બ્રેકિંગ ન્યુઝ
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
VTV / moderna booster shot bolsters antibodies against covid19 news variant strains
Bhushita
Last Updated: 09:01 AM, 7 May 2021
કોરોના વાયરસના કહેરની વચ્ચે રાહતના સમાચાર આવી રહ્યા છે. મોર્ડના દ્વારા તૈયાર કરાયેલો કોવિડ બૂસ્ટર ડોઝ કોરોનાના નવા સ્વરૂપથી બચવામાં મદદ કરશે. બ્રાઝિલ અને દક્ષિણ આફ્રિકામાં સફળ પરીક્ષણ બાદ આ જાણવા મળ્યં છે. આ પરીક્ષણ એક યૂએસ બાયોટેક ફર્મે આ વર્ષની શરૂઆતમાં કર્યું હતું. ફર્મના કેટલાક પરિણામોના આધારે કહેવાયું છે કે કોરોના વાયરસના હાલના સ્વરૂપને વેક્સીનની મદદથી તોડી શકાય છે. ઉંદર બાદ માણસો પર પહેલું પરીક્ષણ આશાસ્પદ પરિણામ આપી રહ્યું છે.
બૂસ્ટર ડોઝ લીધાના 15 દિવસ બાદ એન્ટીબોડી બને છે
આ બૂસ્ટર ડોઝનું પરીક્ષણ કરવા માટે 40 લોકોની પસંદગી કરાઈ હતી જેમને 6-8 મબિનામાં મોર્ડનાનની વેક્સીનના 2 ડોઝ લીધા હતા. તેમના ઈમ્યુન દ્વારા બનાવાયેલા એન્ટી બોડીઝનું પણ પરીક્ષણ કરાયું હતું જે વાયરસને બાંધે છે. પરિણામોથી ખ્યાલ આવે છે કે ફક્ત અડધા જ એવા લોકો છે જેમાં 2 વેરિઅન્ટની વિરુદ્ધમાં એન્ટીબોડીઝ છે. આ પછી તેઓએ મૂળ મોર્ડના વેક્સીન આપી. પરિણામ એ આવ્યું કે બૂસ્ટર ડોઝ લીધાના 15 દિવસ બાદ એન્ટીબોડી બની હતી.
પરીક્ષણ સમયે ઉત્સાહજનક આંકડા આવ્યા સામે
કોરોના બૂસ્ટર ડોઝને તેના નવા સ્વરૂપ પર પ્રભાવી હોવાનો દાવો કરતા મોર્ડનાના સીઈઓ સ્ટીફન બેંસેલ કહે છે કે અમે આ આંકડાથી ખુશ છીએ. તેની સાથે અમને વિશ્વાસ છે કે આ કોરોનાના નવા સ્વરૂપથી બચાવવામાં કારગર સાબિત થશે. હાલમાં કેટલીક સાઈડ ઇફેક્ટ પણ જોવા મળી છે. તેમાં માથું દુઃખવું, માંસપેશી અને સાંધામાં દર્દ અને થાક સામેલ છે.
છેલ્લા 24 કલાકમાં આવી રહી છે ભારતની સ્થિતિ
એક દિવસમાં ભારતમાં કોરોનાના નવા કેસ 4 લાખ 14 હજાર 182 આવતા હાહાકાર મચ્યો છે. એક દિવસમાં દેશમાં કોરોનાથી 3 લાખ 28 હજાર 141 દર્દી સ્વસ્થ થયા છે તો સાથે જ ભારતમાં એક દિવસમાં કોરોનાથી 3 હજાર 920ના મૃત્યુ થયા છે. દેશમાં કોરોનાના એક્ટીવ કેસ 36 લાખ 44 હજાર 436 પહોંચી ચૂક્યા છે. દેશમાં કોરોનાના કુલ કેસ 2 કરોડ 14 લાખ 85 હજાર 285 થયા છે. ભારતમાં કોરોનાથી રિકવર દર્દીની કુલ સંખ્યા 1 કરોડ 75 લાખ 97 હજાર 410 થઈ છે તો કુલ કુલ મૃત્યુઆંક 2 લાખ 34 હજાર 71 પહોંચ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ