બ્રેકિંગ ન્યુઝ
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
VTV / લાઈફસ્ટાઈલ / Is it necessary to complete the notice period after resigning from the office know
Megha
Last Updated: 09:57 AM, 27 March 2024
દરેક લોકો સારો અભ્યાસ કરીને સારી નોકરી મેળવવાની અપેક્ષા રાખે છે. એવા ઘણા ઓછા લોકો છે જેઓ તેમની આખી જીંદગી એક જ કંપનીમાં કામ કરીને વિતાવે છે. સારા પદ અને સારા પગાર માટે લોકો સમયાંતરે નોકરીઓ બદલવા માટે જૂની નોકરીમાં રાજીનામું આપે છે. જો કે રેઝિગ્નેશન પછી પણ ત્યાં એક પ્રોસેસ છે જેનું પાલન કર્મચારીએ કરવું પડે છે.
જે લોકો નોકરી કરે છે એ લોકો નવી નવી નોકરીની ખોજ કરતાં રહે છે અને જ્યારે નવી નોકરી મળે છે ત્યારે જૂની નોકરીમાંથી રાજીનામું આપે છે. એ સમયે એમને કંપનીમાં નોટિસ પીરિયડ પૂરો કરવો પડે છે. જણાવી દઈએ કે નોટિસ પિરિયડ પૂરો કરવાના નિયમ લગભગ દરેક કંપનીઓમાં અલગ અલગ છે. જો કે નોટિસ પીરિયડ પૂરા કર્યા વિના એ કર્મચારી નોકરી છોડી શકે છે પણ આ સ્થિતિમા તેને અમુક નિશ્ચિત નિયમોનું પાલન કરવું પડે છે અને આ નિયમો આર્થિક દૃષ્ટિકોણથી કર્મચારી માટે ફાયદાકારક નથી હોતા. એટલા માટે જ રાજીનામું આપ્યા પછી નોટિસ પીરિયડની સર્વ કરવો જરૂરી બને છે.
જ્યારે પણ તમે કોઈ કંપનીમાં જોડાઓ છો ત્યારે ઘણા પ્રકારના દસ્તાવેજો પર સહી કરાવવામાં આવે છે અને એ દસ્તાવેજોમાં કંપનીની પોલિસી સાથે કામ કરવાની શરતો પણ સામેલ છે. તેમાં જ નોટિસ પીરિયડ વિશે પણ માહિતી લખવામાં આવી હોય છે. ઉદાહરણ તરીકે જો નક્કી કરવામાં આવેલ નોટિસ પિરિયડ કરતાં ઓછો નોટિસ પિરિયડ સર્વ કરવો હોય કે જો તમે નોટિસનો સમયગાળો પૂરો કરવા માંગતા નથી, તો તમારે કઈ પ્રક્રિયાને અનુસરવાની રહેશે આ વિશે દરેક માહિતી દસ્તાવેજોમાં મળી આવે છે.
જણાવી દઈએ કે કંપનીઓ નોટિસ પિરિયડનો નિયમ રાખે છે જેથી જો કોઈ વ્યક્તિ નોકરી છોડીને જવાની સ્થિતિમાં હોય ત્યારે નોટિસ પિરિયડ દરમિયાન તેની જગ્યાએ બીજા કોઈ કર્મચારીને શોધી શકે. આ રીતે કંપનીના કામને અસર થતી નથી. રાજીનામું આપતાની સાથે જ કંપની નવા ઉમેદવારની શોધ શરૂ કરી.
વધુ વાંચો: PPFમાં દર મહિને આ વાતનું ખાસ ધ્યાન રાખજો, નહીં તો વ્યાજમાં થશે મોટું નુકસાન
હવે સૌથી સામાન્ય પ્રશ્ન એ છે કે નોટિસ પિરિયડ કેટલો હોય છે? તો જણાવી દઈએ કે નોટિસ પિરિયડનો કોઈ નિશ્ચિત નિયમ નથી. દરેક કંપની તેની કોન્ટ્રાક્ટ પોલિસીમાં આનો ઉલ્લેખ કરે છે પણ સામાન્ય રીતે પ્રોબેશન પરના કર્મચારી માટે નોટિસનો સમયગાળો 15 દિવસથી એક મહિનાનો હોય છે, જ્યારે કાયમી કર્મચારીઓ માટે નોટિસનો સમયગાળો બે થી ત્રણ મહિનાનો હોય છે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir