બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / Mohammed Azaruddin car meets an accident in Rajasthan

અકસ્માત / ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન મોહમ્મદ અઝહરુદ્દીનની કાર પલટી ખાઈને ઘુસી ગઈ એક ઢાબામાં; જાણો વિગતો

Published By: Shalin

Last Updated: 06:37 PM, 30 December 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતના પૂર્વ કેપ્ટન મોહમ્મદ અઝહરુદ્દીનની કાર અકસ્માતમાં એક ઢાબામાં ઘુસી ગઈ. આ અકસ્માતમાં અઝહરુદ્દીન માંડ માંડ બચી ગયા છે.

મળતી માહિતી મુજબ, આ ઘટના લાલસોટ કોટા મેગા હાઇવે પરના સુરવાલ પોલીસ સ્ટેશન નજીક બની છે. ભૂતપૂર્વ 57 વર્ષીય ભારતીય કેપ્ટન મોહમ્મદ અઝહરુદ્દીન પોતાના પરિવાર સાથે રણથંભોર આવી રહ્યા હતા, ત્યારે આ અકસ્માત થયો હતો. આ દરમિયાન ગાડી કંટ્રોલ બહાર જતી રહી હતી અને મોહમ્મદની ગાડી ચાર રસ્તાના એક ઢાબામાં ઘુસી ગઈ હતી. અહીં કામ કરતો એક યુવક ઘાયલ થયો હતો.

DSP ઘટના સ્થળે દોડી ગયા

અકસ્માત પછી લોકો ટોળે વળ્યાં હતા, પરંતુ જ્યારે બધાને ખબર પડી કે અઝહરૂદ્દીન પોતે કારમાં બેઠા હતા, ત્યારે લોકો ચોંકી ગયા હતા. ઇજાગ્રસ્ત યુવકને સારવાર માટે જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરાયો છે. અકસ્માત બાદ DSP નારાયણ તિવારી ઘટના સ્થળે પહોંચી ગયા હતા. મળતી માહિતી મુજબ, મોહમ્મદ અઝહરૂદ્દીન પરિવાર સાથે નવા વર્ષની ઉજવણી માટે સવાઈ માધોપુરમાં રણથંભોર જઈ રહ્યા હતા.

ગયા અઠવાડિયે અઝહર અમદાવાદ આવ્યા હતા

અઝહરૂદ્દીનની સાથે મુસાફરી રહેલા લોકોને સામાન્ય ઇજા થઇ હતી. ત્યાર બાદ એક બીજી ગાડીમાં તેમના પરિવારને હોટલ પહોંચાડવામાં આવ્યા હતા. તેઓ પરિવાર સાથે હોટલ અમન એ ખાસમાં પહોંચ્યા હતા. નોંધનીય છે કે હૈદરાબાદ ક્રિકેટ એસોસિએશનના અધ્યક્ષ અઝહરૂદ્દીન ગયા અઠવાડિયે અમદાવાદ આવ્યા હતા જ્યાં તેમણે BCCIની એન્યુલ જનરલ મિટિંગ (AGM)માં ભાગ લીધો હતો. 

અમદાવાદની ફ્રેન્ડલી મેચમાં જય શાહની ટીમ વિજયી બની હતી

AGMના આગલા દિવસે સરદાર પટેલ મોટેરા સ્ટેડિયમ ખાતે ફ્રેન્ડલી મેચ રમાઈ હતી. જય શાહની આગેવાની હેઠળના સેક્રેટરી ઇલેવન તરફથી રમતી વખતે અઝહરુદ્દીને 37 રન બનાવ્યા હતા. આ મેચમાં સેક્રેટરી ઇલેવને સૌરવ ગાંગુલીની પ્રેસિડેન્ટ ઇલેવનને 28 રનથી હરાવી હતી. ભારત માટે, અઝહરે 99 ટેસ્ટમાં 45.03 ની સરેરાશથી 6215 રન બનાવ્યા છે અને તેમનો શ્રેષ્ઠ સ્કોર 199 રન છે. આ સિવાય 334 વનડેમાં તેમણે 36.92 ની સરેરાશથી 9378 રન બનાવ્યા છે અને તેમનો શ્રેષ્ઠ સ્કોર 153* છે.

અઝહરે ત્રણ વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ સાંભળી છે

મોહમ્મદ અઝહરુદ્દીને વર્ષ 1984માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો. અઝહરે ઇંગ્લેન્ડ સામે 31 ડિસેમ્બર 1984 ના રોજ તેમની પ્રથમ ટેસ્ટ મેચ રમી હતી. તેમને તેમની શાનદાર બેટિંગ સ્ટાઈલ માટે કાંડાના જાદુગર કહેવાતા હતા. મોહમ્મદ અઝહરુદ્દીન 1990માં ટીમ ઈન્ડિયાના કેપ્ટન બન્યા હતા. અઝહરુદ્દીને 1992, 1996 અને 1999ના વર્લ્ડકપમાં ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ સંભાળી હતી. મોહમ્મદ અઝરુદ્દીન તેમની કપ્તાની હેઠળ ભારતને 14 ટેસ્ટ અને 90 વનડે મેચ જીતાડી છે.

સંકળાયેલા મુદ્દાઓ

BCCI Cricket Mohammad Azharuddin Rajasthan Accident

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ