બ્રેકિંગ ન્યુઝ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ
લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી
લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી
અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું
VTV / know the updates about the coronavirus in india 19042020
Bhushita
Last Updated: 08:39 AM, 20 April 2020
(અપડેટ્સ 19 એપ્રિલ 2020 - રાત્રે 12:00 વાગ્યા સુધી)
ભારતમાં કોરોનાની વધુ અપડેટ્સ માટે ક્લિક કરોઃ https://www.mohfw.gov.in/
તેલંગાણામાં 7 મે સુધી વધારાયું લૉકડાઉન
દેશમાં કોરોના વાયરસની મહામારીના કેસમાં વધારો થઇ રહ્યો છે. કોરોના સંકટને લઇને હવે તેલંગાણા રાજ્યે લૉકડાઉનની મર્યાદા 7 મે સુધી વધારી દેવાઇ છે. રાજ્ય કેબિનેટની બેઠક બાદ રવિવારે તેને લઇને જાહેરાત કરાઇ છે.
આંધ્રપ્રદેશમાં કોરોના વાયરસના વધુ 44 કેસ નોંધાયા
આંધ્રપ્રદેશમાં કોરોના વાયરસના નવા 44 કેસ નોંધાયા છે. આંધ્રપ્રદેશમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના કુલ 647 કેસ નોંધાયા છે. જ્યારે 17 લોકોના કોરોનાથી મોત થયા છે.
જમ્મૂમાં રોહિગ્યા મુસ્લિમોના કોરોના ટેસ્ટ જારી, 12 લોકોના નમૂના લેવાયા
જમ્મૂ કાશ્મીરના સ્વાસ્થ્ય વિભાગે રવિવારે જણાવ્યું કે અહીં અલગ-અલગ ઝૂંપડપટ્ટીઓમાં રહી રહેલા રોહિંગ્યા મુસ્લિમોના કોરોના વાયરસના ટેસ્ટ જારી છે અને 12 લોકોના નમૂના લેવામાં આવ્યા છે.
દિલ્હીમાં કન્ટેનમેન્ટ ઝોનની સંખ્યા 78 થઇ
દેશની રાજધાનીમાં વધુ 2 નવા ક્ષેત્રો સામેલ થવા સાથે દિલ્હીમાં કન્ટેનમેન્ટ ઝોનની સંખ્યા વધીને 78 થઇ ગઇ છે. રવિવારે ઇન્દ્રપુરીમાં EA બ્લોક અને DC ઓફિસ કાપસહેડાના વિપરીત પ્લોટ નંબર 1294ને આજે લિસ્ટમાં સામેલ કરવામાં આવ્યા.
#Coronavirus: The total number of containment zones in Delhi increases to 78, after 2 new areas - Plot No. 1294 in Theke Wali Gali opposite DC Office Kapashera and EA Block in Inderpuri - included in the list today. pic.twitter.com/OcL104fDAf
— ANI (@ANI) April 19, 2020
તમિલનાડુમાં બે પત્રકારોમાં કોરોના વાયરસના સંક્રમણની પુષ્ટી
શહેરના બે પત્રકારોમાં કોરોના વાયરસના સંક્રમણને પુષ્ટી મળી છે. અધિકારીઓએ આ અંગે જાણકારી આપી છે. અધિકારીઓએ જણાવ્યું કે તમિલ દૈનિકમાં કામ કરતા એક પત્રકાર અને તમિલ ચેનલમાં કામ કરનાર એક પત્રકાર કોરોના પોઝિટિવ આવ્યા છે.
મધ્યપ્રદેશમાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા વધીને 1407 થઇ, 72ના મોત
મધ્યપ્રદેશમાં રવિવારે પાંચ નવા કોરોના પોઝિટિવ કેસ આવ્યા બાદ રાજ્યમાં કોરોના વાયરસના કુલ કેસની સંખ્યા વધીને 1407 પર પહોંચી ગઇ છે. મધ્ય પ્રદેશમાં અત્યાર સુધીમાં કુલ 72 લોકોના મોત થયા છે. સૌથી વધારે ઇન્દોરમાં 50 લોકોના મોત થયા છે.
NCERTના સિલેબસમાં સામેલ થઇ શકે છે કોરોના વાયરસ
NCERTના હવે પછીની પાઠ્યક્રમ સમીક્ષામાં કોરોના વાયરસ અને તેનાથી જોડાયેલા વિષયોને પાઠ્યક્રમમાં સામેલ કરવા પર વિચાર કરી રહી છે. એનસીઇઆરટીના ડિરેક્ટર ડૉ. ઋષિકેશ સેનાપતિએ આમ જાણકારી આપી.
કોરોના વાયરસનું સંક્રમણ વંશ, ધર્મ, જાતિ નથી જોતો : PM મોદી
કોરોના વાયરસને લઇને પીએમઓએ ટ્વિટ કર્યું, તેમા પીએમ મોદીએ કહ્યું કે કોરોના વાર કરતા પહેલા વંશ, ધર્મ, રંગ અને જાતિ નથી જોતો. પીએમ મોદીએ કહ્યું કે સંકટના આ સમયમાં આપણે એકજુટ છે.
COVID-19 does not see race, religion, colour, caste, creed, language or borders before striking.
— PMO India (@PMOIndia) April 19, 2020
Our response and conduct thereafter should attach primacy to unity and brotherhood.
We are in this together: PM @narendramodi
પેન્શન ઓછુ કરવાનો કોઇ પ્રસ્તાવ નહીં, કેન્દ્ર સરકારે આપી સ્પષ્ટતા
કેન્દ્ર સરકારે રવિવારે કહ્યું કે પેન્શન ઓછો કરવાનો કોઇ પ્રસ્વાવ નથી. સરકાર તેને લઇને કોઇપણ પ્રકારનો કોઇ વિચાર કરી રહી નથી. સરકાર તરફથી આ સ્પષ્ટતા એ અફવાઓ બાદ આવ્યું છે કે સરકાર પેન્શન ઓછુ કરવા અથવા તેને રોકવા પર વિચાર કરી રહી છે.
દેશમાં કોરોના વાયરસથી ફ્રી થયું ગોવા, રાજ્યમાં એકપણ પોઝિટિવ કેસ નહીં
દેશાં કોરોના વાયરસના વધતા કેસની વચ્ચે ગોવા કોરોના ફ્રી જાહેર થયું છે. રાજ્યમાં એકપણ કોરોના વાયરસનો પોઝિટિવ કેસ નહીં. ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાંવતે જાણકારી આપી કે રાજ્યમાં કોરોના વાયરસનો એકપણ પોઝિટિવ કેસ નથી. ગોવા કોરોના વાયરસ મહામારીથી ફ્રી થયું છે.
દેશમાં કોરોના વાયરસના સંક્રમણના કુલ 15,712 કેસ, કુલ 507 મોત
સ્વાસ્થ્ય મંત્રાલય, ગૃહ મંત્રાલય અને આઇસીએમઆરે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરી. સ્વાસ્થ્ય મંત્રાલયના જોઇન્ટ સેક્રેટરી લવ અગ્રવાલે જાણકારી આપી કે દેશમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના સંક્રમણના કુલ 15,712 કેસ સામે આવ્યા છે. ગત 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસ સંક્રમણના 1334 કેસ નોંધાયા છે. જ્યારે 27 લોકોના મોત થયા છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 507 મોત થયા છે. જ્યારે 2231 દર્દીઓ ઠીક થયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે 20 એપ્રિલથી દેશના કોરોના હૉટસ્પોટ વિસ્તારોમાં ઢીલ આપવામાં આવશે. લૉકડાઉનનું આ દરમિયાન કડક રીતે પાલન કરવામાં આવે. વેક્સીન અને ડ્રગની ટેસ્ટિંગના સંબંધમાં હાઇલેવલ ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે. સ્વાસ્થ્ય મંત્રાલયે જાણકારી આપી કે 23 રાજ્યોના 54 જિલ્લાઓમાં ગત 14 દિવસોમાં કોરોના વાયરસના સંક્રમણનો એકપણ કેસ સામે આવ્યો નથી.
લૉકડાઉનમાં આવતીકાલથી ચાલુ થશે આ વિભાગો
આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતિ રવિએ આજે જણાવ્યું છે કે ગુજરાતમાં રિકવરી દર કેરળના પ્રમાણમાં ઓછો છે. રોગપ્રતિકારક શક્તિ સહિતની બાબતો મહત્વની કોરોનાની જંગમાં મહત્વની રહે છે. કેરળમાં કેસો વહેલા આવ્યા હોવાથી રિકવરી વધુ જોવા મળી છે.
અમદાવાદમાં આજે કોરોનોના વધુ 140 પોઝિટિવ કેસ
અમદાવાદમાં આજે નરોડા, જમાલપુર, બહેરામપુરા વિસ્તારમાં કેસ નોંધાયા છે. રિલીફ રોડ, ત્રણ દરવાજા, જીવરાજપાર્ક વિસ્તારના કેસ છે. તો મણિનગર, મેઘાણીનગર, દાણીલીમડા, જુહાપુરામાં પણ આજે કેસ નોંધાયા છે. અત્યાર સુધીમાં એક દિવસમાં સૌથી વધુ કેસ આજે નોંધાયા છે. આરોગ્ય વિભાગના અગ્રસચિવે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતુ કે, ગુજરાતમાં કોરોનાના નવા 228 કેસ આવ્યા છે. કુલ 1604 કેસ થયા છે જેમાંથી 94 સાજા થયા છે. 9 લોકો વેન્ટીલેટર ઉપર છે. કુલ 58 લોકોના મોત થઈ ગયા છે. છેલ્લા 24 કલાકમાં કુલ 5 લોકોના મોત થયા છે.
ગુજરાતી કલાકારોએ બનાવ્યું ગીત, દેશ ખીલશે, ગુજરાત ખીલશે
કોરોના વાયરસને લઇને જાગૃતતા ફેલાવવા ગુજરાતી કલાકારોએ પણ એક ગીત તૈયાર કર્યું છે. 30થી વધારે ગુજરાતી કલાકારોએ દેશ ખીલશે, ગુજરાત ખીલશેની થીમ પર ગીત બનાવ્યું છે. ગીતના માધ્યમથી ગુજરાતી કલાકારોએ લોકોને સંદેશ આપ્યો છે. સિંગર અરવિંદ વેગડાના અવાજમાં ગીત બનાવાયું છે.
કોરોનાને લઈને દિલ્હીમાં રેપિડ ટેસ્ટ અભિયાન
આવતીકાલથી દિલ્હીમાં રેપિડ ટેસ્ટ અભિયાન શરૂ કરાશે. એક સપ્તાહમાં 42 હજાર કોરોના ટેસ્ટ કરાશે. દિલ્હીના તમામ હૉટસ્પોટ વિસ્તારમાં ટેસ્ટ કરાશે તેમ આરોગ્ય મંત્રી સત્યેન્દ્ર જૈને કહ્યું છે.
કોરોના વાયરસથી દોઢ મહિનાના બાળકનું મોત
દેશની રાજધાની દિલ્હીમાં કોરોના વાયરસથી દોઢ મહિનાના બાળકનું મોત થયું છે. આ બાળક લેડી હાર્ડિંગ કોલેજના કલાવતી શરન હોસ્પિટલના આઈસીયૂમાં એડમિટ હતું અને સારવાર સમયે જ મૃત્યુ પામ્યું. ઉલ્લેખનીય છે કે રાજધાનીમાં આ સૌથી નાની ઉંમરનું બાળક છે.
રાંચીમાં તબલીગી જમાતના 17 લોકોને જેલમાં ધકેલાયા
કોરોના વાયરસને લઇને પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. રાંચીમાં તબલીગી જમાતના લોકો પર પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. ચીમાં તબલીગી જમાતના 17 લોકોને જેલમાં ધકેલાયા છે. તબલીગી જમાતના 17 વિદેશી લોકોને જેલમાં ધકેલાયા છે. 17 વિદેશી જમાતીઓમાંથી એકને કોરોના પોઝિટિવ આવ્યો છે. તમામ જમાતીઓ પર વિઝા ઉલ્લંઘનનો આરોપ છે.
રેલ્વેની સ્થિતિ બની ગંભીર, પગાર અને ભથ્થામાં આવશે કપાત
લૉકડાઉનને કારણે રેલ્વેની સ્થિત હાલમાં ગંભીર બની છે. મળતી માહિતી અનુસાર એવું કહેવામાં આવી રહ્યું છે કે, ટી.એ., ડી.એ. સહિત ઓવરટાઇમ ડ્યુટીના ભથ્થાઓ લગભગ 6 મહિના માટે રદ કરવામાં આવશે. મેઇલ-એક્સપ્રેસ ડ્રાઇવરો અને રક્ષકો માટે ભથ્થા અંગેના સૂચનો પણ કરવામાં આવ્યા છે.
WHOએ કર્યા ભારતના વખાણ
સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર દેશમાં કોરોનાના કારણે મૃત્યુ પામનારાની સંખ્યા 500ને પાર છે. આ સમયે એક્ટિવ કેસની સંખ્યા પણ 13000ને પાર પહોંચી છે. WHOએ કહ્યું કે ભારતમાં લૉકડાઉનને ઝડપથી લાગૂ કરવાના કારણે કોરોના સંક્રમણ પર કાબૂ મેળવવામાં સફળતા મળી છે.
महाराष्ट्र में 328 नए #COVID19 मामले दर्ज किए गए हैं, जिससे राज्य में कुल मामलों की संख्या 3648 हो गई है। ग्रेटर मुंबई क्षेत्र के नगर निगम में सबसे अधिक 184 मामले और पुणे में 78 मामले दर्ज किए गए हैं: राज्य स्वास्थ्य विभाग pic.twitter.com/ZjX8dsiAWi
— ANI_HindiNews (@AHindinews) April 18, 2020
મહારાષ્ટ્રમાં કોરોના વાયરસનો કહેર
મહારાષ્ટ્રમાં 24 કલાકમાં 328 નવા કેસ નોંધાતા હાહાકાર મચ્યો છે. છેલ્લા 24 કલાકમાં 11 લોકોના કોરોનાથી મોત થયા છે. અત્યાર સુધીમાં મહારાષ્ટ્રમાં 3648 કેસ નોંધાયા છે જેમાં 2 હજાર 268 કેસ માત્ર મુંબઈમાં જ નોંધાયા.
જમાત બાદ રોહિંગ્યાથી દેશમાં વધી શકે છે કોરોનાના કેસ
તેલંગાણામાં 17 રોહિંગ્યા મુસલમાનો સામે કેસ દાખલ કરાયો છે. તેલંગાણા પોલીસે 17 રોહિંગ્યા સામે કેસ દાખલ કર્યો છે. 17માંથી 4 રોહિંગ્યા મુસલમાન કોરોના પોઝિટિવ છે. લૉકડાઉન વચ્ચે ધાર્મિક જલસામાં તેઓએ ભાગ લીધો હતો. આ સાથે જ રોહિંગ્યાનું જમાત કનેક્શન પણ સામે આવ્યું છે.
पिछले 24 घंटों में 957 #COVID19 मामले सामने आए हैं और 36 मौतें हुई हैं। भारत में COVID-19 मामलों की कुल संख्या बढ़कर 14792 हो गई हैं, जिसमें 12289 सक्रिय मामले, 2015 ठीक / विस्थापित / विस्थापित मामले और 488 लोगों की मौत शामिल है: स्वास्थ्य और परिवार कल्याण मंत्रालय pic.twitter.com/AEevS3fpUD
— ANI_HindiNews (@AHindinews) April 18, 2020
કેન્દ્ર રાજ્યો માટે વધુ એક પેકેજની કરી શકે છે જાહેરાત
ગત રાત્રે રાજનાથ સિંહના ઘરે મળેલી બેઠકમાં ચર્ચા થઈ હતી. મંત્રી સમુહની બેઠકમાં રાજ્યોના રાહત પેકેજ અંગે ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં રાહત પેકેજ માટે સૈદ્ધાંતિક સહમતિ બની હતી. પેકેજના આકાર-રાજ્યોમાં વિતરણ મુદ્દે નિર્ણય બાકી રખાયો છે. બેઠકમાં લૉકડાઉન મુદ્દે પણ કરવામાં ચર્ચા કરાઈ છે. 20 એપ્રિલથી આંશિક છુટછાટ મુદ્દે બેઠકમાં ચર્ચામાં નક્કી કરાયું છે કે સંક્રમણ સ્તરના આધારે 20 એપ્રિલ બાદ છુટછાટ મળશે. 20 એપ્રિલ બાદ છુટછાટને લઇ રોડમેપ તૈયાર થઇ રહ્યો છે.
એરલાઈન્સ શરૂ કરવા મામલે ઉડ્ડયન મંત્રી પુરીનો ખુલાસો
હજૂ સુધી ઈન્ટરનેશનલ-ડોમેસ્ટિક ફ્લાઇટોને મંજૂરી મળી નથી. નાગરિક ઉડ્ડયન મંત્રી હરદીપ પુરીએ સ્પષ્ટતા કરી છે કે એરલાઈન્સને પણ મંત્રી હરદીપ પુરીએ સલાહ આપી છે કે જ્યાં સુધી કોઈ નિર્ણય ન આવે ત્યાં સુધી એરલાઈન્સ શરૂ કરવી નહીં.
There is no need to panic.
— Narendra Modi (@narendramodi) April 18, 2020
Please keep taking the proper precautions. Together, we all will certainly defeat the COVID-19 pandemic. https://t.co/7sUpNo9Vo9
પીએમ મોદીએ દેશવાસીઓ માટે કર્યું જોશ ભર્યું ટ્વિટ
ચીનના વુહાન શહેરથી દુનિયાભરમાં ફેલાઇ ચૂકેલા કોરોના વાયરસે કહેર વરસાવ્યો છે. ભારતમાં પણ કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે. કોરોના સંકટને લઇને દેશમાં લૉકડાઉન 3 મે સુધી વધારી દેવાયું છે. ત્યારે પીએમ મોદીએ પોતાના ટ્વિટમાં લખ્યું છે કે ગભરાવાની જરૂર નથી. યોગ્ય સાવધાની જાળવી રાખજો. આપણે સૌ સાથે મળીને કોવિડ 19 મહામારીને નિશ્ચિત રુપે હરાવીશું. પીએમ મોદીનો આ સંદેશ એ સમયે આવ્યો છે જ્યારે દેશમાં કોરોના પોઝિટિવ લોકોનો આંકડો 14,000ને પાર કરી ચૂક્યો છે અને કોરોના વાયરસને કારણે 480થી વધારે લોકોના મોત થઇ ચૂક્યા છે. દેશવાસીઓમાંથી ડર દૂર કરવા માટે પીએમ મોદીએ એક જોશ ભર્યું ટ્વિટ કર્યું છે.
મહારાષ્ટ્ર સરકારનો મોટો નિર્ણય
माझ्या ऊसतोड बांधवांसाठी खुशखबर!
— Dhananjay Munde (@dhananjay_munde) April 17, 2020
तुमचा स्वगृही परतण्याचा मार्ग आता खुला झाला आहे. शासनाने यासंबंधी आदेश निर्गमित केला आहे. शासनाने घालून दिलेल्या नियमाच्या अधीन राहून घरी परता. स्वतःच्या आरोग्याची त्याचबरोबर आपल्या गावाचीही काळजी घ्या. स्वगृही परतल्यावर कुटुंबासह घरातच रहा. pic.twitter.com/Vg4sjrULOs
મહારાષ્ટ્ર સરકારે તેમના રાજ્યમાં શેરડીની ફેક્ટરીમાં કામ કરતા આશરે 1 લાખ પરપ્રાંતીય મજૂરોને વતન લોકડાઉન વચ્ચે પણ તેમના વતન પાછા જવા માટે મંજૂરી આપી દીધી છે. આ માટેનું કારણ દેશમાં ચાલી રહેલા મેડિકલ ટેસ્ટને ગણાવવામાં આવ્યું છે. આ માહિતી સોશ્યલ જસ્ટિસ મિનિસ્ટર ધનંજય મુંડેએ શુક્રવારે આપી હતી. ધનંજય મુંડેએ ટ્વીટ કર્યું હતું કે "મારા શેરડીની ફેક્ટરીમાં કામ કરતા કામદાર ભાઈઓ માટે સારા સમાચાર છે! સરકારે આ મુદ્દે એક અગત્યનો નિર્ણય લીધો છે. તમે હવે સરકારની સુરક્ષા ગાઇડલાઇન્સની કડક પાલન કરીને વતન પરત ફરી શકો છો. પોતાના સ્વાસ્થ્યની અને પોતાના ગામના સ્વાસ્થ્યની કાળજી રાખો. એક વખત વતન પહોંચી ગયા પછી ઘરમાં જ રહેજો!"
ભારતીય નૌસૈના પણ કોરોનાની ચપેટમાં
ઝડપથી ફેલાઇ રહેલા કોરોના વાયરસે હવે ભારતીય નૌસૈનાને પણ ચપેટમાં લઇ લીધા છે. સૂત્રો પ્રમાણે મુંબઇમાં વેસ્ટર્ન નવલ કમાન્ડમાં 26 નૌસૈનિક કોરોના પૉઝિટિવ મળી આવ્યા છે. કોરોના વાયરસ ભારતીય સૈન્ય બળમાં આટલી મોટા પ્રમાણમાં પહેલી વખત ફેલાયો છે.
ગત 14 દિવસોમાં દેશના 45 જિલ્લાઓમાંથી કોઇ કોરોના વાયરસનો કેસ નહીં : સ્વાસ્થ્ય મંત્રાલય
સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે શનિવારે નિયમિત યોજાતી પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે દેશમાં ગત 24 કલાકમાં જ 991 નવા કોરોના વાયરસના કેસ સામે આવ્યા છે. લવ અગ્રવાલે જણાવ્યું કે કોરોના વાયરસના કુલ કેસનીં સખ્યા વધીને 14,378 થઇ છે. ગત 24 કલાકમાં જ 43 લોકોના મોત થયા છે. જ્યારે દેશમાં અત્યાર સુધીમાં કુલ 480 લોકોના મોત થઇ ચૂક્યા છે. જોકે દેશ માટે રાહતના સમાચાર એ છે કે, ગત 14 દિવસોમાં દેશના 45 જિલ્લાઓમાંથી કોઇ કોરોના વાયરસનો કેસ નોંધાયો નથી. દેશમાં અત્યાર સુધીમાં કુલ 1992 લોકો કોરોના બીમારીથી ડિસ્ચાર્જ થયા છે જે 13.85 ટકા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
સ્પોર્ટ્સ / 'મેચ જલ્દી ખતમ કરો; બાળક આવવાનું છે', આખરે કેમ લાઇવ મેચમાં સાક્ષી ધોનીએ CSKને કરી આવી અપીલ
સ્પોર્ટ્સ ન્યુઝ
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
સ્પોર્ટ્સ / 'મેચ જલ્દી ખતમ કરો; બાળક આવવાનું છે', આખરે કેમ લાઇવ મેચમાં સાક્ષી ધોનીએ CSKને કરી આવી અપીલ
સ્પોર્ટ્સ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024 / સાબરકાંઠામાં મોટું ગાબડુ: અપક્ષ ઉમેદવારો ગયા ભાજપના શરણે, જુઓ કોને-કોને કર્યા કેસરિયા
Joined BJP