બ્રેકિંગ ન્યુઝ
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
VTV / ગુજરાત / અમદાવાદ / issue will be resolved soon Rishikesh Patels important statement regarding Kisan Sanghs movement in Gandhinagar
Kishor
Last Updated: 04:36 PM, 28 August 2022
કિસાન સંઘના આંદોલનમાં મહિલાઓ જોડાઈ
સરકાર માગણી નહિ સ્વીકારે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી
ટૂંક સમયમાં પ્રશ્ન હલ કરવામાં આવશેઃ ઋષિકેશ પટેલ
ગાંધીનગર ખાતે રી-સરવેની અરજીનો નિકાલ કરવા સહીત પડતર માંગણીઓને ખેડૂતો ભારતીય કિસાન સંઘના નેજા હેઠલ આંદોલન કરી રહ્યા છે. આ કિસાન સંઘની માંગણીઓને લઇ મંત્રી ઋષિકેશ પટેલે મહત્વનું નિવેદન આપ્યું છે. જેમણે જણાવ્યું કે કિસાન સંઘની માગ અંગે સરકાર દ્વારા બેઠક કરવામાં આવી છે. આંદોલનને લઇને સિનિયર મંત્રીઓ સાથે બેઠક કરાયા બાદ પ્રશ્નોના હલ માટે વિચારણા ચાલી રહી હોવાનું ઋષિકેશ પટેલે ઉમેર્યું હતું. જે અંગે સરકાર હકારાત્મક વલણ અપનાવી ટૂંક સમયમાં પ્રશ્ન હલ કરવામાં આવશે તેવી ઋષિકેશ પટેલે ખાતરી આપી હતી.
કિસાન સંઘના આંદોલનમાં ગુજરાતભરમાંથી મહિલાઓ જોડાઈ
બીજી તરફ આ આંદોલનનો આજે ત્રીજો દિવસ છે. ત્રણ દિવસના આંદોલન છતાં સરકાર દ્વારા નમતું ન જોખવામાં આવતા આજે મહિલાઑ પણ જોડાઈ હતી. ગુજરાતભરમાથી મહિલાઑએ ઉમટી પડી હતી અને સરકાર માંગણી નહિં સ્વીકારે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી. વધુમાં આ મામલે ખેડૂતોની પરેશાની પારખી PM નરેન્દ્ર મોદી અને અમિત શાહ સહીતના નેતાઑ મધ્યસ્થી કરે તેવી માંગણી ઉઠાવી હતી.
વીજબિલ, રી-સર્વે સહીતની માંગ
હોર્સપાવરના આધારે વીજબિલ આપવાની માંગ, રી-સરવેની અરજીનો નિકાલ કરવાની માંગણી, ખાતર સહીતના મુદે ખેડૂત આગેવાનોએ અનેક વખત રજૂઆત કરવા છતાં સમસ્યાનો ઉકેલ આવ્યો નથી. ખેડૂતોના પ્રશ્ને સરકાર જાણી જોઈને આંખ આડા કાન કરતી હોવાના પણ ખેડૂત આગેવાનોએ આરોપ લગાવ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir