બ્રેકિંગ ન્યુઝ
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
VTV / ભારત / job situation world Still 88 out of every 100 people in the country are looking for a new job on New Year
Pravin Joshi
Last Updated: 06:26 PM, 17 January 2024
દુનિયામાં નોકરીઓની હાલત કોઈનાથી છુપી નથી. આવી સ્થિતિમાં તમારી પસંદગીની નોકરી મેળવવી ખૂબ જ મુશ્કેલ બની રહી છે. હજુ પણ લોકો પોતાની નોકરી છોડીને નવી નોકરીઓ શોધી રહ્યા છે. હાલમાં જ નોકરીને લઈને એક રિપોર્ટમાં એક ચોંકાવનારો ખુલાસો થયો છે. રિપોર્ટ અનુસાર, દર 100માંથી 88 લોકો પોતાની નોકરીથી ખુશ નથી અને નવી નોકરીની શોધમાં છે. આ 88 ટકા લોકોમાં 18 થી 24 વર્ષની વયના લોકોનો સમાવેશ થાય છે, જેઓ નવા વર્ષમાં તેમની નોકરી બદલવા માંગે છે. આવો તમને એ પણ જણાવીએ કે જોબને લઈને રિપોર્ટમાં શું ખુલાસો થયો છે.
રિપોર્ટમાં થયો ખુલાસો
ઓનલાઈન જોબ સર્ચિંગ પોર્ટલ LinkedIn એ 2023 માટે પોતાનો રિપોર્ટ જાહેર કર્યો છે જેમાં સામે આવ્યું છે કે દર 100માંથી 88 લોકો તેમની નોકરીથી ખુશ નથી અને નવા વર્ષમાં તેમની નોકરી બદલવા માંગે છે. 2021 ની તુલનામાં ભારતમાં ભરતીનું સ્તર છેલ્લા મહિનામાં એટલે કે ડિસેમ્બર 2022 માં 23% ઘટ્યું છે.
સંશોધનમાં બહાર આવ્યું
30 નવેમ્બર 2022 થી 2 ડિસેમ્બર 2022 ની વચ્ચે 18 વર્ષ અને તેનાથી વધુ વયના 2 હજારથી વધુ કર્મચારીઓ પર સંશોધન દ્વારા બહાર આવ્યું છે કે લગભગ 88 ટકા યુવાનો જેમની ઉંમર 18 થી 24 વર્ષની વચ્ચે છે તેઓ તેમની નોકરી બદલવા માંગે છે. જ્યારે 45 થી 54 વર્ષની વચ્ચેના 64 ટકા લોકો નોકરી બદલવા માંગે છે. આનો અર્થ એ થયો કે વડીલો કરતાં યુવાનો આ વર્ષે નોકરી બદલવાનું વધુ વિચારી રહ્યા છે.
વધુ વાંચો : 'નોકરી જોઈતી હોય તો સેક્સ કરવું પડશે' સરકારી અધિકારીએ ફસાવી છોકરીઓ, સરઘસ કાઢીને ખુલ્લો પડાયો
નોકરી બદલવાનું કારણ
સર્વેમાં સામેલ લગભગ ત્રણ-ચતુર્થાંશ કર્મચારીઓએ નોકરી બદલવાનું ખૂબ જ આશ્ચર્યજનક કારણ આપ્યું છે. તેમણે કહ્યું કે વધતા ખર્ચ અને ઓછા પગારને કારણે કર્મચારીઓને નવી નોકરીઓ શોધવાની ફરજ પડે છે. સર્વેમાં પણ લગભગ 35% લોકો એવા છે જે વધુ પૈસાની શોધમાં છે. 33% લોકો એવા છે કે જેઓ એવી કંપનીમાં કામ કરવા માંગે છે જ્યાં તેમના અંગત અને વ્યાવસાયિક જીવન વચ્ચે સંતુલન હોય. લગભગ 32% લોકોએ કહ્યું કે તેઓને તેમની ક્ષમતાઓ પર વિશ્વાસ છે અને તેઓ વિચારે છે કે તેઓ સારા પગાર સાથે સારી નોકરી મેળવી શકે છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
આતંકી હુમલો / મણિપુરમાં મોડી રાત્રે કુકી આતંકવાદીઓએ CRPF બટાલિયન પર કર્યો હુમલો, બે જવાન શહીદ
Indian army