બ્રેકિંગ ન્યુઝ
અમદાવાદ- મોડાસા હાઈવે પર ટ્રક અને બાઈકનો અકસ્માત, ઘટનામાં બાઈક ચાલકનું મોત
રાજ્યમાં આજે સવારે 6થી સાંજે 4 વાગ્યા સુધી 8 તાલુકામાં વરસાદ નોંધાયો
રાજ્યમાં ફરી કમોસી વરસાદની આગાહી, આજે રાત સુધી પવન સાથે રાજ્યના તમામ જિલ્લામાં વરસાદ થવાની શક્યતા
ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને 17 મેએ મળશે માર્કશીટ
સુરતના 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ન્હાવા પડતા ડૂબ્યા, એક યુવકનો બચાવ, 7 લોકોની શોધખોળ શરૂ
અમદાવાદના પ્રહલાદનગરમાં કોમર્સ હાઉસમાં લાગીલી આગ કાબૂમાં, બિલ્ડિંગમાં ફયાસેલ 64 લોકોનું કરાયું રેસ્ક્યૂ
ખોડલધામ ખાતે શંકરસિંહ વાઘેલા અને નરેશ પટેલ વચ્ચે થઈ મુલાકાત, શંકરસિંહ વાઘેલાએ ખોડલધામ મંદિરમાં કર્યા દર્શન
રાજ્યમાં 24 કલાકમાં 118 તાલુકાઓમાં વરસાદ, અમરેલીના સાવરકુંડલામાં સૌથી વધુ અઢી ઇંચ વરસાદ
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કેસમાં નવો વળાંક
PM મોદીએ વારાણસીથી ભર્યું નામાંકન પત્ર
VTV / Assembly election 2023 / ગુજરાત / Politics / Jagdish Thakor attacked the BJP
Dinesh
Last Updated: 11:28 PM, 25 November 2022
ADVERTISEMENT
વિધાનસભા ચૂંટણીને આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે તેવામાં ગાંધીનગરના પેથાપુરમાં કોંગ્રેસની જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોર અને રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહીલ ઉપસ્થિતીમાં જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જગદીશ ઠાકોર જનસભામાં ભાજપનું સંકલ્પ પત્રને લઈ શાબ્દિક પ્રહારો કર્યા હતા. મોંઘવારી, મોરબી દૂર્ઘટના અને લઠ્ઠાકાંડ જેવા મુદ્દાઓને લઈ ભાજપ પર પ્રહાર કર્યા હતા સાથે જ કોંગ્રેસ ગુજરાતમાં 125 બેઠક મેળવીને જંગી જીત મેળવશે તેવો દાવો પણ કર્યા હતો.
જગદીશ ઠાકોરનું નિવેદન
કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે ભાજપ પ્રહાર કરતા જણાવ્યું હતું કે, ભાજપનું સંકલ્પ પત્ર માત્ર શબ્દોનું શણગાર છે તેમણે કહ્યું કે, ભાજપ મોંઘવારી, મોરબી દૂર્ઘટના અને લઠ્ઠાકાંડ પર ચર્ચા કરતી નથી તેમણે જણાવ્યું કે, ભાજપમા જનારા કોંગ્રેસ વરરાજા છે જ્યારે ભાજપની કાર્યકરો માત્ર જાનૈયા છે. તેમણે દાવો કરતા કહ્યું કે, કોંગ્રેસ ગુજરાત મા 125 બેઠક મેળવીને જીતશે.
ADVERTISEMENT
ઇન્દ્રનીલ રાજ્યગુરુના આક્ષેપ
રાજકોટ વિધાનસભા 68માં વિધાનસભાની ચૂંટણીનો માહોલ ચરમસીમાએ છે આજે ઇન્દ્રનીલ રાજ્યગુરુની જંગલેશ્વર વિસ્તારમાં જનસભા યોજાઈ હતી જેમાં રાજ્યસભાના સાંસદ અને સાયર ઇમરાન પ્રતાપગઢી હાજર રહ્યા હતા. ઇન્દ્રનીલ રાજ્યગુરુએ જણાવ્યું હતું કે હું આ વિસ્તારમાં 5 વર્ષ ધારાસભ્ય રહ્યો હતો , જંગલેશ્વર વિસ્તાર ને ખોટી રીતે બદનામ કરવા આવી રહ્યો છે, ભાજપના કાર્યકરોને દબાવી કામ લેવામાં આવી રહ્યા છે.
શક્તિસિંહ ગોહિલના ભાજપ પ્રહાર
શક્તિસિંહ ગોહિલે પ્રહાર કરતા કહ્યું કે, ભાજપ કહે છે કે, ગુજરાત મેં બનાવ્યું છે અંધભક્ત કહે છે કે મેં અને નરેન્દ્ર મોદીએ ગુજરાત બનાવ્યું છે. હકીકતમાં તો ગુજરાતની જનતા એમ કહે છે કે ભાજપવાળા ગુજરાતને ‘બનાવી’ ગયા. ભાજપે ગુજરાતને છેતર્યું છે અને કેવી રીતે બનાવ્યું છે તેને સાબિત કરવા માટે એક દાખલો અહી રજુ કરું છું. ભાજપ કહે છે કે અમે મફત વેક્સિનેશન આપ્યું અને વડાપ્રધાનમોદી તેમની દરેક સભાઓમાં વેક્સિનેશનની વાત કરી રહ્યાં છે. ગુજરાતની અંદર મફત વેક્સિનેશનના નામે ખુબ જ મોટું કૌભાંડ આચરવામાં આવ્યું છે તેમણે કહ્યું કે, ભરોસાની ભેંસના સ્લોગન માત્ર હોર્ડિંગ્સ ઉપર છે. ગુજરાતના લોકોએ સારો વહીવટ કરવા માટે જે ભેંસને ખુબ ઘાસ ખવડાવ્યું, માવજત કરી અને આ ભરોસાની ભેંસે પાડી આપવાના બદલે ભય, ભુખ અને ભ્રષ્ટાચારનો પાડો આપ્યો કે જેને ખેતીના કામમાં ન જોતરી શકાય, ના વેચી શકાય કે ના ગાડે જોડી શકાય.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT