બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / બિઝનેસ / from 1 september these changes are going to happen gst emi moratorium flights cylinder metro unlock 4

અસર / 1 Septemberથી બદલાઈ જશે આ 7 નિયમો, તમારા ખિસ્સા પર થશે આવી અસર

Bhushita

Last Updated: 05:54 PM, 28 August 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

1 સપ્ટેમ્બરથી સામાન્ય માણસના જીવનમાં મોટા ફેરફાર આવશે. જેમાં ખાસ કરીને LPG, Home Loan, EMI, Airlines સહિતની ચીજો સામેલ છે. જેનાથી તમારા ખિસ્સા પર મોટી અસર થશે. જાણો કયા ફેરફાર તમારા પર શું અસર કરશે.

  • 1 સપ્ટેમ્બરથી બદલાઈ જશે આ નિયમો
  • તમારા ખિસ્સા પર કરશે આવી અસર
  • LPG, Home Loan, EMI, Airlinesમાં આવશે ફેરફાર

1. LPG ના ભાવમાં થશે ફેરફાર

દેશમાં કોરોના દરમિયાન ફુગાવાના દરમાં વધારો થઈ રહ્યો છે, બીજી તરફ LPG સસ્તી થઈ શકે છે. આ સાથે જ એલપીજી, સીએનજી અને પીએનજીના ભાવમાં ભારે ઘટાડો થઈ શકે છે. 1 સપ્ટેમ્બરના રોજ એલપીજી સિલિન્ડરની કિંમત બદલાઈ શકે છે. માનવામાં આવે છે કે એલપીજી સિલિન્ડરના ભાવમાં ફેરફાર થઈ શકે છે. આશા રાખવામાં આવી રહી છે કે સપ્ટેમ્બરમાં LPGના ભાવ ઘટશે. 

2. મોંઘી થશે ફ્લાઈટ્સની મુસાફરી
1 સપ્ટેમ્બરથી ફ્લાઈટ્સની મુસાફરી મોંઘી થશે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયે 1 સપ્ટેમ્બરથી ઘરેલૂ અને આંતરરાષ્ટ્રિય યાત્રીઓ માટે ઉચ્ચ વિમાન સુરક્ષા શુલ્ક લેવાનું નક્કી કર્યું છે. તેના કારણે હવે યાત્રીઓ પાસે 150ને બદલે 160 રૂપિયા લેવાશે. આંતરરાષ્ટ્રિય મુસાફરો પાસે 4.85 ડોવરને બદલે 5.2 ડોલર લેવાશે. 

3. વધશે EMIનો ભાર,ખતમ થશે મોરેટોરિયમ
EMI ભરનારા ગ્રાહકોના ખિસ્સા પર ભાર વધશે કારણકે કોરોના સંકટના કારણે લોન ગ્રાહકોની EMIપર માર્ચ મહિનામાં જે પાબંધી હતી તે 31 ઓગસ્ટે પૂરી થઈ રહી છે. ભારતીય સ્ટેટ બેંક અને પંજાબ નેશનલ બેંકની તરફથી આવનારા અઠવાડિયે નિર્ણય આવે તેવી સંભાવના છે. બેંકિંગ સેક્ટરમાં તેને આગળ વધારવાની સ્થિતિ નક્કી નથી. હોમ, ઓટો, પર્સનલ લોન જેવી અનેક લોનને લઈને પણ સ્પષ્ટતા થઈ નથી. 

4. દિલ્હીમાં શરૂ થઈ શકે છે મેટ્રો

મેટ્રો શરૂ થવાની રાહ જોનારા દિલ્હીવાસીઓને સારા સમાચાર મળી શકે છે. 1 સપ્ટેમ્બરથી લોકડાઉનમાં છૂટની સાથે અનલોક 4માં મેટ્રો શરૂ કરવાની પરવાનગી મળી શકે છે. 

5. શરૂ થઈ શકે છે ઈન્ડિગો એરલાઈન્સની ફ્લાઈટ્સ
બજેટ એરલાઈન્સ ઈન્ડિગોએ પોતાની ફ્લાઈટ્સ સ્ટેપ બાય સ્ટેપ શરૂ કરવાની જાહેરાત કરી છે. 1 સપ્ટેમ્બરથી પ્રયાગરાજ, કોલકત્તા અને સૂરતની ફ્લાઈટ્સ શરૂ થઈ શકે છે. ભોપાલ લખનઉ પર 180 સીટની એરબસ-320 ચલાવાશે. આ અઠવાડિયામાં 3 દિવસ એટલે કે સોમ, બુધ અને શુક્રવારે ચાલશે. સમર શેડ્યૂલમાં જ ભોપાલથી પ્રયાગરાજ, આગ્રા, કોલકત્તા, સૂરત, અમદાવાદ અને આગ્રામાં ઉડાન શરૂ કરવાની જાહેરાત કરી હતી. કોરોના કાળમાં આ ફ્લાઈટ્સ શરૂ થઈ શકી નથી જે હવે શરૂ થશે. 

6. ખૂલી શકે છે શાળાઓ
કેન્દ્ર સરકારે અનલોક 4માં અનેક પ્રતિબંધ સાથે 1 સપ્ટેમ્બરથી  14 નવેમ્બરની વચ્ચે શાળાઓ ખોલવાની ગાઈડલાઈન્સ જાહેર કરી છે. યોજના પર હેલ્થ મિનિસ્ટર અને અન્ય કાર્યકરો ચર્ચા કરી રહ્યા છે. ગાઈડલાઈન તૈયાર થયા બાદ સપ્ટેમ્બરમાં શાળાઓ શરૂ થશે.

7. GST  ભરવા પર લાગશે 18 ટકા વ્યાજ

સરકારે કહ્યું કે વસ્તુ અને સેવા કર એટલે કે જીએસટી ભરવામાં મોડું થશે તો 1 સપ્ટેમ્બરથી કુલ ટેક્સ પર વ્યાજ લાગશે. આ વર્ષની શરૂઆતમાં જીએસટી પેમેન્ટમાં મોડું થવાના કારણે 46000 કરોડ રૂપિયાનું બાકી વ્યાજ વસૂલવાને લઈને ચિંતા સેવાઈ રહી છે. જીએસટી કાઉન્સિલની 39મી બેઠકમાં નિર્ણય લેવાયો હતો કે 2017થી કુલ કરના જીએસટી પેમેન્ટમાં મોડું થવા માટે વ્યાજ લેવાશે. 

Ola-Uber ડ્રાઈવર કરી શકે છે હડતાલ
એપ આધારિત સેવા આપનારા ઓલા અને ઉબેર કંપનીના ડ્રાઈવરોએ દિલ્હી-એનસીઆરમાં 1 સપ્ટેમ્બરથી હડતાલની ધમકી આપી છે. કેટલીક માંગ અને ભાડામાં વધારા સાથે લોન રિપેમેંટ મોરેટોરિયમના વિસ્તારને લઈને હડતાલ પર ઉતરવાની ધમકી આપી છે. જો સરકાર તેમની સમસ્યાઓને નહીં ઉકેલે તો કેબ એગ્રીગેટર્સની સાથે કામ કરનારા લગભગ 2 લાખ ડ્રાઈવર્સ હડતાલમાં સામેલ થશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ