બ્રેકિંગ ન્યુઝ
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
VTV / From now on Tirupati Balaji's temple will be built in every state of the country
Malay
Last Updated: 11:21 AM, 26 June 2023
વિશ્વના સૌથી ધનિક ટ્રસ્ટ તિરુમાલા તિરૂપતિ દેવસ્થાનમે ભારત દેશના દરેક રાજ્યમાં તિરુપતિ મંદિર બનાવવાનો નિર્ણય લીધો છે. આંધ્ર પ્રદેશમાં તિરુપતિના પર્યાય ભગવાન વેંકટેશ્વર મંદિરની પ્રતિમાઓ દેશભરમાં જમ્મુ, નવી મુંબઈ, ગુજરાત અને છત્તીસગઢ જેવા અનેક રાજ્યોમાં બનાવવામાં આવી રહી છે. આ વિશ્વના સૌથી ધનાઢ્ય મંદિર ટ્રસ્ટ, તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ (TTD) દ્વારા મહત્વાકાંક્ષી યોજનાનો એક ભાગ છે. આ યોજના હેઠળ દરેક રાજ્યમાં તિરુપતિ મંદિર બનાવી ભગાવન બાલાજીના દેશવ્યાપી દર્શન સુનિશ્ચિત કરવામાં આવશે.
1933માં થઈ હતી તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમની સ્થાપના
1933માં સ્થપાયેલ ટીટીડી (TTD) ટ્રસ્ટ શરૂઆતમાં માત્ર થોડા મંદિરોનું સંચાલન કરતું હતું, જેમાં તિરુમાલા ખાતે આવેલ પ્રતિષ્ઠિત ભગવાન વેંકટેશ્વર સ્વામી મંદિર, તિરુચાનુર ખાતે આવેલ શ્રી પદ્માવતી અમ્માવરી મંદિર અને તિરુપતિ ખાતે આવેલ શ્રી ગોવિંદરાજા સ્વામી મંદિરનો સમાવેશ થાય છે. પરંતુ ટ્રસ્ટની સ્થાપના થયાના નવ દાયકામાં તેણે સમગ્ર ભારતમાં ભગવાન વેંકટેશ્વરને સમર્પિત 58 મંદિરોની સ્થાપના કરી છે. જોકે, તેમાંના મોટાભાગના દક્ષિણના રાજ્યો આંધ્રપ્રદેશ, તેલંગાણા અને તમિલનાડુમાં આવેલા છે.
આંધ્રપ્રદેશ પછી પહેલું મંદિર ઉત્તરાખંડમાં
TTDએ સૌથી પહેલા આંધ્રમાં મંદિરોના નિર્માણ માટે અધિગ્રહણ શરૂ કર્યું હતું. આ ક્ષેત્રની બહાર પ્રથમ મંદિર ટ્રસ્ટ દ્વારા વર્ષ 1969માં ઉત્તરાખંડના ઋષિકેશમાં બનાવવામાં આવ્યું હતું. આ પછી વર્ષ 2019માં કન્યાકુમારીમાં ભગવાન વેંકટેશ્વર મંદિરની સ્થાપના કરવામાં આવી અને તેનો વિસ્તાર કરવામાં આવ્યો હતો. તાજેતરમાં જ 8 જૂને જમ્મુમાં એક મંદિર ખુલ્લુ મુકવામાં આવ્યું હતું, જ્યાં કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ પણ દર્શન કરવા પહોંચ્યા હતા.
ગુજરાતમાં પણ બનાવાશે મંદિર
ટ્રસ્ટ ગુજરાતના ગાંધીનગર, છત્તીસગઢના રાયપુર અને બિહારમાં વધુ ત્રણ મંદિરો બનાવવાનું વિચારી રહ્યું છે, જેના માટે નીતિશ કુમાર સરકાર સાથે પણ ચર્ચા ચાલી રહી છે. ટ્રસ્ટે તાજેતરમાં મહારાષ્ટ્રમાં પણ ભગવાન બાલાજી મંદિરનો શિલાન્યાસ કર્યો છે. રાજ્ય સરકારે નવી મુંબઈમાં આશરે રૂ.600 કરોડની કિંમતની 10 એકર જમીન ફાળવી છે, જ્યાં TTD મંદિરના નિર્માણ માટે આશરે રૂ. 70 કરોડનો ખર્ચ કરશે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir