બ્રેકિંગ ન્યુઝ
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / Health Tips weight loss to prevent dehydration know health benefits of buttermilk
Arohi
Last Updated: 04:51 PM, 27 March 2024
ઉનાળાની શરૂઆત થઈ ચુકી છે એવામાં લોકો પોતાને તાપ, ગરમી અને ડિહાઈડ્રેશનના સાઈડ ઈફેક્ટથી બચાવવા માટે ડાયેટમાં ઘણા પ્રકારના પીણાને શામેલ કરે છે. જેમાં ઘણી વખત સોફ્ટ ડ્રિંક્સને પણ શામેલ કરે છે. જોકે ગરમીથી બચવા માટે રોજ એક સોફ્ટ ડ્રિંક્સનું સેવન તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ નુકસાન કારક સાબિત થઈ શકે છે.
એવામાં બોડીને કૂલ રાખવા અને સ્વસ્થ્ય રાખવા તમે પોતાની ડાટેયમાં રોજ એક ગ્લાસ છાશને શામેલ કરી શકો છો. છાશ પ્રોટીન, કેલ્શિયમ, પોટેશિયમ અને ફોસ્ફોરસનો સારો સોર્સ છે. તેમાં ફેટ અને કેલેરી ખૂબ જ ઓછી મળે છે. ઉનાળામાં છાશનું સેવન રાહત આપે છે. છાશ પીવાથી ઘણા ગજબના ફાયદા મળે છે. જાણો તેના વિશે.
છાશ પીવાથી સ્વાસ્થ્યને મળે છે આ ફાયદા
પાચન રહે છે તંદુરસ્ત
ઉનાળામાં મોટાભાગે લોકો પેટ સાથે જોડાયેલી સમસ્યાઓથી વધારે પરેશાન રહે છે. જેનાથી બચવા માટે તમે છાશનું સેવન કરી શકો છો. છાશનું સેવન પાચન તંત્રને સ્વસ્થ્ય બનાવવામાં મદદ કરે છે. મસાલા છાશ પીવાથી પેટમાં દુખાવો, સોજો અને ઝાડામાં રાહત મળે છે. છાશમાં રહેલું પાણી શરીરમાં પાણીની કમીને દૂર કરે છે. જેનાથી ડિહાઈડ્રેશન નથી થતુ.
ડિહાઈડ્રેશન
ઉનાળામાં શરીરમાં પાણીની કમીને દૂર કરવા માટે તમે છાશનું સેવન કરી શકો છો. છાશ પોષક તત્વોથી ભરપૂર હોય છે. તેમાં મીઠુ, ખાંડ, ફૂદીનો નાખીને પીવાથી ડિહાઈડ્રેશન, ઝાડા અને ગરમીથી બચી શકાય છે.
એસિડિટી
ઉનાળામાં ઘણી વખત વધારે પ્રમાણમાં ઓયલી, સ્પાઈસી અને ફ્રાઈડ વસ્તુઓ ખાવાથી પાચનતંત્ર બગડી શકે છે. જો તમને આવું ભોજન કરવાથી એસિડિટી, પેટમાં બળતરાની ફરિયાદ રહે છે તો તમે છાશનું સેવન કરી શકો છો. ભોજન બાદ છાશનું સેવન કરવાથી એસિડિટી અને પેટમાં થતી બળતરામાં રાહત મળી શકે છે.
સ્થૂળતા
જો તમે સ્થૂળતાથી પરેશાન છો તો દરરોજ છાશનું સેવન કરો. છાશમાં કેલેરી અને ફેટનું પ્રમાણ ઓછુ હોય છે. ઉનાળામાં તેનું સેવન કરવાથી ફેટને ઝડપથી બર્ન કરી શકાય છે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir