છે. સૂત્રો અનુસાર પાંડિયાનું નામ ભારત સરકારને મોકલી દેવામાં આવ્યું છે અને આગામી સપ્તાહોમાં કેન્દ્ર સરકારમાં તેમના પોસ્ટિંગ માટે આદેશ આવી શકે છે.
વિવાદોમાં રહી ચૂક્યાં છે પાંડિયા
જ્યારે કેન્દ્ર સરકાર તરફથી તેમની એપોઇન્ટમેન્ટના આદેશ કરવામાં આવશે ત્યારે સુરતના રેંજ IGનું પદ ખાલી થઇ જશે. નોંધનીય છે કે પાંડિયા રાજકુમાર એક વિવાદિત અધિકારી રહ્યા છે. સોહરાબુદ્દીન ફેક એન્કાઉન્ટર કેસમાં તેમને કેટલાંક વર્ષો જેલમાં ગાળવા પડ્યા હતા. અને એવું માનવામાં આવે છે કે તે દેશનાં ગૃહમંત્રી અમિત શાહની ખૂબ નજીક છે.