બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / ભાવનગર / Jignesh Mevani accused the police in the murder case in Amreli's Savarkundla

એટ્રોસિટી / સાવરકુંડલાના બગોયા ગામે યુવકની ઘાતકી હત્યા કરનાર કોણ? MLA જીગ્નેશ મેવાણીએ અમરેલી SP પર કર્યા ગંભીર આરોપ, બચવું મુશ્કેલ

Vishal Khamar

Last Updated: 06:44 PM, 4 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Savarkundla Boila Murder Case: અમરેલી જીલ્લાનાં સાવરકુંડલા તાલુકાનાં બોઈલા ગામે થયેલ યુવકની હત્યા મામલે પોલીસ દ્વારા કરાયેલ કાર્યવાહી પર ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ અનેક સવાલ ઉઠાવ્યા છે. આરોપીઓ સામે એટ્રોસિટી લગાવવામાં આવે તેમજ અમરેલી એસપીને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવે તેવી માંગ કરાઈ છે.

  • અમરેલીના સાવરકુંડલાના બોઇલા ગામે યુવકની હત્યાનો મામલો 
  • ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ પોલીસ કાર્યવાહી પર ઉઠાવ્યા સવાલ 
  • રહસ્યમય સંજોગોમાં મૃતદેહ મળે તો પોસ્ટમોર્ટમ કરવું પડે : મેવાણી 

 અમરેલી જીલ્લાનાં સાવરકુંડલા તાલુકાના બોઈલા ગામે યુવકની હત્યા મામલે ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ જણવ્યું હતું કે, પોલીસ દ્વારા છેલ્લા બે દિવસથી જે પ્રેસનોટ આપવામાં આવી એમાં એમણે એવું લખ્યું છે કે અમરેલીનાં સાવરકુંડલાનાં બોઈલા ગામે જે અરવિંદભાઈ પરમારનું મૃત્યું થયું. અને એમની લાશ જ્યારે મળી ત્યારે પરિવારજનોની ઈચ્છા ન હતી. કોઈ પણ સામાન્ય પોલીસ કોન્સ્ટેબલ પણ સમજે છે અને જાણે છે કે સી.આર.પી.સી. કલમ 174, 175 હેઠળ આવી રીતે રહસ્યમય સંજોગોમાં કોઈનું મૃત્યું થયું હોય કે લાશ મળી હોય. તે ફરજીયાત છે પોલીસનાં પક્ષે કે તાત્કાલિક ધોરણે તેનું પીએમ કરવામાં આવે અનુસુચિત જાતિ સમાજમાં પણ અગ્નિ સંસ્કારની જુદી જુદી વિધિમાં દફનાવવાની પણ એક રીત છે. અને એનાં કારણે અમારી પ્રેસ કોન્ફરન્સ બાદ એનાં એ જ દિવસે અરવિંદભાઈનાં મૃતદેહને બહાર કાઢી તેનું પીએમ કર્યું. એનો મતલબ એમ કે સરકાર અને પોલીસ તંત્રએ એક પ્રકારે પોતાની ભૂલ કબુલેલી છે. 

અરવિંદ પરમાર (મૃતક યુવક)

જીગ્નેશ મેવાણીનાં આક્ષેપ બાદ મૃતદેહને બહાર કાઢી પીએમ હાથ ધરાયું હતુ
 અમરેલીનાં સાવરકુંડલાનાં બગોયા ગામની સીમમાંથી અરવિંદ પરમાર નામનાં યુવકનો મૃતદેહ મળી આવતા સમગ્ર ગામમાં ચકચાર મચી જવા પામી હતી. જે બાદ ધારાસભ્ય જીગ્નેશ મેવાણીનાં આક્ષેપ બાદ મૃતદેહને બહાર કઢાયો હતો. ત્યારે ઉચ્ચ અધિકારીઓ દ્વારા મૃતદેહને બહાર કાઢી તેને પીએમ અર્થે મોકલવાની તજવીજ હાથ ધરાઈ હતી. તેમજ મૃતકનું પીએમ પ્રાંત કલેક્ટરની નજર હેઠળ કરવામાં આવ્યું હતું.

ફાઈલ ફોટો

યુવકનાં મૃત્યું બાદ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો
યુવકનાં મૃત્યું બાદ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જેમાં યુવક જણાવી રહ્યો છે કે મેં એસપી સાહેબ સાથે વાત કરેલી છે ચૂંટણી પછી અથવા ચૂંટણી પહેલા મારૂ મર્ડર થાય તેમ છે.  તેમજ રેકોર્ડીંગ તેમજ ઓડિયો મારી પાસે છે.  ત્યારે નનકુભાઈ દરબાર તેમજ અન્ય જ્ઞાતિનાં લોકો પણ છે તે તમામ લોકોની અરજી મેં આપેલી છે. તેમજ તેની ટપાલો પણ મારા ઘરે આવેલી છે. તેમજ મેં  આઠ જીલ્લાની પોલીસને જાણ કરી છે.  ત્યારે કોઈ પણ મારૂ મર્ડર કરે તો સૌથી પહેલા નનકુભા દરબારને પકડવાનો.  મારૂ મર્ડર થાય તેની જવાબદારી નનકુભાની છે. પણ મારૂ મર્ડર કરવું હોય તો વાહેથી વાર ન કરતા. અમે પાંચ પાંડવો છીએ હું એક જતો રહીશને તો કંઈ ફરક નહી પડે. 

 

 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ