બ્રેકિંગ ન્યુઝ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ
લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી
લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી
અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું
Dinesh
Last Updated: 07:07 PM, 8 July 2023
સુરત જિલ્લાના મહુવા તાલુકાના બારોળિયાં ફળિયામાં રહેતા અને હાલ વડોદરા જિલ્લામાં ફરજ બજાવતા એક અધિકારીએ પોતાના ઘરમાં બનેલ મરણ પ્રસંગને અનોખું રૂપ આપ્યું હતું. પોતાના પિતાનું નિધન થતાં મરણોત્તર ક્રિયામાં પધારેલા સૌ સ્નેહીજનોને પર્યાવરણ જાળવણીના સંદેશ સાથે વિવિધ પ્રકારના વૃક્ષોના છોડ આપી મિલેટ્સ મહોત્સવ અંતર્ગત નાગલીના પાપડ સહિતની કીટ વિતરણ કરી અનોખો સંદેશ પાઠવ્યો હતો.
જાગૃતિ સભર અભિગમ
સુરત જિલ્લાના આદિવાસી વિસ્તાર ગણાતા મહુવા પંથકના સરકારી અધિકારી કે જે પોતે ખેતીવાડી વિભાગમાં વડોદરા જિલ્લામાં ફરજ બજાવે છે પરંતુ તેમના પિતાનું ગત 26મી જુનના રોજ નિધન થતા આજે તેમના વતન મહુવા નજીક આવેલ બારોળિયા ફળિયામાં મરણોત્તર ક્રિયા માટે બારમાંની વિધિ રાખવામાં આવી હતી. જોકે આ મરણોત્તર વિધિમાં કૃષિ અધિકારીએ એવા જાગૃતિ સભર અભિગમો દર્શાવ્યા કે, જેનાથી સૌ કોઈ આશ્ચર્યચકિત થઈ ગયા હતાં
મિલેટ્સ કીટનું પણ વિતરણ કરવામાં આવ્યું
ખાસ કરીને આદિવાસી સમાજમાં કોઈપણ વ્યક્તિનું મૃત્યુ થાય ત્યારબાદ ઘણી બધી પ્રથાઓ જોડાયેલી હોય છે. જોકે આ મહેશભાઈ માધુભાઈ પટેલના પરિવારજનો આ તમામ પ્રથાઓને તિલાંજલિ આપીને મરણોત્તર ક્રિયામાં પધારેલા સ્નેહીજનોને આંબાની કલમ, તુલસીના છોડ, તેમજ નાળિયેરીના રોપા વિતરણ કર્યા હતા. તેમજ આંતરરાષ્ટ્રીય મીલેટ્સ 2023 અંતર્ગત તમામને આ પરિવાર દ્વારા મિલેટ્સમાં આવતી વાનગીઓ પોસ્ટિક આહાર મળી રહે તેવું મિલેટ્સ કીટનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું.
સામાજિક જાગૃતિ
સ્વર્ગવાસી માધુભાઈ મેઘાભાઈ પટેલના બારમાની વિધિ નિમિત્તે પરિવારજનો દ્વારા બારડીયા ફળિયામાં સ્મરણાર્થે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. ખાસ કરીને આ તમામ વસ્તુઓની સાથે આ વિસ્તારને આદિવાસી વિસ્તાર પણ ગણાય છે. કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી કિસાન યોજના હેઠળ ખેડૂતોની જરૂરી ત્રુટીઓ નિવારીને તમામ આદિવાસી ખેડૂતોને આ લાભ સમયસર મેળવી શકે તે માટેની કામગીરી પણ આ 12માંની વિધિના સ્થળે જ કરી હતી. એક મરણ પ્રસંગને પણ સામાજિક જાગૃતિના રૂપમાં ફેરવી દીધો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
સ્પોર્ટ્સ / 'મેચ જલ્દી ખતમ કરો; બાળક આવવાનું છે', આખરે કેમ લાઇવ મેચમાં સાક્ષી ધોનીએ CSKને કરી આવી અપીલ
સ્પોર્ટ્સ ન્યુઝ
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
સ્પોર્ટ્સ / 'મેચ જલ્દી ખતમ કરો; બાળક આવવાનું છે', આખરે કેમ લાઇવ મેચમાં સાક્ષી ધોનીએ CSKને કરી આવી અપીલ
સ્પોર્ટ્સ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024 / સાબરકાંઠામાં મોટું ગાબડુ: અપક્ષ ઉમેદવારો ગયા ભાજપના શરણે, જુઓ કોને-કોને કર્યા કેસરિયા
Joined BJP