બ્રેકિંગ ન્યુઝ
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Fatal accident between car and trailer on Dasada-Jainabad highway in Surendranagar district
Malay
Last Updated: 10:25 AM, 20 September 2023
Accident In Surendranagar: ગુજરાતમાં અવારનવાર અકસ્માતની ઘટનાઓ સામે આવતી રહે છે. ક્યારેક તો કોઇક દિવસ જ ગુજરાત માટે ગોઝારો સાબિત થતો હોય છે. ત્યારે બુધવારની સવારે સુરેન્દ્રનગર જિલ્લામાં ભયાનક અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં 4 લોકોના કરૂણ મોત નિપજ્યાં છે.
Gujarat Accident : સુરેન્દ્રનગરના દસાડા જૈનાબાદ વચ્ચે રોડ અકસ્માતમાં 4 લોકોના મોત, કાર સાથે ટ્રેલર ટકરાતા સર્જાઇ દુર્ઘટના, પોલીસે ઘટના સ્થળે પહોંચી સમગ્ર મામલે તપાસ હાથ ધરી#gujaratnews #surendranagarnews #accident #vtvgujarati pic.twitter.com/tCvaN0Pvw2
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) September 20, 2023
કાર અને ટ્રેલર ભયાનક અકસ્માત
મળતી માહિતી અનુસાર, સુરેન્દ્રનગરના દસાડા-જૈનાબાદ હાઈવે પર આજે સવારે કાર અને ટ્રેલર ભયાનક અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત એટલો ભયાનક હતો કે અકસ્માત બાદ કાર સીધી ખેતરમાં પલટી મારી ગઈ હતી. આ અકસ્માતને પગલે રાહદારીઓના ટોળેટોળા ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા. તો આ ભયાનક અકસ્માત અંગેની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી.
મૃતદેહને પીએમ અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરાઈ
જે બાદ પોલીસ દ્વારા સ્થાનિકોની મદદથી કારમાંથી મૃતકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં તમામ મૃતકો મોરબી જિલ્લાના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. હાલ મૃતકોના પરિવારજનોને આ અંગેની જાણ કરવામાં આવી છે. તો મૃતકોના મૃતદેહને પીએમ અર્થે ખસેડવાની પણ પોલીસ દ્વારા તજવીજ હાથ ધરવામાં આવી છે.
ભાવનગર અમદાવાદ હાઈવે પર સર્જાયો હતો અકસ્માત
આપને જણાવી દઈએ કે, ગતરોજ ચાલું વરસાદે ભાવનગર-અમદાવાદ હાઈવે પર ખાનગી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં 2 લોકોના મૃત્યુ નિપજ્યાં હતા, જ્યારે 15થી વધુ ઈજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ મારફતે ભાવનગરની હોસ્પિટલમાં ખસેડાયા હતા. અકસ્માતની જાણ થતાં જ પોલીસની ટીમ બનાવ સ્થળે દોડી આવી હતી અને તપાસ હાથ ધરી હતી.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
આતંકી હુમલો / મણિપુરમાં મોડી રાત્રે કુકી આતંકવાદીઓએ CRPF બટાલિયન પર કર્યો હુમલો, બે જવાન શહીદ
Indian army