બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદ- મોડાસા હાઈવે પર ટ્રક અને બાઈકનો અકસ્માત, ઘટનામાં બાઈક ચાલકનું મોત

logo

રાજ્યમાં આજે સવારે 6થી સાંજે 4 વાગ્યા સુધી 8 તાલુકામાં વરસાદ નોંધાયો

logo

રાજ્યમાં ફરી કમોસી વરસાદની આગાહી, આજે રાત સુધી પવન સાથે રાજ્યના તમામ જિલ્લામાં વરસાદ થવાની શક્યતા

logo

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને 17 મેએ મળશે માર્કશીટ

logo

સુરતના 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ન્હાવા પડતા ડૂબ્યા, એક યુવકનો બચાવ, 7 લોકોની શોધખોળ શરૂ

logo

અમદાવાદના પ્રહલાદનગરમાં કોમર્સ હાઉસમાં લાગીલી આગ કાબૂમાં, બિલ્ડિંગમાં ફયાસેલ 64 લોકોનું કરાયું રેસ્ક્યૂ

logo

ખોડલધામ ખાતે શંકરસિંહ વાઘેલા અને નરેશ પટેલ વચ્ચે થઈ મુલાકાત, શંકરસિંહ વાઘેલાએ ખોડલધામ મંદિરમાં કર્યા દર્શન

logo

રાજ્યમાં 24 કલાકમાં 118 તાલુકાઓમાં વરસાદ, અમરેલીના સાવરકુંડલામાં સૌથી વધુ અઢી ઇંચ વરસાદ

logo

સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કેસમાં નવો વળાંક

logo

PM મોદીએ વારાણસીથી ભર્યું નામાંકન પત્ર

VTV / Assembly election 2023 / ગુજરાત / Politics / Jagdish Thakor attacked the BJP

આકરા-પ્રહાર / ભાજપનું સંકલ્પ પત્ર માત્ર શબ્દોનું શણગાર હશે, મોંઘવારી, પેપરલીકના મુદ્દે જગદીશ ઠાકોર BJP પર વરસ્યા

Dinesh

Last Updated: 11:28 PM, 25 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જગદીશ ઠાકોરે ભાજપ પર કર્યા આકરા પ્રહાર કહ્યું કે, ભાજપનું સંકલ્પ પત્ર માત્ર શબ્દોનું શણગાર

  • ગાંધીનગરમાં કોંગ્રેસનો પ્રચંડ પ્રચાર
  • જગદીશ ઠાકોરે ભાજપ પર કર્યા પ્રહાર
  • "ભાજપનું સંકલ્પ પત્ર માત્ર શબ્દોનું શણગાર"

વિધાનસભા ચૂંટણીને આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે તેવામાં ગાંધીનગરના પેથાપુરમાં કોંગ્રેસની જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોર અને રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહીલ ઉપસ્થિતીમાં જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જગદીશ ઠાકોર જનસભામાં ભાજપનું સંકલ્પ પત્રને લઈ  શાબ્દિક પ્રહારો કર્યા હતા. મોંઘવારી, મોરબી દૂર્ઘટના અને લઠ્ઠાકાંડ જેવા મુદ્દાઓને લઈ ભાજપ પર પ્રહાર કર્યા હતા સાથે જ કોંગ્રેસ ગુજરાતમાં 125 બેઠક મેળવીને જંગી જીત મેળવશે તેવો દાવો પણ કર્યા હતો.

જગદીશ ઠાકોરનું નિવેદન
કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે ભાજપ પ્રહાર કરતા જણાવ્યું હતું કે, ભાજપનું સંકલ્પ પત્ર માત્ર શબ્દોનું શણગાર છે તેમણે કહ્યું કે, ભાજપ મોંઘવારી, મોરબી દૂર્ઘટના અને લઠ્ઠાકાંડ પર ચર્ચા કરતી નથી તેમણે જણાવ્યું કે, ભાજપમા જનારા કોંગ્રેસ વરરાજા છે જ્યારે ભાજપની કાર્યકરો માત્ર જાનૈયા છે. તેમણે દાવો કરતા કહ્યું કે,  કોંગ્રેસ ગુજરાત મા 125 બેઠક મેળવીને જીતશે.

ઇન્દ્રનીલ રાજ્યગુરુના આક્ષેપ
રાજકોટ વિધાનસભા 68માં વિધાનસભાની ચૂંટણીનો માહોલ ચરમસીમાએ છે આજે ઇન્દ્રનીલ રાજ્યગુરુની જંગલેશ્વર વિસ્તારમાં જનસભા યોજાઈ હતી જેમાં રાજ્યસભાના સાંસદ અને સાયર ઇમરાન પ્રતાપગઢી હાજર રહ્યા હતા. ઇન્દ્રનીલ રાજ્યગુરુએ જણાવ્યું હતું કે હું આ વિસ્તારમાં 5 વર્ષ ધારાસભ્ય રહ્યો હતો , જંગલેશ્વર વિસ્તાર ને ખોટી રીતે બદનામ કરવા આવી રહ્યો છે, ભાજપના કાર્યકરોને દબાવી કામ લેવામાં આવી રહ્યા છે. 

શક્તિસિંહ ગોહિલના ભાજપ પ્રહાર
શક્તિસિંહ ગોહિલે પ્રહાર કરતા કહ્યું કે, ભાજપ કહે છે કે, ગુજરાત મેં બનાવ્યું છે અંધભક્ત કહે છે કે મેં અને નરેન્દ્ર મોદીએ ગુજરાત બનાવ્યું છે. હકીકતમાં તો ગુજરાતની જનતા એમ કહે છે કે ભાજપવાળા ગુજરાતને ‘બનાવી’ ગયા. ભાજપે ગુજરાતને છેતર્યું છે અને કેવી રીતે બનાવ્યું છે તેને સાબિત કરવા માટે એક દાખલો અહી રજુ કરું છું. ભાજપ કહે છે કે અમે મફત વેક્સિનેશન આપ્યું અને વડાપ્રધાનમોદી તેમની દરેક સભાઓમાં વેક્સિનેશનની વાત કરી રહ્યાં છે. ગુજરાતની અંદર મફત વેક્સિનેશનના નામે ખુબ જ મોટું કૌભાંડ આચરવામાં આવ્યું છે તેમણે કહ્યું કે, ભરોસાની ભેંસના સ્લોગન માત્ર હોર્ડિંગ્સ ઉપર છે. ગુજરાતના લોકોએ સારો વહીવટ કરવા માટે જે ભેંસને ખુબ ઘાસ ખવડાવ્યું, માવજત કરી અને આ ભરોસાની ભેંસે પાડી આપવાના બદલે ભય, ભુખ અને ભ્રષ્ટાચારનો પાડો આપ્યો કે જેને ખેતીના કામમાં ન જોતરી શકાય, ના વેચી શકાય કે ના ગાડે જોડી શકાય.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ