બ્રેકિંગ ન્યુઝ
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / fast food outside food mental stress lack of sleep and physical exertion cases of heart disease are increasing very fast.
Pravin Joshi
Last Updated: 10:23 PM, 20 January 2024
આજની વ્યસ્ત જીવનશૈલી અને ખાનપાનની ખરાબ આદતોને કારણે હૃદયની બિમારીઓ ઝડપથી વધી રહી છે. ફાસ્ટ ફૂડ, બહારનો ખોરાક, માનસિક તણાવ, ઓછી ઊંઘ અને શારીરિક શ્રમનો અભાવ જેવા કારણોને લીધે હૃદયરોગના કેસ ખૂબ જ ઝડપથી વધી રહ્યા છે. જે બિમારીઓ પહેલા 60-70 વર્ષની ઉંમરે જોવા મળતી હતી તે હવે 30-40 વર્ષની ઉંમરે પણ સામાન્ય બની રહી છે.નાની ઉંમરમાં લોકોને હાર્ટ એટેક, હાઈ બીપી, કોલેસ્ટ્રોલ વગેરે જેવી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. આયુર્વેદ અનુસાર આ નિયમોને અપનાવવાથી હ્રદય રોગના જોખમને ઘણી હદ સુધી ઘટાડી શકાય છે.
સંતુલિત આહાર
હૃદયને સ્વસ્થ રાખવામાં સંતુલિત ખોરાક ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આયુર્વેદ અનુસાર, આપણે આપણા રોજિંદા આહારમાં લીલા પાંદડાવાળા શાકભાજી, તાજા ફળો, આખા અનાજ, કઠોળ અને બદામ જેવા તમામ પ્રકારના પૌષ્ટિક તત્વોનો સમાવેશ કરવો જોઈએ. આ તમામ વસ્તુઓમાં વિટામીન, મિનરલ્સ, એન્ટીઓક્સીડેન્ટ અને ફાઈબર ભરપૂર માત્રામાં હોય છે જે હૃદયના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. ઉપરાંત, વધારાની ચરબી, મીઠું અને ખાંડનું સેવન મર્યાદિત હોવું જોઈએ કારણ કે આ હૃદય રોગનું જોખમ વધારી શકે છે.
વ્યાયામ અને યોગ
હૃદયને સ્વસ્થ રાખવા માટે નિયમિત શારીરિક પ્રવૃત્તિ અને વ્યાયામ ખૂબ જ જરૂરી છે. આયુર્વેદમાં પણ આ વાત પર ભાર મૂકવામાં આવ્યો છે. દરરોજ થોડો સમય કસરત અને યોગ કરવાથી હૃદયના સ્નાયુઓ મજબૂત થાય છે. તે ધમનીઓને સ્વચ્છ રાખવામાં મદદ કરે છે અને રક્ત પરિભ્રમણને સુધારે છે. જેના કારણે નાની ઉંમરમાં જ હૃદય રોગનો ખતરો ઓછો થઈ જાય છે. વોકીંગ, જોગીંગ, સાયકલીંગ, યોગ, પ્રાણાયામ જેવી પ્રવૃતિઓ હૃદય માટે ખુબ જ ફાયદાકારક છે. આનો દૈનિક દિનચર્યામાં સમાવેશ કરવો જોઈએ.
વધુ વાંચો : આજથી જ તમારી લાઇફસ્ટાઇલમાં લાવો આ 5 બદલાવ, નહીં તો વધી શકે છે કેન્સરનો ખતરો
માનસિક શાંતિ જાળવો
ચિંતા, ડર, હતાશા જેવી લાગણીઓ હૃદયના ધબકારા ઝડપી બનાવે છે જે ખતરનાક સાબિત થઈ શકે છે. તેથી આયુર્વેદમાં આ નકારાત્મક લાગણીઓથી દૂર રહેવા અને માનસિક શાંતિ જાળવવા પર ભાર મૂકવામાં આવ્યો છે. દરરોજ ધ્યાન અને યોગ કરવાથી મનને શાંતિ મળે છે. આ સિવાય પરિવાર અને મિત્રો સાથે સકારાત્મક સમય પસાર કરવાથી પણ તણાવ દૂર રહે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
આતંકી હુમલો / મણિપુરમાં મોડી રાત્રે કુકી આતંકવાદીઓએ CRPF બટાલિયન પર કર્યો હુમલો, બે જવાન શહીદ
Indian army