બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / fast food outside food mental stress lack of sleep and physical exertion cases of heart disease are increasing very fast.
Last Updated: 10:23 PM, 20 January 2024
ADVERTISEMENT
આજની વ્યસ્ત જીવનશૈલી અને ખાનપાનની ખરાબ આદતોને કારણે હૃદયની બિમારીઓ ઝડપથી વધી રહી છે. ફાસ્ટ ફૂડ, બહારનો ખોરાક, માનસિક તણાવ, ઓછી ઊંઘ અને શારીરિક શ્રમનો અભાવ જેવા કારણોને લીધે હૃદયરોગના કેસ ખૂબ જ ઝડપથી વધી રહ્યા છે. જે બિમારીઓ પહેલા 60-70 વર્ષની ઉંમરે જોવા મળતી હતી તે હવે 30-40 વર્ષની ઉંમરે પણ સામાન્ય બની રહી છે.નાની ઉંમરમાં લોકોને હાર્ટ એટેક, હાઈ બીપી, કોલેસ્ટ્રોલ વગેરે જેવી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. આયુર્વેદ અનુસાર આ નિયમોને અપનાવવાથી હ્રદય રોગના જોખમને ઘણી હદ સુધી ઘટાડી શકાય છે.

ADVERTISEMENT
સંતુલિત આહાર
હૃદયને સ્વસ્થ રાખવામાં સંતુલિત ખોરાક ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આયુર્વેદ અનુસાર, આપણે આપણા રોજિંદા આહારમાં લીલા પાંદડાવાળા શાકભાજી, તાજા ફળો, આખા અનાજ, કઠોળ અને બદામ જેવા તમામ પ્રકારના પૌષ્ટિક તત્વોનો સમાવેશ કરવો જોઈએ. આ તમામ વસ્તુઓમાં વિટામીન, મિનરલ્સ, એન્ટીઓક્સીડેન્ટ અને ફાઈબર ભરપૂર માત્રામાં હોય છે જે હૃદયના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. ઉપરાંત, વધારાની ચરબી, મીઠું અને ખાંડનું સેવન મર્યાદિત હોવું જોઈએ કારણ કે આ હૃદય રોગનું જોખમ વધારી શકે છે.
ADVERTISEMENT

વ્યાયામ અને યોગ
ADVERTISEMENT
હૃદયને સ્વસ્થ રાખવા માટે નિયમિત શારીરિક પ્રવૃત્તિ અને વ્યાયામ ખૂબ જ જરૂરી છે. આયુર્વેદમાં પણ આ વાત પર ભાર મૂકવામાં આવ્યો છે. દરરોજ થોડો સમય કસરત અને યોગ કરવાથી હૃદયના સ્નાયુઓ મજબૂત થાય છે. તે ધમનીઓને સ્વચ્છ રાખવામાં મદદ કરે છે અને રક્ત પરિભ્રમણને સુધારે છે. જેના કારણે નાની ઉંમરમાં જ હૃદય રોગનો ખતરો ઓછો થઈ જાય છે. વોકીંગ, જોગીંગ, સાયકલીંગ, યોગ, પ્રાણાયામ જેવી પ્રવૃતિઓ હૃદય માટે ખુબ જ ફાયદાકારક છે. આનો દૈનિક દિનચર્યામાં સમાવેશ કરવો જોઈએ.

ADVERTISEMENT
વધુ વાંચો : આજથી જ તમારી લાઇફસ્ટાઇલમાં લાવો આ 5 બદલાવ, નહીં તો વધી શકે છે કેન્સરનો ખતરો
માનસિક શાંતિ જાળવો
ADVERTISEMENT
ચિંતા, ડર, હતાશા જેવી લાગણીઓ હૃદયના ધબકારા ઝડપી બનાવે છે જે ખતરનાક સાબિત થઈ શકે છે. તેથી આયુર્વેદમાં આ નકારાત્મક લાગણીઓથી દૂર રહેવા અને માનસિક શાંતિ જાળવવા પર ભાર મૂકવામાં આવ્યો છે. દરરોજ ધ્યાન અને યોગ કરવાથી મનને શાંતિ મળે છે. આ સિવાય પરિવાર અને મિત્રો સાથે સકારાત્મક સમય પસાર કરવાથી પણ તણાવ દૂર રહે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.