બ્રેકિંગ ન્યુઝ
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Now there is confusion about BJP candidate on Junagadh seat
Vishal Khamar
Last Updated: 11:56 AM, 24 March 2024
સત્તા મેળવવા સામાજિક આગેવાનો જાત જાતના નિવેદનો આપતા હોય છે ત્યારે વેરાવળ તાલુકાના ભાજપના નેતા અને કોળી સમાજના આગેવાન ગોવિંદ ઠાકોરનો એક માંગ કરતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો. આગામી લોકસભાની ચૂંટણીમાં જૂનાગઢમાં કોળી સમાજના આગેવાનને ટિકિટ આપવા કરી માંગ કરી છે. સાથે સાથે એ પણ કહ્યુ કે વર્તમાન સાંસદને રિપીટ કરશો તો જૂનાગઢની બેઠક હારશો. હાલમાંજ ભાજપના બે ઉમેદવારો એ પોતાની ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવી ત્યારે હવે સામાજિક આગેવાનો પણ અવનવા નિવેદનો આપીને નવી ચર્ચાઓ ઉભી કરે છે. હવે જોવાનુ એ રહેશે કે સામાજિક આગેવાનોની વાત ભાજપ માનશે કે પછી ભાજપ કોઈક બીજો જ રસ્તો કાઢશે.
કોળી સમાજના અનેક ઉમેદવારો અને કાર્યકર્તાઓ છે જેને ટિકિટ આપવાની માંગ કરી
જૂનાગઢ લોકસભાની બેઠકને લઈને ભાજપના ઉમેદવારનું કોંકડું વધુ ગૂંચવાયું છે. આ બેઠક પર લોહાણા સમાજ બાદ હવે કોળી સમાજને ટીકીટ આપવાની માંગ કરવામાં આવી છે. વેરાવળના કોળી સમાજના આગેવાન અને વેરાવરળ તાલુકાના ભાજપના નેતા ગોવિંદ સોલંકીનો વિડિયો સોશિયલ મિડીયામાં વાઈરલ થયો છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે ભાજપ રાજેશ ચુડાસમાને ટિકિટ આપશે તો હારવાનો વારો આવશે. જુનાગઢ લોકસભામાં કોળી સમાજના અનેક ઉમેદવારો અને કાર્યકર્તાઓ છે જેને ટિકિટ આપવાની માંગ કરી છે. અને ગામે ગામ રાજેશ ચુડાસમાનો વિરોધ પણ હોવાનું વીડિયોમાં વાત કરવામાં આવી છે. ત્યારે હવે જૂનાગઢ લોકસભા બેઠક પર ટીકીટ ફાળવવા માટે કોળી અને લોહાણા સમાજ આમને સામને આવ્યો છે.
કોળી સમાજમાં નિવિવાદિત માણસો ઘણા છેઃગોવિંદ સોલંકી (ભાજપ, નેતા)
ભાજપનાં નેતા ગોવિંદ સોલંકીએ સોશિયલ મીડિયાનાં માધ્યમથી તેઓએ જણાવ્યું હતું કે હું પ્રદેશ મોવડી મંડળને એક મેસેજ પહોંચાડવા માંગું છું. જેમાં તેઓએ કહ્યું કે, જુનાગઢમાં રાજેશભાઈને ટિકીટ મળશે તો સીટ જશે. અહીંયા દરેક તાલુકામાં રાજેશભાઈનો વિરોધ છે. તેમજ બીજી વાત એવી છે કે હું એક વખત વડાપ્રધાનને રૂબરૂ મળ્યો હતો. જેમાં તેઓને મેં વેરાવળ વિધાનસભાની સીટમાં ઉમેદવાર બદલાવજો બાકી હારી જશે. તો ઉમેદવાર બદલ્યો નહી અને હારી ગયા. એવી જ રીતે પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલને હું મળ્યો હતો અને ઉમેદવારનું કીધું હતું. તેમણે પણ ઉમેદવાર બદલ્યો નહી જેથી હારી ગયા. આજે હું ત્રીજી વખત કહું છું કે, રાજેશભાઈને ટિકીટ મળશે તો સીટ જશે. રાજેશભાઈનો વિરોધ દરેક તાલુકામાં છે. એટલે તમે મહેરબાની કરીને કોળી સમાજની ટિકીટ આપવાની થતી હોય તો આપો. કોળી સમાજમાં નિવિવાદિત માણસો ઘણા છે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir