બ્રેકિંગ ન્યુઝ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ
લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી
લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી
અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું
VTV / jammu kashmir delimitation commission released final report latest news
Dhruv
Last Updated: 03:35 PM, 5 May 2022
જમ્મુ-કાશ્મીરમાં સીમાંકન પૂર્ણ થયું છે. ત્યારે હવે જમ્મુ-કાશ્મીરમાં કુલ 90 બેઠકોની વિધાનસભામાં નવા સમીકરણ સર્જાશે. વિધાનસભા સીટોના સીમાંકનની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જમ્મુ-કાશ્મીરમાં કુલ સાત વિધાનસભા સીટો વધશે. રિપોર્ટ અનુસાર જમ્મુ ક્ષેત્રમાં 6 અને કાશ્મીરમાં એક બેઠક વધશે. એ મુજબ, જમ્મુ-કાશ્મીરમાં કુલ 90 વિધાનસભા બેઠકો હશે. જેમાંથી 47 કાશ્મીર વિભાગની અને 43 જમ્મુ વિભાગની હશે. આ ઉપરાંત અનુસૂચિત જનજાતિ માટે 9 અને અનુસૂચિત જાતિ માટે 07 બેઠકો અનામત રાખવામાં આવશે.
As per the final Delimitation Order, the following will come into effect from the date to be notified by the Central Govt- Out of the 90 Assembly Constituencies in the region, 43 will be part of the Jammu region and 47 of the Kashmir region.
— ANI (@ANI) May 5, 2022
જમ્મુ-કાશ્મીર વિધાનસભાનું સૂચિત ચિત્ર
જણાવી દઇએ કે, જમ્મુ-કાશ્મીર સીમાંકન પંચે કેન્દ્રશાસિત પ્રદેશનો અંતિમ અહેવાલ જાહેર કરી દીધો છે. રાજ્યમાં વિધાનસભા અને લોકસભા સીટોનું સીમાંકન નક્કી કરવાની જવાબદારી કમિશનની હતી, જે આજે પૂરી થઈ ગઈ છે. ઘાટીમાં વિધાનસભા ચૂંટણી માટે આ અહેવાલની રાહ જોવાઈ રહી હતી. ત્યારે હવે એવી આશા સેવાઇ રહી છે કે, ટૂંક સમયમાં જ જમ્મુ-કાશ્મીરમાં પણ ચૂંટણીનું બ્યુગલ વાગી શકે છે.
દરેક લોકસભામાં હશે 18 વિધાનસભા ક્ષેત્ર
સીમાંકન પંચે જમ્મુ-કાશ્મીરની લોકસભા બેઠકોમાં પણ ફેરબદલ કર્યો છે. હવે કાશ્મીર અને જમ્મુ બંને વિભાગમાં અઢી-અઢી લોકસભા બેઠકો હશે. અગાઉ જમ્મુ વિભાગમાં ઉધમપુર ડોડા અને જમ્મુ અને કાશ્મીરમાં બારામુલા, અનંતનાગ અને શ્રીનગરમાં બેઠકો હતી. નવી વ્યવસ્થા હેઠળ અનંતનાગ સીટ હવે અનંતનાગ-રાજોરી પુંછ તરીકે ઓળખાશે એટલે કે જમ્મુ સીટમાંથી બે જિલ્લા રાજોરી અને પૂંચને બહાર કાઢીને અનંતનાગમાં સામેલ કરવામાં આવ્યા છે. દરેક લોકસભા સીટમાં 18 વિધાનસભા સીટો હશે. ઉધમપુર સીટથી રિયાસી જિલ્લાને હટાવીને જમ્મુમાં ઉમેરવામાં આવ્યો છે.
Delimitation Commission for JK signs its final order on restructuring of assembly seats in the union territory: EC spokesperson
— Press Trust of India (@PTI_News) May 5, 2022
સાત બેઠકો વધી, છ જમ્મુમાં અને એક કાશ્મીરમાં
સ્ટેટ્સ રિઓર્ગેનાઈઝેશન એક્ટ મુજબ સાત વિધાનસભા સીટો વધારવાની છે. આ સાથે વિધાનસભામાં સભ્યોની સંખ્યા 83 થી વધારીને 90 કરવી પડશે. કેન્દ્રશાસિત પ્રદેશ બનતા પહેલા, વિધાનસભાની બેઠકોની સંખ્યા 87 હતી, જેમાંથી ચાર સીટો લદ્દાખની હતી. લદ્દાખના અલગ થવાથી 83 સીટો બાકી હતી જે વધીને 90 થઈ જશે. સીમાંકન પંચે સાત બેઠકોમાંથી કાશ્મીરમાં એક સીટ અને જમ્મુ વિભાગમાં છ બેઠકોનો વધારો કર્યો છે.
ઓક્ટોબરમાં યોજાઈ શકે છે વિધાનસભા ચૂંટણી
જમ્મુ-કાશ્મીરમાં ઓક્ટોબર સુધીમાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ શકે છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ફેબ્રુઆરીમાં કહ્યું હતું કે, સીમાંકનની પ્રક્રિયા ટૂંક સમયમાં પૂર્ણ થવા જઈ રહી છે. આગામી છથી આઠ મહિનામાં વિધાનસભાની ચૂંટણી યોજાશે. તેમાં કોઈ શંકા નથી. એવું માનવામાં આવી રહ્યું છે કે, અમરનાથ યાત્રા પછી વિધાનસભાની ચૂંટણી યોજવી વધુ અનુકૂળ માનવામાં આવે છે કારણ કે યાત્રાની સુરક્ષા વ્યવસ્થા માટે કેન્દ્રીય દળો રાજ્યમાં હાજર રહેશે. ચૂંટણીમાં સુરક્ષા વ્યવસ્થા માટે કોઈ વધારાની ઝુંબેશ રાખવામાં નહીં આવે.
જાણો શું હોય છે આ સીમાંકન?
સીમાંકન એ કાયદાકીય સંસ્થા સાથે પ્રાદેશિક મતવિસ્તારની સીમાઓ નક્કી કરવાની એક પ્રક્રિયા છે. સીમાંકનનું કામ ઉચ્ચ સત્તા ધરાવતી સંસ્થાને આપવામાં આવે છે. કેન્દ્રશાસિત પ્રદેશ બન્યા બાદ પ્રદેશમાં એકવાર ફરી રાજ્યમાં સીમાંકન માટેનું કમિશન બનાવવામાં આવ્યું છે. આ વખતે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજ રંજના પ્રકાશ દેસાઈની અધ્યક્ષતામાં સીમાંકન પંચની રચના કરવામાં આવી છે.
જાણો જમ્મુ-કાશ્મીરમાં છેલ્લું સીમાંકન ક્યારે થયું હતું?
જમ્મુ-કાશ્મીરમાં છેલ્લું સીમાંકન 1995માં કરવામાં આવ્યું હતું. તે સમયે જમ્મુ-કાશ્મીરમાં 12 જિલ્લા અને 58 તાલુકાઓ હતા. હાલમાં રાજ્યમાં 20 જિલ્લા અને 270 તાલુકાઓ છે. તમને જણાવી દઇએ કે, છેલ્લું સીમાંકન 1981ની વસ્તી ગણતરી પર આધારિત હતું. જ્યારે આ વખતે સીમાંકન પંચ 2011ની વસ્તી ગણતરીના આધારે સીમાંકનની કામગીરી કરી રહ્યું છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
સ્પોર્ટ્સ / 'મેચ જલ્દી ખતમ કરો; બાળક આવવાનું છે', આખરે કેમ લાઇવ મેચમાં સાક્ષી ધોનીએ CSKને કરી આવી અપીલ
સ્પોર્ટ્સ ન્યુઝ
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
સ્પોર્ટ્સ / 'મેચ જલ્દી ખતમ કરો; બાળક આવવાનું છે', આખરે કેમ લાઇવ મેચમાં સાક્ષી ધોનીએ CSKને કરી આવી અપીલ
સ્પોર્ટ્સ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024 / સાબરકાંઠામાં મોટું ગાબડુ: અપક્ષ ઉમેદવારો ગયા ભાજપના શરણે, જુઓ કોને-કોને કર્યા કેસરિયા
Joined BJP