બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Jamnagar's senior cardiologist Dr. Gaurav Gandhi died of a heart attack

દુઃખદ / જામનગરના ખ્યાતનામ હ્રદયરોગ નિષ્ણાંત ડૉ. ગૌરવ ગાંધીનું હાર્ટ એટેકથી નિધન, તબીબી જગતમાં ઘેરો શોક

Malay

Last Updated: 11:40 AM, 6 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Jamnagar News: જામનગરના ખ્યાતનામ હ્રદયરોગ નિષ્ણાંત ડૉ.ગૌરવ ગાંધીનું હાર્ટ એટેકને કારણે નિધન થયું છે. ડૉ. ગાંધીના નિધનથી તબીબી આલમ સહિત પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.

 

  • હાર્ટ એટેકના કેસમાં સતત વધારો
  • ખ્યાતનામ હ્રદય રોગ નિષ્ણાતનુ નિધન
  • હાર્ટ એટેકને કારણે તબીબનું મોત

છેલ્લા ઘણા દિવસથી નાની ઉંમરના વ્યક્તિઓમાં હાર્ટ એટેકના બનાવો વધ્યા છે. લગ્નમાં નાચતી વખતે, ક્રિકેટ રમતી વખતે, વાહન ચલાવતી વખતે કે પછી જીમમાં કસરત કરતી વખતે હાર્ટ એટેક આવવાની સાથે જ સ્થળ પર જ મૃત્યુના કિસ્સાઓ દિવસેને દિવસે સામે આવી રહ્યા છે. ત્યારે હાલ જામનગરમાંથી પણ એક એવી જ ઘટના સામે આવી છે. જેમાં શહેરના એક જાણીતા તબીબનું હાર્ટ એટેક આવવાના કારણે નિધન થયું છે. 

ગૌરવ ગાંધીનું 41 વર્ષની વયે નિધન 
જામનગર શહેરના ખ્યાતનામ હ્રદયરોગ નિષ્ણાંત ડોક્ટર ગૌરવ ગાંધીનું 41 વર્ષની વયે નિધન થયું છે. હ્રદયરોગનો હુમલો આવતા તેમનું નિધન થયું છે. ડૉ. ગૌરવ ગાંધીના નિધનના કારણે જામનગરના તબીબોમાં શોકનો માહોલ ફરી વળ્યો છે.  

હ્રદય રોગ નિષ્ણાત ડૉ.ગૌરવ ગાંધીનું નિધન

માર્ચ મહિનામાં ડૉ.સંજીવ ચગનું થયું હતું નિધન
આપને જણાવી દઈએ કે, રાજ્યના જાણીતા હાર્ટ સ્પેશ્યાલિસ્ટ ડૉ.મિલન ચગના ભાઈ અને જામનગરના જાણીતા સ્કીન સ્પેશ્યાલિસ્ટ ડૉ.સંજીવ ચગનું ગત 3 માર્ચના રોજ મોર્નિંગ વોક દરમિયાન હાર્ટ એટેક આવતા નિધન થયું હતું. 

ડૉ.સંજીવ ચગ

ચાલતા-ચાલતા ઢળી પડ્યા હતા ડૉ સંજીવ ચગ
જામનગરના જોલી બંગલા રોડ ઉપર ક્લિનિક ધરાવતા સ્કીન સ્પેશ્યાલિસ્ટ 57 વર્ષના ડૉ.સંજીવ ચગ ગત 3 માર્ચના રોજ સવારે પાર્ક કોલોનીમાં આવેલા તેના નિવાસસ્થાનથી મોર્નિંગ વોક માટે નિકળ્યા હતા. આ દરમિયાન તેઓ સેન્ટ આન્સ સ્કૂલ સામેના બેંક રોડ ઉપરથી ચાલતા-ચાલતા ઢળી પડ્યા હતા. જે બાદ વોકિંગમાં નિકળેલા લોકોએ તુરંત જ 108 એમ્બ્યુલન્સને બોલાવી હતી. તેઓને જી.જી.હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તબીબો દ્વારા તેઓને પમ્પીંગ સહિતની સઘન સારવાર આપવામાં આવી હતી. જોકે, બાદમાં તેઓને મૃત જાહેર કરાયા હતા. 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ