બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / બિઝનેસ / esic covid relief scheme will not be available from march 2022

ઝટકો / મોદી સરકારનો મોટો નિર્ણય: કર્મચારીઓ માટેની આ ખાસ યોજના કરશે બંધ, જાણો તમારા પણ શું થશે અસર

Premal

Last Updated: 01:49 PM, 14 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સરકારી કર્મચારીઓને સરકાર ઝટકો આપવા જઇ રહી છે. કર્મચારીઓ માટે બે વર્ષથી ચાલી રહેલી કોવિડ-19 રાહત યોજનાને સરકારે માર્ચમાં બંધ કરવાનો નિર્ણય લીધો છે. કર્મચારી રાજ્ય વીમા નિગમે આ યોજનાને 24 માર્ચ 2020થી બે વર્ષ માટે લાગુ કરી હતી. માર્ચ 2022માં તેને બે વર્ષ પૂર્ણ થશે.

  • સરકાર સરકારી કર્મચારીઓને આપશે ઝટકો
  • સરકારે કોવિડ-19 રાહત યોજનાને માર્ચમાં બંધ કરવાનો લીધો નિર્ણય
  • કોરોનાની સ્થિતિ હવે અંકુશમાં છે, યોજનાને વધારવાની જરૂર નથી

કોવિડ રાહત યોજનાને વધારવાની કોઈ જરૂર નથી

હાલમાં કર્મચારી રાજ્ય વીમા નિગમની સંચાલક મંડળની બેઠક થઇ હતી. ઈએસઆઈસી સાથે જોડાયેલા સૂત્રોએ જણાવ્યું કે બેઠકમાં શ્રમ પ્રધાન ભૂપેન્દ્ર યાદવે કહ્યું કે કોરોનાની સ્થિતિ હવે નિયંત્રણમાં છે. તો હવેની પરિસ્થિતિ પ્રમાણે કોવિડ રાહત યોજનાને વધારવાની કોઈ જરૂર નથી. બેઠકમાં શ્રમ પ્રધાને કહ્યું કે ઈએસઆઈસી હોસ્પિટલો તરફથી શ્રમિકોના સ્વાસ્થ્યની તપાસ ચાલુ રહેશે અને ફેક્ટરીઓ-એમએસએમઈ ક્લસ્ટરને એક યુનિટ માનવામાં આવશે.

શું છે કોવિડ રાહત યોજના? 

દેશમાં જ્યારે કોવિડ-19એ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યુ હતુ ત્યારે ઈએસઆઈસીના દાયરામાં આવતા રજીસ્ટર્ડ કર્મચારીઓ માટે આ યોજના ચલાવવામાં આવી હતી. કોઈ પણ કર્મચારીનું કોવિડ-19ના કારણે મોત થતા તેના પરિવારને આર્થિક મદદ પૂરી પાડવામાં આવે છે. જે હેઠળ પરિવારને ઓછામાં ઓછા 1800 રૂપિયા દર મહિને રકમ આપવામાં આવે છે. આ યોજનાનો લાભ એવા કર્મચારીઓને આપવામાં આવે છે, જેણે 3 મહિના પહેલા ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યું હોય અને 35 દિવસનું ન્યુનત્તમ યોગદાન પણ કર્યુ હોય. મૃત્યુ થતા પરિવારને સહાયતા  સિવાય કોરોના સંક્રમિત થવાથી ઉપચાર દરમ્યાન દૈનિક સરેરાશ વેતનનો 70 ટકા બિમારીના લાભ તરીકે આપવામાં આવે છે. એક વર્ષમાં મહત્તમ 91 દિવસો માટે બિમારી લાભ મળે છે. 

નાણાંકીય સહાયતા માટે આટલા લોકો લાયક 

ઈએસઆઈસીના નિયમ હેઠળ જીવનસાથી, માન્ય અથવા દત્તક લીધેલ દીકરો જેની ઉંમર 25 વર્ષથી ઓછી હોય અથવા અવિવાહીત કાયદેસર અથવા દત્તક લીધેલી દીકરી અને વિધવા માતા નાણાંકીય સહાયતા માટે લાયક હોય છે. મૃત કર્મચારીના દૈનિક સરેરાશ પગારના 90 ટકા જેટલી રકમ તેના પરિવારને આપવામાં આવે છે. આ 90 ટકાને ફૂલ રેટ કહેવામાં આવે છે. જો એકથી વધુ આશ્રિત છે તો રાહતની વહેંચણી થાય છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ