બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Only Congress will suffer in AAP-Congress alliance: sukhram Rathwa

ટકોર / કોંગ્રેસ ગામડા પર ટકી છે અને જો લોકસભા ચૂંટણીમાં AAP સાથે ગઠબંધન કરે તો..સુખરામ રાઠવાએ હાઈકમાન્ડને ચેતવ્યા

Kishor

Last Updated: 11:26 PM, 23 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ ગઠબંધન કરે તો કોંગ્રેસને જ નુકસાન થાય તેવો કોંગ્રેસના મોટા ગજાના નેતાએ નિવેદન આપ્યું છે અને આ વાત ઉચ્ચકક્ષાએ પહોચાડવાની પણ વાત કરી છે.

  • સુખરામ રાઠવાનું ગઠબંધનને લઈને મોટું નિવેદન
  • કોંગ્રેસ ગઠબંધન કરે તો કોંગ્રેસને નુકશાન થાય
  • ગઠબંધન થાય તો અન્ય ચૂંટણીમાં પણ ગઠબંધન કરવું પડે

છોટા ઉદેપુરથી કોંગ્રેસ નેતા સુખરામ રાઠવાનું ગઠબંધનને લઈને મોટું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે લોકસભામાં કોંગ્રેસ ગઠબંધન કરવા જઈ રહી છે. જો કોંગ્રેસ ગઠબંધન કરે તો કોંગ્રેસને જ નુકશન થાય તેવુ ચિત્ર હાલ સ્પષ્ટ થઈ રહ્યું છે. ગઠબંધન થાય તો અન્ય ચૂંટણીમાં પણ ગઠબંધન કરવું પડે. આથી હું આગામી સમયમાં પાર્ટીના ઉચ્ચ નેતાઓને આ બાબતે ચર્ચા કરીશું તેવું પણ અંતમાં સુખરામ રાઠવાએ જણાવ્યું હતું.

પાર્ટીના ઉચ્ચ નેતાઓને આ બાબતે હું વાત કરીશ

બારડોલીના માંડવી તાલુકાની વિસ્તૃત કારોબારી બેઠકમાં પત્રકારોએ એવો સવાલ ઉઠાવ્યો હતો કે બારડોલી માં ગઠબંધન થાય કે કેમ? ત્યારે અમે કોંગી સ્થાનિક નેતાઓ ચર્ચા કરી હતી. જેમાં ચર્ચાનો નિચોડ એ હતો કે બારડોલી પંથકમાં આપ સાથે ગઠબંધન થવું જોઈએ નહિ! આ ત્યાંની સ્થાનિક સ્થિતિ છે. તેમ જણાવ્યું હતું.


મહત્વનું છે કે ગત વિધાસનભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના કારણે કોંગ્રેસને મોટો ફટકો પડ્યો હોવાના સમીકરણો આખી દુનિયાએ જોયા હતા.જેથી હવે ઝાડુ અને પંજાએ હાથ મીલાવ્યો છે. એટલે કે હવે બન્ને પક્ષોએ સાથે મળીને ગુજરાતમાં લોકસભાની ચૂંટણી જંગમાં ઉતરવાનું નક્કી કર્યું છે હવે જોવું એ રહ્યું કે સફળ કેટલું થાય છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ