બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / From now on, the child's illness will be known before birth, AIIMS has started in this city

આવિષ્કાર / આ તો ગજબ કહેવાય! હવેથી જન્મ પહેલા જ બાળકની બીમારીનો ખ્યાલ આવી જશે, આ શહેરમાં AIIMSએ કરી શરૂઆત

Megha

Last Updated: 12:45 PM, 23 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટૂંક સમયમાં AIIMSમાં ડાયગ્નોસ્ટિક સેન્ટર શરૂ કરવામાં આવશે જેની મદદથી નવજાત શિશુઓ બીમારીઓથી સુરક્ષિત રહેશે અને ગર્ભમાં રહેલા બાળકોના રોગો એમના જન્મ પહેલા શોધી શકાશે.

  • ગોરખપુર AIIMSમાં એક નવી શરૂઆત થવા જઈ રહી છે
  • ગર્ભમાં રહેલા બાળકોના રોગોને અગાઉથી શોધી શકાશે 
  • ટૂંક સમયમાં ડાયગ્નોસ્ટિક સેન્ટર શરૂ કરવામાં આવશે

ગોરખપુર AIIMSમાં એક નવી શરૂઆત થવા જઈ રહી છે. આના માધ્યમથી ડોકટરો ગર્ભમાં રહેલા બાળકોના રોગોને અગાઉથી શોધી શકશે અને તેમની સારવાર પણ શક્ય બનશે. અત્યાર સુધી આ સુવિધા માત્ર લખનૌમાં જ ઉપલબ્ધ હતી પરંતુ હવે AIIMSમાં આ સુવિધા શરૂ થયા બાદ આ સુવિધા ગોરખપુર સહિત આસપાસના ગામના લોકો માટે અહીં જ ઉપલબ્ધ થશે. 

ડાયગ્નોસ્ટિક સેન્ટર શરૂ કરવામાં આવશે
મહત્વનું છે કે આ માટે ટૂંક સમયમાં AIIMSમાં ડાયગ્નોસ્ટિક સેન્ટર શરૂ કરવામાં આવશે અને આ કેન્દ્ર AIIMSના બાયોકેમિસ્ટ્રી વિભાગમાં કાર્યરત થશે. એટલે કે ગોરખપુર AIIMSમાં ડાયગ્નોસ્ટિક સેન્ટર શરૂ થવાથી નવજાત શિશુઓ બીમારીઓથી સુરક્ષિત રહેશે અને ગર્ભમાં રહેલા બાળકોના રોગો એમના જન્મ પહેલા શોધી શકાશે. 

ગર્ભમાં રહેલા બાળકોના રોગો શોધી શકાશે
આ વિશે બાયોકેમિસ્ટ્રી વિભાગના ડો.પ્રભાત સિંહે જણાવ્યું હતું કે તેના લોન્ચિંગથી ગર્ભમાં રહેલા બાળકોના રોગો શોધી શકાશે. આ સાથે સગર્ભા મહિલાઓની તપાસ પણ કરવામાં આવશે અને ગર્ભાવસ્થા દરમિયાન સામાન્ય રોગોની સારવાર કરવામાં આવશે. આ સાથે જ કેટલીક એવી બીમારીઓ પણ છે જેના વિશે પતિ-પત્નીને અગાઉથી જણાવી શકાય છે. ડૉક્ટરે કહ્યું કે રોગોની ઓળખ કર્યા પછી, યુગલોની સારવાર પણ કેન્દ્રમાં કરવામાં આવશે.

પ્રેગ્નન્સીનો પહેલો ત્રિમાસિક સમય ખૂબ જ મહત્વપૂર્ણ
આ સેન્ટર શરૂ થવાથી નવજાત બાળકોને ઘણી મદદ મળશે. તેમજ તપાસ બાદ કેટલાક એવા કિસ્સાઓ છે કે જેમાં બાળકોના જન્મ પછી સારવાર કરવામાં આવશે. જેથી તે સામાન્ય જીવન જીવી શકે, AIIMSના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર ડૉ. સુરેખા કિશોર કહે છે કે પ્રેગ્નન્સીનો પહેલો ત્રિમાસિક સમય ખૂબ જ મહત્વપૂર્ણ છે, આ સમયે મહિલાઓને તેમની ગર્ભાવસ્થા વિશે સાચી માહિતી મળે છે. તેમજ ડીએનએ સિક્વન્સીંગ દ્વારા બાળકોમાં થતા રોગોની ઓળખ કરી શકાય છે અને તેની યોગ્ય સમયે સારવાર કરવામાં આવે છે. જેથી બાળક ભવિષ્યમાં સામાન્ય જીવન જીવી શકે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ