કોરોના વાયરસ મહામારી પર દરરોજ થતાં રિસર્ચમાં વધુ એક એક્સપર્ટ દ્વારા મોટો દાવો કરવામાં આવ્યો છે જેનાથી દુનિયાના વૈજ્ઞાનિકો વિચારમાં પડી ગયા છે.
કોરોના વાયરસ મહામારીથી દુનિયાભરમાં દહેશત
હવે મહામારીનો અંત નજીક છે: એક્સપર્ટનો દાવો
આ નવો વેરિયન્ટ જ મહામારીનો અંત લાવશે: દાવો
ભારત સહિત આખા વિશ્વમાં કોરોના વાયરસની વધુ એક લહેર આવી ગઈ છે જેના કારણે અનેક લોકોના દરરોજ મોત થઈ રહ્યા છે. છેલ્લા 2 વર્ષથી કોરોના વાયરસથી ત્રાહિમામ કરી રહેલા માણસો હવે આ વાયરસનો અંત ઈચ્છે છે ત્યારે જુદા જુદા વૈજ્ઞાનિકો અને સંસ્થાઓ દ્વારા અનેક રિસર્ચમાં દરરોજ નવી નવી જાણકારીઓ સામે આવી રહી છે. એવામાં હાલમાં જ એક એક્સપર્ટે જે દાવો કર્યો છે તે ચોંકવાનારો છે.
એન્ડેમિક બની જશે કોરોના?
કોરોના વાયરસનો નવો વેરિયન્ટ તોફાનની ગતિએ એક બાદ એક હજારો લાખો લોકોને પોતાની ઝપેટમાં લઈ રહ્યો છે ત્યારે એમસ્ટર્ડેમના વેક્સિન રણનીતિના પ્રમુખ માર્કો કેવેલઋએ દાવો કર્યો છે કે હવે આ નવા ઓમિક્રૉન વેરિયન્ટના કારણે કોરોના પેન્ડેમિક, એક એન્ડેમિક બની જશે. તેમણે કહ્યું છે કે આપણે હવે મહામારીની ઝપેટમાંથી અવશ્ય બહાર નિકળીશું.
ઓમિક્રૉન જ લાવશે કોરોનાનો અંત?
તેમણે કહ્યું કે નવો વેરિયન્ટ ખૂબ જ તેજીથી ફેલાઈ રહ્યો છે જેના કારણે મદદ મળી શકે છે અને કોરોના વાયરસ સામે આખી દુનિયા સક્ષમ થતી દેખાઈ રહી છે. તેજીથી વધી રહેલ વાયરસ દર્શાવે છે કે મહામારીનો અંત ખૂબ જ નજીક છે.
આ સિવાય કેવેલઋએ એમ પણ દાવો કર્યો છે કે વારંવાર બૂસ્ટર ડોઝ આપવું સારી બાબત નથી. આવું કરવાથી ઈમ્યુન સિસ્ટમમાં સમસ્યા ઊભી થઈ શકે છે.
કેટલા નવા કેસ નોંધાયા?
ભારત દેશમાં ઓમીક્રૉન વેરિયન્ટને કારણે કોરોના વાયરસની ત્રીજી લહેર ચાલી રહી છે. ત્રીજી લહેરના કારણે દરરોજ નવા કેસની સંખ્યામાં સતત વધારો રહ્યો છે. વૈજ્ઞાનિકો માની રહ્યા છે કે હજુ એકથી દોઢ મહિના સુધી તો કેસ વધવાનો ટ્રેન્ડ જ જોવા મળશે ત્યારે આજે પણ કોરોના વાયરસના કેસની સંખ્યામાં વધારો થયો છે. ભારતમાં આજે નવા કેસના આંકડાઓ સામે આવ્યા છે જેમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના બે લાખ 64 હજાર કેસ નોંધાયા છે અને 315 લોકોના મોત થયા છે. ભારતમાં અત્યારે પોઝિટીવીટી રેટ વધીને 14.78% પહોંચી ગયો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર આંકડાઓ અનુસાર અત્યારે હાલ દેશમાં 12 લાખ 72 હજાર એક્ટિવ કેસ છે જ્યારે મોતનો ટોટલ આંકડો વધીને 4 લાખ 85 હજાર 350 પર પહોંચી ગયો છે.