બ્રેકિંગ ન્યુઝ
Arohi
Last Updated: 05:15 PM, 15 March 2024
ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની આઈપીએલથી ક્યારે સન્યાસ લેશે તે હજુ સુધી નક્કી નથી. ગઈ સિઝનને ધોનીને છેલ્લી સિઝન માનવામાં આવી રહી હતી પરંતુ આ સ્ટાર ખેલાડીએ ફાઈનલ જીત્યા બાદ બીજી સીઝનમાં રમવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. ધોનીની સાથે ચેન્નાઈ સુપર કિંગ્સમાં રમી ચુકેલા રોબિન ઉથપ્પાએ જણાવ્યું કે ધોની જો સન્યાસ લેશે તો તેનું કારણે બેટિંગ નહીં વિકેટકીપિંગ હશે.
ADVERTISEMENT
ADVERTISEMENT
ધોની માટે વિકેટકીપિંગ મુશ્કેલ
રોબિને જણાવ્યું કે ધોનીને ઘૂંટણનો દુખાવો રહે છે. પરંતુ ચેન્નાઈ સુપર કિંગ્સ તેમને જવા નથી દેવા માંગતું. રોબિને કહ્યું, "જો ધોની વ્હીલચેર પર હશે તો પણ સીએસકે તેમને રમાડવા માંગશે. વ્હીલચેરથી ઉતરો, બેટિંગ કરો અને પાછું બેસી જાઓ. પરંતુ મને નથી લાગતું કે ધોનીને આ વખતે બેટિંગની કોઈ સમસ્યા છે. બેટિંગ તેમના માટે ક્યારેય સમસ્યા નથી રહી. મારા ખ્યાલથી વિકેટકીપિંગ ચિંતાનો વિષય બની શકે છે. તેમના ઘૂંટણમાં સોજા રહે છે. પરંતુ તેમને કીપિંગથી પ્રેમ છે. જો ધોનીને લાગ્યું કે તે ટીમ માટે યોગદાન નથી આપી રહ્યા તો તે આગળ વધી જશે."
કુંબલેએ કહ્યું ખૂબ જ મજબૂત છે ધોની
આ વાતચીત વખતે કુંબલેએ પણ ધોનીના વખાણ કર્યા. તેમણે કહ્યું, "હું એમએસના સાથે આઈપીએલમાં ક્યારેય નથી રમ્યો. જ્યારે ટીમ ઈન્ડિયામાં તે મારી સાથે હતો ત્યારે તે પહેલો વ્યક્તિ હતો જે મને ઉઠાવી શકતા હતા. મને લાગે છે કે તે તે ટીમમાં સૌથી મજબૂત હતા જે મારા જેવા ભારે વ્યર્તિને ઉઠાવી શકતો હતો. આ મારા માટે શાનદાર ક્ષણ હતી."
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.