બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / સ્પોર્ટસ / Cricket / Mohammed Azaruddin car meets an accident in Rajasthan

અકસ્માત / ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન મોહમ્મદ અઝહરુદ્દીનની કાર પલટી ખાઈને ઘુસી ગઈ એક ઢાબામાં; જાણો વિગતો

Shalin

Last Updated: 06:37 PM, 30 December 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતના પૂર્વ કેપ્ટન મોહમ્મદ અઝહરુદ્દીનની કાર અકસ્માતમાં એક ઢાબામાં ઘુસી ગઈ. આ અકસ્માતમાં અઝહરુદ્દીન માંડ માંડ બચી ગયા છે.

મળતી માહિતી મુજબ, આ ઘટના લાલસોટ કોટા મેગા હાઇવે પરના સુરવાલ પોલીસ સ્ટેશન નજીક બની છે. ભૂતપૂર્વ 57 વર્ષીય ભારતીય કેપ્ટન મોહમ્મદ અઝહરુદ્દીન પોતાના પરિવાર સાથે રણથંભોર આવી રહ્યા હતા, ત્યારે આ અકસ્માત થયો હતો. આ દરમિયાન ગાડી કંટ્રોલ બહાર જતી રહી હતી અને મોહમ્મદની ગાડી ચાર રસ્તાના એક ઢાબામાં ઘુસી ગઈ હતી. અહીં કામ કરતો એક યુવક ઘાયલ થયો હતો.

DSP ઘટના સ્થળે દોડી ગયા

અકસ્માત પછી લોકો ટોળે વળ્યાં હતા, પરંતુ જ્યારે બધાને ખબર પડી કે અઝહરૂદ્દીન પોતે કારમાં બેઠા હતા, ત્યારે લોકો ચોંકી ગયા હતા. ઇજાગ્રસ્ત યુવકને સારવાર માટે જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરાયો છે. અકસ્માત બાદ DSP નારાયણ તિવારી ઘટના સ્થળે પહોંચી ગયા હતા. મળતી માહિતી મુજબ, મોહમ્મદ અઝહરૂદ્દીન પરિવાર સાથે નવા વર્ષની ઉજવણી માટે સવાઈ માધોપુરમાં રણથંભોર જઈ રહ્યા હતા.

ગયા અઠવાડિયે અઝહર અમદાવાદ આવ્યા હતા

અઝહરૂદ્દીનની સાથે મુસાફરી રહેલા લોકોને સામાન્ય ઇજા થઇ હતી. ત્યાર બાદ એક બીજી ગાડીમાં તેમના પરિવારને હોટલ પહોંચાડવામાં આવ્યા હતા. તેઓ પરિવાર સાથે હોટલ અમન એ ખાસમાં પહોંચ્યા હતા. નોંધનીય છે કે હૈદરાબાદ ક્રિકેટ એસોસિએશનના અધ્યક્ષ અઝહરૂદ્દીન ગયા અઠવાડિયે અમદાવાદ આવ્યા હતા જ્યાં તેમણે BCCIની એન્યુલ જનરલ મિટિંગ (AGM)માં ભાગ લીધો હતો. 

અમદાવાદની ફ્રેન્ડલી મેચમાં જય શાહની ટીમ વિજયી બની હતી

AGMના આગલા દિવસે સરદાર પટેલ મોટેરા સ્ટેડિયમ ખાતે ફ્રેન્ડલી મેચ રમાઈ હતી. જય શાહની આગેવાની હેઠળના સેક્રેટરી ઇલેવન તરફથી રમતી વખતે અઝહરુદ્દીને 37 રન બનાવ્યા હતા. આ મેચમાં સેક્રેટરી ઇલેવને સૌરવ ગાંગુલીની પ્રેસિડેન્ટ ઇલેવનને 28 રનથી હરાવી હતી. ભારત માટે, અઝહરે 99 ટેસ્ટમાં 45.03 ની સરેરાશથી 6215 રન બનાવ્યા છે અને તેમનો શ્રેષ્ઠ સ્કોર 199 રન છે. આ સિવાય 334 વનડેમાં તેમણે 36.92 ની સરેરાશથી 9378 રન બનાવ્યા છે અને તેમનો શ્રેષ્ઠ સ્કોર 153* છે.

અઝહરે ત્રણ વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ સાંભળી છે

મોહમ્મદ અઝહરુદ્દીને વર્ષ 1984માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો. અઝહરે ઇંગ્લેન્ડ સામે 31 ડિસેમ્બર 1984 ના રોજ તેમની પ્રથમ ટેસ્ટ મેચ રમી હતી. તેમને તેમની શાનદાર બેટિંગ સ્ટાઈલ માટે કાંડાના જાદુગર કહેવાતા હતા. મોહમ્મદ અઝહરુદ્દીન 1990માં ટીમ ઈન્ડિયાના કેપ્ટન બન્યા હતા. અઝહરુદ્દીને 1992, 1996 અને 1999ના વર્લ્ડકપમાં ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ સંભાળી હતી. મોહમ્મદ અઝરુદ્દીન તેમની કપ્તાની હેઠળ ભારતને 14 ટેસ્ટ અને 90 વનડે મેચ જીતાડી છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ