બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / farmer protest farm law singhu border continues kisan parade tractor rally

નિવેદન / ખેડૂતોની રેલીને દિલ્હી પોલીસની શરતી મંજૂરી, કૃષિ મંત્રીએ કહ્યું- આંદોલન માટે 365 દિવસ છે પણ...

Kavan

Last Updated: 06:28 PM, 24 January 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કૃષિ કાયદાઓ હટાવોની માગ લઈને દિલ્હી બોર્ડર પર ચાલી રહેલા ખેડૂતોના આંદોલનનો આજે 58મો દિવસ છે. ત્યારે આજે કૃષિ મંત્રી તોમરે ખેડૂતોને 26 જાન્યુઆરીએ રેલી નહીં યોજવા માટે અનુરોધ કર્યો છે.

  • ખેડૂતોને રેલી યોજવાની મળી મંજૂરી
  • કૃષિ મંત્રીએ 26 જાન્યુઆરી સિવાયનો દિવસ પસંદ કરવાની કરી અપીલ
  • ખેડૂતો પ્રત્યે સરકાર સંવેદનશીલ હોવાની કરી વાત

ત્યારે હવે 26 જાન્યુઆરીના રોજ યોજાનારી રેલીને પણ મંજૂરી મળી ચૂકી છે અને યોગેન્દ્ર યાદવે જણાવ્યું હતું કે, રેલી એકદમ શાંતિપૂર્ણ રીતે યોજાશે.  જો કે, પત્રકાર પરિષદને સંબોધન કરાત કેન્દ્રીય કૃષિ મંત્રીએ ખેડૂતોને 26 જાન્યુઆરીએ રેલી નહીં યોજવા માટે અપીલ કરી હતી.

આંદોલન માટે 365 દિવસ છે પરંતુ 26 જાન્યુઆરીએ ખેડૂતો ન યોજો રેલી

 કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે જણાવ્યું હતું કે, 26 જાન્યુઆરીએ દેશનો તહેવાર છે, આખી દુનિયા તેના પર મીટ માંડીને બેઠી છે. 26 જાન્યુઆરીના આંદોલન સંદર્ભે ખેડુતોએ તેમની મનશા ત્યજી દેવી જોઇએ. તેમની પાસે આંદોલન માટે 365 દિવસ છે, તેઓ આ સિવાય બીજા કોઈ દિવસે આંદોલન કરે તો સારું રહેશે. આશા છે કે પ્રજાસત્તાક દિનનો ખેડુતો ગૌરવ જાળવશે.

ખેડૂતો પ્રત્યે સરકાર સંવેદનશીલ હોવાની કરી વાત

સરકાર ખેડૂતો પ્રત્યે સંપૂર્ણ સંવેદનશીલ છે, સરકાર ખેડૂત સંગઠનોનું સન્માન કરે છે. મને દુ:ખ છે કે ખેડૂત સંગઠનો ફક્ત કાયદાને નાબૂદ કરવાની વાત કરે છે, પરંતુ કાયદાના ફાયદા અને ગેરફાયદાની ચર્ચા કરતા નથી. આથી જ કોઈ ચર્ચાનું ફળ નથી મળતું.

3 જગ્યાએથી રેલી યોજવાની અપાઇ મંજૂરી

ટ્રેક્ટર રેલી પર દિલ્હી પોલીસના સ્પેશિયલ કમિશ્નનરે કહ્યું આજે ખેડૂતો સાથે સારો સંવાદ થઇ શક્યો. દિલ્હીમાં 3 જગ્યાએથી રેલી યોજવાની મંજૂરી આપી છે. આ ત્રણ બોર્ડર પર બેરિકેડ હટાવી દેવામાં આવશે અને કેટલીક શરતો સાથે રેલી યોજવાની મંજૂરી આપવામાં આવશે.

દિલ્હીમાં આતંકી હુમલાના મળ્યા ઇનપુટ

26 જાન્યુઆરીએ આતંકી સંગઠન દિલ્હી, અયોધ્યા અને બોધગયામાં હુમલો કરવાની તૈયારીમાં છે. રોહિંગ્યા ઘૂસપેઠીઓનું એક ગ્રૂપ અનેક જગ્યાએ હુમલો કરવાની તૈયારીઓમાં હોવાની માહિતી મળતાં હાઈ એલર્ટ જાહેર કરાયું છે. દેશના અનેક ઉગ્રવાદી સંગઠનોએ આતંકીઓ સાતે હાથ મિલાવી લીધો છે. ઈનપુટ્સ મળ્યા બાદ સુરક્ષા એજન્સીઓ સતર્ક બની છે અને દિલ્હી હાઈ એલર્ટ પર છે.

High Alert In Capital Security Agencies Attentive

દિલ્હી પોલિસના આતંક નિરોધી ફોર્સ એટલે કે સ્પેશ્યલ સેલના એક અધિકારીએ કહ્યું છે કે આતંકી હુમલો ગંભીર હોવાના ઈનપુટ્સ મળ્યા છે. આતંકી સંગઠનો દિલ્હી, અયોધ્યા અને બોધગયા સહિત અનેક સ્થળોને નિશાન બનાવી રહ્યા છે. રોહિંગ્યાનું એક ગ્રુપ તેના પ્રશિક્ષણમાં જઈ ચૂક્યા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ