બ્રેકિંગ ન્યુઝ
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
Megha
Last Updated: 04:45 PM, 17 April 2023
તબીબો એમ કહી રહ્યા છે કે કોરોના વાઈરસ હવે આપણી વચ્ચે જ રહેવાનો છે અને આ સંજોગોમાં શરીરની ઇમ્યુનિટી વધારવા પ્રયાસો કરવા જોઇએ. કોરોના સહિતના અન્ય વાઇરસને ટક્કર આપવા માટે મજબૂત રોગ પ્રતિકારક શકિતની જરૂર પડે છે. જો આપણે સારો ઇમ્યુનિટી પાવર ધરાવતા હોઇશું તો દરેક બીમારી સામે સારી લડત આપી શકીશું. તબીબી નિષ્ણાતો દરરોજ પાણી, દૂધ અને જ્યૂસ સહિત ચાર લિટર લિક્વિડની સાથે ફેફસાને મજબૂત બનાવવા ‘પલ્મોનરી રિહેબિલિટેશન’ પર ભાર મૂકી રહ્યા છે. ફેફસાં અને ફેફસાંની દીવાલો મજબૂત બનતાં વાઇરસની મારક ક્ષમતા ઘટે છે.
- રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે લીંબુ, સરગવો, રોજ એક કપ તજનું પાણી, દ્રાક્ષ, કોબીજ અને મેથીની ભાજીનો વધુ ઉપયોગ કરવો જોઇએ તેમજ નિયમિત કસરત કરવી જોઇએ.
- શરીરને ડિહાઇડ્રેડ થતું બચાવવા દરરોજ ચાર લિટર લિક્વિડની સાથે બ્રેકફાસ્ટ, લંચ અને ડિનરને ત્રણને બદલે છ ભાગમાં વહેંચી નાંખો અને ગુજરાતી ભોજનને પ્રાધાન્ય આપવું જોઇએ.
- કોરોનાનાં સંક્રમણમાં ‘પલ્મોનરી રિહેબિલિટેશન’થી ફેફસાં અને ફેફસાંની દીવાલો મજબૂત બનતાં વાઇરસની મારક ક્ષમતા ઘટે છે. રોજ ચાર લિટર પ્રવાહી લેવાથી ફેફસાંમાં જામેલો કફ નીકળી જાય છે.
રોગ પ્રતિકારક શકિત વધારતો ખોરાક
રોજ ચાર લિટર લિક્વિડ, જેમાં દાળ, લીંબુ પાણી, જ્યૂસ, સૂપ, દૂધ, છાશ, દહીં, ચાની સાથે ફાઈબરયુકત સિઝનલ શાકભાજી - ફળો અને શાકભાજી-ફળોની સ્મૂધિ લઇ શકાય. ઘણી વાર ગરમીને લીધે પરસેવા દ્વારા શરીરમાંથી મિનરલ વિટામિન્સ ઘટે છે, જેથી પાણીમાં લીંબુ, ખાંડ કે મીઠું નાંખી પીવું જોઇએ. તુલસી-આદું-ફુદીનાનો ઉકાળો, ગ્રીન ટી, હળદર-મીઠાનાં પાણીના કોગળા કરવા જોઇએ.
સિંગદાણા, બદામ, સોયાબીન, કાજુ જેવાં તૈલી પદાર્થોમાંથી વિટામિન ઈ મળે છે. વિટામિન ઈ ધરાવતા પદાર્થોમાં એન્ટિ-એજિંગ તત્વો પણ રહેલાં છે જે આપણા શરીરના કોષોને થતો ઘસારો અટકાવે છે અને આપણા શરીરમાં કોલેસ્ટ્રોલને ઉત્પન્ન થતું અટકાવે છે.
વનસ્પતિજન્ય પદાર્થોમાં કુદરતી રીતે જ ઇમ્યુનિટી વધારવાની શક્તિ રહેલી છે. શરીરની ઇમ્યુન-સિસ્ટમ સારી રીતે કાર્ય કરે એ માટે ઍન્ટિ-ઓક્સિડન્ટ ધરાવતા પદાર્થો જેવા કે વિટામિન સી, ઈ, એ અને ઝિન્ક, આયર્ન, કોપર, સેલેનિયમ ધરાવતા પદાર્થોનો ખોરાકમાં સમાવેશ જરૂરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir