બ્રેકિંગ ન્યુઝ
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
VTV / ગુજરાત / રાજકોટ / In Jasdan, Dhoraji and Jetpur of Rajkot, forest department teams are working to capture the leopard.
Dinesh
Last Updated: 05:48 PM, 5 January 2024
રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં દેખાયેલા દીપડાને લઇને વનવિભાગે સતર્ક બન્યું છે. રાજકોટના જસદણ, ધોરાજી અને જેતપુરમાં દીપડો દેખાવાને લઇ વન વિભાગની અનેક ટીમો દીપડાને ઝડપી લેવા કામે લાગી છે. દીપડાની ગ્રામ્ય પંથકમાં દહેશતને લઇ અલગ અલગ જગ્યાએ 5 પાંજરા મુકવામાં આવ્યા છે. બીજી બાજુ દીપડો સાંજના સમયે કોઇ વ્યક્તિ પર હુમલો ન કરે તે માટે વાડી વિસ્તારમાં ખુલ્લામાં ન સુવા માટે વનવિભાગે લોકોને અપીલ કરી છે. વનવિભાગ રાજકોટના ગ્રામ્ય પંથકમાં દીપડાની હીલચાલ પર નજર રાખી રહ્યું છે.
DFO તુષાર પટેલનું નિવેદન
રાજકોટ વન વિભાગના DFO તુષાર પટેલે જણાવ્યું હતું કે, સૌ પ્રથમ 22 તારીખે દીપડો દેખાયાના સમાચાર વન વિભાગને મળ્યા હતા, ત્યારથી જ અલગ અલગ ટીમો બનાવીને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ સર્ચ દરમિયાન દીપડો હોવાના નિશાનો પણ જોવા મળ્યા હતા. રાજકોટમાં મોટા ભાગે વિસ્તારના વન વિસ્તારમાં દીપડાની વસ્તી છે, જે હ્યુમન વિસ્તારમાં આવતા નથી પરંતુ ક્યારેક આવી જાય છે. જો કે, તે માનવ વસવાટ વિસ્તારમાં આવી જતા તેને પકડવા માટે કામગીરી ચાલી રહી છે.
વાંચવા જેવું: રાજકોટમાં મોત સે દોસ્તી ગ્રુપના 14 યુવકોની ધરપકડ: હાઇવે પર રેસ લગાવીને કરતાં હતા આવા કાંડ
લોકોને અપીલ
વન વિભાગે લોકોને અપીલ કરી છે કે, કેટલીક અફવાઓથી દૂર રહેવું જોઈએ અને વન વિભાગ દ્વારા વખતો વખત આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવું જોઈએ. તેમજ રાત્રીના સમય એકલા ટ્રાવેલિંગ ન કરવું જોઈએ. વધુમાં કહ્યું કે, વાડી વિસ્તારમાં એકલા જવાનું ટાળવું જોઈએ. વધુમાં સલાહ આપી છે કે, દસથી પંદર લોકોના ટોળામાં ફરવું જોઈએ. વાડી વિસ્તારના લોકોને બંધ ઓરડામાં ઉંઘવું જોઈએ. જો કોઈ વાડી વિસ્તારમાં કોઈ માસ-મચ્છી જમતા હોય તો તેમને વધેલો ભાગ જ્યાં ત્યાં ફેકવો જોઈએ નહી તેમજ તેને જમીનમાં દાટી દેવો જોઈએ.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
આતંકી હુમલો / મણિપુરમાં મોડી રાત્રે કુકી આતંકવાદીઓએ CRPF બટાલિયન પર કર્યો હુમલો, બે જવાન શહીદ
Indian army