બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી
Priyakant
Last Updated: 07:31 AM, 19 January 2023
ન્યુઝીલેન્ડના વડાપ્રધાન જેસિંડા અર્ડર્ને તેમના રાજીનામાની જાહેરાત કરી છે. તેમણે જાહેરાત કરી કે, તે હવે ચૂંટણી લડશે નહીં. તેમણે કહ્યું કે, તે ફેબ્રુઆરીની શરૂઆતમાં રાજીનામું આપશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર જેસિંડા અર્ડર્ને કહ્યું કે, હું ચૂંટણી નહીં લડું, પરંતુ હું જાણું છું કે, ન્યૂઝીલેન્ડના લોકોને અસર કરતા મુદ્દાઓ આ વર્ષે અને ચૂંટણી સુધી સરકારના ધ્યાન પર રહેશે.
શું કહ્યું જેસિંડા અર્ડર્ને?
જેસિંડા અર્ડર્ને કહ્યું કે, તેઓ હજુ પણ માને છે કે, ન્યુઝીલેન્ડની લેબર પાર્ટી આગામી ચૂંટણી જીતશે. જેસિંડા અર્ડર્ને કહ્યું કે, આગામી સામાન્ય ચૂંટણી 14 ઓક્ટોબરે યોજાશે અને ત્યાં સુધી તે મતદાર સાંસદ તરીકે ચાલુ રહેશે. તેમણે કહ્યું કે. હું રાજીનામું એટલે નથી આપી રહી કારણ કે મને હારનો ડર છે. પરંતુ અમને વિશ્વાસ છે કે, અમે આગામી ચૂંટણી પણ જીતીશું.
🚨BREAKING: New Zealand PM Jacinda Ardern has resigned.
— Benny Johnson (@bennyjohnson) January 19, 2023
pic.twitter.com/SH9ZP7wkdK
ક્યારે આપશે રાજીનામુ ?
જેસિંડા અર્ડર્ને કહ્યું કે, તે 7 ફેબ્રુઆરી પહેલા રાજીનામું આપી દેશે. નાયબ વડાપ્રધાન ગ્રાન્ટ રોબર્ટસને કહ્યું કે, તેઓ તેમનું નામ આગળ નહીં મૂકે. ન્યુઝીલેન્ડના પીએમ જેસિંડા અર્ડર્ને કહ્યું કે, તેમના રાજીનામા પાછળ કોઈ રહસ્ય નથી. તેના બદલે હું સ્પષ્ટપણે કહેવા માંગુ છું કે, હું પણ એક માણસ છું અને અમે અમારાથી બને તેટલું શ્રેષ્ઠ આપીએ છીએ. પરંતુ મારા માટે આ નિર્ણય લેવાનો સમય આવી ગયો છે.
હું જઈ રહી છું ......
જેસિંડા અર્ડર્ને કહ્યું કે, હું હવે જઈ રહી છું. કારણ કે આવા પદ સાથે ઘણી જવાબદારી આવે છે. આ સાથે જવાબદારી પણ આવે છે કે, તમે એ પણ નક્કી કરો કે તમે નેતૃત્વ માટે ક્યારે યોગ્ય છો અને ક્યારે નહીં? ન્યુઝીલેન્ડના પીએમએ કહ્યું કે, 2022ના અંતમાં મેં વિચાર્યું કે, મારે પીએમ રહેવાનું શું કારણ છે. આ પછી મેં નક્કી કર્યું કે, હવે રાજીનામુ આપી દેવું જોઈએ. તેમણે કહ્યું કે, મારા રાજીનામાનું કારણ એ પણ નથી કે મારા માટે સરકાર ચલાવવી મુશ્કેલ છે. તેમણે કહ્યું કે, મારી જાહેરાત બાદ સરકારી એજન્સીઓ અને રાજકીય પક્ષોને આયોજન અને તૈયારીમાં મદદ કરવામાં આવશે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
આતંકી હુમલો / મણિપુરમાં મોડી રાત્રે કુકી આતંકવાદીઓએ CRPF બટાલિયન પર કર્યો હુમલો, બે જવાન શહીદ
Indian army