બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી
VTV / one country one election committee announced these people including amit shah adhir ranjan
Hiralal
Last Updated: 07:23 PM, 2 September 2023
સરકાર દેશમાં એક જ સમયે લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ કરાવવા માટે એક દેશ, એક ચૂંટણી બીલ લાવવા માગે છે. આ માટે કેન્દ્ર સરકારે ગઈ કાલે પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અધ્યક્ષતામાં એક કમિટી બનાવી હતી જેના સભ્યોના આજે નામ જાહેર કરાયા છે. રામનાથ કોવિંદની અધ્યક્ષતાવાળી કમિટીમાં અમિત શાહથી લઇને ગુલામ નબી આઝાદ, અધીર રંજન ચૌધરી સહિત અન્ય ઘણા જાણીતા લોકોનો સમાવેશ થાય છે.
કોણ કોણ છે કમિટીમાં
એક દેશ, એક ચૂંટણી કમિટીમાં પ્રેસિડન્ટ તરીકે પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ગૃહમંત્રી અમિત શાહ, કોંગ્રેસ નેતા અધીર રંજન ચોધરી, ગુલામ નબી આઝાદ, વકીલ હરીશ સાલ્વે, લોકસભાના પૂર્વ સેક્રેટરી જનરલ ડ઼ોક્ટર સુભાષ કશ્યપ, સંજય કોઠારી અને એનકે સિંહ સામેલ છે.
એક દેશ, એક ચૂંટણી માટે સરકારે બનાવી છે કમિટી
કેન્દ્ર સરકારે એક રાષ્ટ્ર, એક ચૂંટણીને લઈને એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. સરકારે આ અંગે એક સમિતિની રચના કરી છે. પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને આ સમિતિના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. એક રાષ્ટ્ર, એક ચૂંટણીના સમર્થનમાં એવી દલીલ કરવામાં આવે છે કે તેનાથી ચૂંટણી પાછળનો ખર્ચ ઘટશે. અહેવાલો અનુસાર, 2019ની લોકસભા ચૂંટણીમાં 60,000 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા હતા.
શું છે વન નેશન-વન ઈલેક્શન
વન નેશન-વન ઈલેક્શન એટલે દેશમાં લોકસભા અને વિધાનસભા, રાજ્યસભાની ચૂંટણીઓ એકીસાથે યોજવી, હાલમાં પાંચ વર્ષ પૂરા થયા બાદ લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ કરાય છે પરંતુ એક જ સમયે આખા દેશમાં ચૂંટણીઓ થાય તો ઘણો બધો ખર્ચ બચી જાય તેથી સરકાર વિશેષ સત્રમાં વન નેશન, વન ઈલેક્શનની વેતરણમાં છે.
18 થી 22 સપ્ટેમ્બર સુધી પાંચ દિવસનું વિશેષ સત્ર
ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારે 18 થી 22 સપ્ટેમ્બર એમ પાંચ દિવસ સંસદનું વિશેષ સત્ર બોલાવ્યું છે અને તેમાં કોઈ મોટું બીલ આવી શકે છે. ઘણા સમયથી વન નેશન, વન ઈલેક્શનની ચર્ચા તો હતી જ પરંતુ વિશેષ સત્ર બોલાવવવાની સાથે જ આ ચર્ચાને વેગ મળ્યો હતો.
એકી સાથે ચૂંટણી યોજવા શું કરવું પડે
રિજિજુએ જણાવ્યું હતું કે એક સાથે ચૂંટણી યોજવા માટે બંધારણની પાંચ કલમોમાં સુધારો કરવાની જરૃર પડશે. આ પાંચ કલમોમાં સંસદના ગૃહના સમયગાળાને લગતી કલમ 83, રાષ્ટ્રપતિ દ્વારા સંસદ ભંગ કરવાની કલમ 84, રાજ્યોની વિાધાનસભાના સમયગાળા સાથે સંકળાયેલી કલમ 172, રાજ્ય વિધાનસભા ભંગ કરવા સાથે સંકળાયેલી કલમ 174, રાજ્યોમાં રાષ્ટ્રપતિ શાસન લાદવા સાથે સંકળાયેલી કલમ 356માં સુધારો કરવાની જરૃર પડશે.
વિપક્ષ વન નેશન, વન ઈલેક્શનની વિરોધમાં
ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકાર વિધાનસભા અને લોકસભા ચૂંટણી એક સાથે કરાવવાની તરફેણમાં છે પરંતુ વિપક્ષ વિરોધમાં છે. સરકારનું કહેવું છે કે વારંવાર ચૂંટણી થવા પર દેશ પર વધુ આર્થિક ભાર પડે છે. જો એક સાથે ચૂંટણી થાય તો ઘણો ખર્ચ થતો બચાવી શકાય છે અને હજારો લોકોને પણ વારંવાર ચૂંટણી માટે ભેગા નહીં થવું પડે.
લૉ કમિશને રાજકીય પક્ષો પાસેથી માગ્યા 6 સવાલના જવાબ
આ વર્ષે જાન્યુઆરીમાં લૉ કમિશને આ અંગે રાજકીય પક્ષો પાસેથી 6 સવાલોના જવાબ માંગ્યા હતા. સરકાર તેનો અમલ કરવા માગે છે, ત્યારે અનેક રાજકીય પક્ષો તેનો વિરોધ કરી રહ્યા છે. 22મા કાયદા પંચે જાહેર નોટિસ જાહેર કરીને રાજકીય પક્ષો, ચૂંટણી પંચ અને ચૂંટણી પ્રક્રિયા સાથે સંકળાયેલા તમામ સંગઠનોના અભિપ્રાયો માગ્યા હતા. કાયદા પંચે પૂછ્યું હતું કે શું એક સાથે ચૂંટણીઓ યોજવી એ લોકશાહી, બંધારણના મૂળભૂત માળખા અથવા દેશના સંઘીય માળખા સાથે કોઈ પણ રીતે ગડબડ છે? પંચે એ પણ પૂછ્યું હતું કે, જ્યારે કોઈ પણ રાજકીય પક્ષ પાસે સરકાર રચવાની બહુમતી ન હોય ત્યારે ખંડિત જનાદેશ મળવાની સ્થિતિમાં વડાપ્રધાન કે મુખ્યમંત્રીની નિમણૂક ચૂંટાયેલી સંસદ કે વિધાનસભાના અધ્યક્ષ દ્વારા કરી શકાય કે કેમ? બંધારણની કલમ 85માં સંસદના સત્રની જોગવાઈ છે. આ અંતર્ગત સરકારને સંસદનું વિશેષ સત્ર બોલાવવાનો અધિકાર છે. સંસદીય બાબતોની કેબિનેટ સમિતિ એવા નિર્ણયો લે છે જેને રાષ્ટ્રપતિ દ્વારા ઔપચારિક સ્વરૂપ આપવામાં આવે છે, જેના દ્વારા સાંસદોને સત્રમાં બોલાવવામાં આવે છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir