બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / ગુજરાત / અમદાવાદ / Kejriwals birthday keeps changing Harsh Sanghvi

નિવેદન / કેજરીવાલનો જન્મદિવસ અને વાતો બદલાતી રહે છે, ક્યારે કોના ભક્ત બની જાય તેનો કોઈ અંદાજો નથી : હર્ષ સંઘવી

Kishor

Last Updated: 04:30 PM, 9 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ અરવિંદ કેજરીવાલ પર નિવેદન આપી જણાવ્યું હતું કે તેઑ ક્યારે કોના ભક્ત બની જાય છે તેનો કોઈને અંદાજો નથી.

  • અરવિંદ કેજરીવાલ પર ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન
  • કેજરીવાલનો જન્મદિવસ બદલાતો રહે છે: હર્ષ સંઘવી
  • AAPના મંત્રી ધર્માંતરણનો મોટો કારસો રચે છે: સંઘવી

અમદાવાદમાં એક કાર્યક્રમમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર નિવેદન આપ્યું હતું. જેમાં તેમણે કેજરીવાલ પર આકરા પ્રહારો કર્યા હતા.   હર્ષ સંઘવીએ જણાવ્યું કે તેમનો જન્મ દરેક ચૂંટણીમાં બદલાઈ જતો હોય  છે. જેમાં કોઈ નવાઈની વાત નથી. ઉપરાંત ઉત્તરપ્રદેશની ચુંટણીમાં તેમની વાત અલગ હોય છે તો ઉતરાખંડ, દિલ્હી, પંજાબની ચૂંટણીમાં તેમની વાતો બદલાઇ જાય છે. જે  સૌ લોકો જાણે જ છે.

 

કેજરીવાલ ક્યારે કોના ભક્ત બની જાય તે નક્કી નથી : સંઘવી
વધુમાં હર્ષ સંઘવીએ જણાવ્યું કે AAPના મંત્રી સ્ટેજ પરથી ખુલ્લેઆમ ધર્માંતરણનો મોટો કારસો રચે છે છતાં પણ તેમના વિરુદ્ધ પગલાં લેવાને બદલે મુખ્યમંત્રી સપોર્ટ કરતા હોવાની વાતનો પણ હર્ષ સંઘવીએ ઉલ્લેખ કર્યો હતો. કરોડો લોકોની શ્રધ્ધા જેમના સાથે જોડાયેલી છે તેવા ભગવાન રામ પર તેમના મંત્રીઑ આડેધડ ટિપ્પણી આપી રહ્યા છે. કેજરીવાલ ક્યારે કોના ભક્ત બની જાય છે ? તે નક્કી નથી થતું નથી, તથા તેમના કોઈ માપદંડ પણ ન હોવાનું કહ્યું હતું. પરંતુ ગુજરાતના લોકો એમને ઓળખી ગયા છે તેમ જણાવી હર્ષ સંઘવીએ જનતાના વખાણ કર્યા હતા.

ગઇકાલે વડોદરામાં થયો હતો વિરોધ
ગઇકાલે આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તથા પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન વડોદરામાં રોડ શો યોજ્યો હતો.  રોડ શો પહેલા વડોદરાના એરપોર્ટ બહાર રોડ પર કેજરીવાલ ગો બેકનું લખાણ લખવામાં આવ્યું હતું. તો આદમી પાર્ટીના કાર્યકરોએ કેજરીવાલ વિરોધી પોસ્ટરો ફાડી નાખ્યા હતા.વધુમાં વડોદરામાં કેજરીવાલના રોડ-શોમાં કાળા વાવટા ફરક્યાં હતા. તો કયાક  રોડ શો માં મોદી...મોદી... ના નારા પણ લાગ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. આમ અરવિંદ કેજરીવાલના પોસ્ટર અને બેનર હટાવવા મુદ્દે આપ અને ભાજપના કાર્યકરો સામસામે આવી ગયા હતા અને ઘર્ષણ સજાર્યું હતું.​ 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ