બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી
VTV / ગુજરાત / રાજકોટ / અન્ય જિલ્લા / Heart disease on the rise among young people alarming, shocking angiography figures reveal
Priyakant
Last Updated: 04:08 PM, 5 October 2023
VTV Reality Check : છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં હૃદય રોગના હુમલાની ઘટનાઓ સતત વધી રહી છે. આ દરમિયાન રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં પણ આવા બનાવોમાં નોંધપાત્ર વધારો થયો છે. આ કિસ્સાઓ પરથી યુવાનોમાં હ્રદય રોગની સમસ્યા કેટલી વધી રહી છે તે અંગેનો અંદાજ આવી રહ્યો છે. આ તરફ હવે મીડિયાની તપાસમાં જે આંકડાઓ સામે આવી રહ્યા છે તે ખરેખર ચોંકાવનારા છે. વાત જાણે એમ છે કે, છેલ્લા બે વર્ષમાં રાજકોટની ખ્યાતનામ હોસ્પિટલોમાં હ્રદય રોગથી પિડીતા યુવાનોના કેસમાં મોટો ઉછાળો આવ્યો છે. જે ખરેખર ચિંતાજનક કહી શકાય.
ગુજરાતમાં ક્યારેક દાંડિયા રમતા, ક્યારેક ક્રિકેટ રમતાં તો ક્યારેક જીમમાં કસરત કરતા હ્રદય બેસી જવાન બનાવો દિવસેને દિવસે વધી રહ્યા છે. આજકાલ યુવાનોમાં સાયલન્ટ કિલરને કારણે યુવાનોના મોતની ઘટનાઓ વધી રહી છે. નાની ઉંમરમાં હ્રદય રોગના કારણે અનેક પરિવારો વેર વિખેર થઇ રહ્યા છે. રાજકોટ સહિત ગુજરાતભરમાં હાર્ટ એટેકને કારણે યુવાનોના મોત થઇ રહ્યા છે. આ એવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે જેમાં યુવકનું તત્કાલ મૃત્યુ થઇ રહ્યું છે.
મીડિયાના રિયાલિટી ચેકમાં ચોંકાવનારા આંકડા
રાજકોટની હોસ્પિટલોમાં હ્રદય રોગના દર્દીઓની સંખ્યાને લઇને મીડિયાએ રિયાલીટી ચેક કર્યું હતું. જોકે આ દરમિયાન અનેક ચોંકાવનારી હકિકતો સામે આવી છે. આ તરફ હ્રદય રોગના નિષ્ણાંત તબીબોના કહેવા પ્રમાણે યુવાનોમાં હ્રદય રોગની બિમારી ખુબ જ મોટા પ્રમાણમાં વધી છે. ખાસ કરીને 25 વર્ષથી લઇને 45 વર્ષ સુધીના યુવાનોમાં હ્રદય રોગનું પ્રમાણ ખુબ જ વઘી રહ્યું છે.
રાજકોટ હોસ્પિટલના આંકડાઓ
હોસ્પિટલ | એન્જિયોગ્રાફી(વાર્ષિક | એન્જોપ્લાસ્ટી |
સ્ટર્લિંગ | 7000-8000 | 2000- 3000 |
વોકહાર્ટ | 6000-7000 | 2000-3000 |
ઓલમ્પસ | 3000-3500 | 1000-1500 |
આ આંકડાઓ માત્ર દાખલારૂપ છે આ ઉપરાંત શહેરની અન્ય હોસ્પિટલનો આંકડો જોઇએ તો વર્ષ દરમિયાન એક લાખથી વધારે યુવાનોને નાની ઉંમરમાં હ્રદય રોગની સમસ્યા ઉભી થઇ રહી છે અને તેની એન્જિયોગ્રાફી કરાવવાની ફરજ પડી રહી છે.જેમાં કોઇ નળી બ્લોક આવે તો તેની એન્જોપ્લાસ્ટી કરીને સ્ટેન બેસાડવું પડે છે. તબીબો માની રહ્યા છે કે, છેલ્લા બે વર્ષની સરખામણી કરીએ તો આ આંકડામાં 50 ટકાનો વધારો છે. યુવાનોમાં 25 થી 40 વર્ષની ઉંમરમાં કુલ આંકડાના 25 ટકા જેટલો વધારો છે તો 40 થી 50 વર્ષની ઉંમરમાં કુલ આંકડાના 40 ટકા જેટલો વધારો છે. નિષ્ણાંત તબીબોનું માનીએ તો સામાન્ય રીતે આપણે 50 થી 60 વર્ષે તબીબી પરીક્ષણ કરાવતા હતા તે આજના સમયમાં 40 થી 50 વર્ષની ઉંમરે ફરજીયાત થઇ ગયું છે.
કોરોના-યુવાનોની જીવનશૈલી હ્રદય રોગ માટે જવાબદાર-ડો.મિહીર તન્ના
નિષ્ણાંત તબીબ ડો.મિહીર તન્નાના કહેવા પ્રમાણે હ્રદય રોગના કેટલાક કારણો છે. જેમાં કોરોના વાયરસ, વ્યસન, માનસિક તણાવ અને ફાસ્ટફૂડનો સમાવેશ થાય છે.
સરકાર દ્રારા તપાસ કમિટીની રચના થવી જોઇએ: કોંગ્રેસ નેતા હેમાંગ વસાવડા
આ તરફ વધતા જતા હાર્ટ એટેકના કિસ્સાઓને જોતા કોંગ્રેસ દ્રારા સરકાર પાસે તપાસ કમિટીની રચના કરવાની માંગ કરી છે. કોંગ્રેસ નેતા હેમાંગ વસાવડાએ દાવો કર્યો છે કે, રાજ્યમાં દરરોજ બે થી ત્રણ યુવાનો હ્રદયરોગના હુમલાને કારણે મૃત્યુ પામે છે ત્યારે સરકારે આ મુદ્દે નિષ્ણાંત તબીબોની તપાસ ટીમની રચના કરવી જોઇએ. સરકારે લોકો હ્રદય રોગથી બચે તે માટે ખાસ ગાઇડલાઇન પણ બહાર પાડવી જોઇએ. યુવાનોમાં વધતા જતા હ્રદય રોગના કિસ્સાઓ ચિંતાજનક છે. કેટલાક લોકોને હ્રદયરોગની અસર થતાની સાથે જ તબીબી સારવાર લઇ રહ્યા છે જેના કારણે તેનો જીવ બચી જાય છે. નિષ્ણાંત તબીબો દ્રારા પણ લોકોને અપીલ કરવામાં આવી રહી છે કે, દરેક વ્યક્તિએ પોતાના આહાર,વ્યવહાર અને વિચારમાં પરિવર્તન લાવીને શરીરનું ધ્યાન રાખવું જોઇએ જેથી હ્રદય રોગના હુમલાથી બચી શકાય.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir