બ્રેકિંગ ન્યુઝ
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Efforts started to help Gujaratis trapped in Amarnath Yatra, Harsh Sanghvi contacted the central government
Malay
Last Updated: 12:32 PM, 9 July 2023
સતત બગડી રહેલા હવામાન અને ભારે ભૂસ્ખલનના કારણે અમરનાથ યાત્રા આજે પણ સ્થગિત કરી દેવામાં આવી છે. લગભગ 6000 અમરનાથ યાત્રી રામબનમાં ફસાયેલા છે. તો ખરાબ હવામાન અને સતત પડી રહેલા વરસાદને કારણે 4 દિવસ કરતા વધારે સમયથી ગુજરાતના 30 જેટલા યાત્રીઓ પંચતરણીમાં ફસાયા છે. તેઓ હાડ થ્રિજાવતી ઠંડીમાંથી બચાવી લેવા માટે તંત્રને અપીલ કરી રહ્યા છે. આ મામલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન સામે આવ્યું છે.
અમરનાથમાં ફસાયા છે 30 ગુજરાતી યાત્રીઓઃ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી
હર્ષ સંઘવીએ જણાવ્યું છે કે, 'અમરનાથના પંચતરણી ખાતે 30 ગુજરાતી યાત્રીઓ ફસાયા છે. ત્યાં વાતાવરણ ખરાબ હોવાને કારણે યાત્રીઓ ફસાયા છે. યાત્રીની મદદ માટે રાજ્યના ગૃહ વિભાગ અને ડિઝાસ્ટર વિભાગ દ્વારા કેન્દ્રીય ગૃહમંત્રીના કાર્યાલય ખાતે જાણ કરવામાં આવી છે. હાલ અમરનાથ ખાતે ધીમે-ધીમે વાતાવરણ સુધરી રહ્યું છે. ત્યાં ફસાયેલા તમામ લોકો ઝડપથી પોતાના પરિવારના સંપર્કમાં આવી જશે તે પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી છે.'
કોંગ્રેસ પ્રદેશ પ્રમુખે કર્યું ટ્વીટ
કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે પણ ફસાયેલા લોકોને બચાવવા માટે ટ્વિટ કરીને અપીલ કરી છે. તેમણે ટ્વિટમાં લખ્યું છે કે, 'અમરનાથ યાત્રા પંચતરણી Base કેમ્પમાં તથા આજુબાજુમાં 4 દિવસ કરતા પણ વધારે સમયથી ગુજરાતના અનેક યાત્રીઓ ફસાયા છે. નીચે જવા માટે કોઈ સુવિધા નથી અને ત્યાં બહુ અગવડ અને ખૂબ કપરી હાલતમાં યાત્રાળુ છે. કેટલાક યાત્રાળુ બીમાર પણ છે. તો આ યાત્રીઓને નીચે લઈ જવા માટે તાત્કાલિક રેસ્ક્યું કરવા CMO ગુજરાત અને PMOને વિનંતી.'
અમરનાથ યાત્રા પંચતરણી Base કેમ્પમાં તથા આજુબાજુમાં ૪ દિવસ કરતા પણ વધારે સમયથી ગુજરાતના અનેક યાત્રીઓ ફસાયા છે. નીચે જવા માટે કોઈ સુવિધા નથી અને ત્યાં બહુ અગવડ અને ખૂબ કપરી હાલતમાં યાત્રાળુ છે. કેટલાક યાત્રાળુ બીમાર પણ છે . તો આ યાત્રીઓને નીચે લઈ જવા માટે તાત્કાલિક રેસ્ક્યું કરવા… pic.twitter.com/t2jwQPn8aE
— Shaktisinh Gohil MP (@shaktisinhgohil) July 8, 2023
30 શ્રદ્ધાળુઓ પંચતરણીમાં ફસાયા
લાખો લોકોના આસ્થાના કેન્દ્ર અમરનાથ ધામ ખાતે દર વર્ષે મોટી સંખ્યામાં યાત્રાળુઓ જતાં હોય છે. આ દરમિયાન ખરાબ હવામાનને કારણે અમરનાથ યાત્રા સ્થગિત કરાઈ છે. આ તરફ ગુજરાતના 30 શ્રદ્ધાળુઓ અમરનાથના પંચતરણી વિસ્તારમાં ફસાયા હોવાનું સામે આવ્યું છે. જેમાં સુરતના 10 અને વડોદરાના 20 લોકો ફસાયા હોવાની માહિતી સામે આવી છે. આ તરફ હવે તમામ ચીજ વસ્તુઓના ડબલ ભાવ હોવાને કારણે યાત્રિકોને મુશ્કેલી પડી રહી છે. જેને લઈ હવે તમામ ગુજરાતીઓએ ગુજરાત સરકારને મદદ માટે અપીલ કરી છે.
શું કહ્યું શ્રદ્ધાળુઓ?
અમરનાથ યાત્રા સ્થગિત કરાયા બાદ ત્યાં ફસાયેલા ગુજરાતીઓએ વીડિયો બનાવી સરકારની મદદ માંગી છે. શ્રદ્ધાળુઓ કહી રહ્યા છે કે, અહીં બહુ ઠંડી છે, ગાદલાં ભીના થઈ ગયા છે, રહેવાતું નથી, તાવ આવી ગયો છે. વીડિમાં એક વ્યક્તિ કહી રહ્યા છે કે, અમે ત્રણ દિવસથી અહીં ફસાયા છીએ. માઇનસ 2 ડિગ્રી તાપમાન છે. અહીં બરફ પડી રહ્યો છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
આતંકી હુમલો / મણિપુરમાં મોડી રાત્રે કુકી આતંકવાદીઓએ CRPF બટાલિયન પર કર્યો હુમલો, બે જવાન શહીદ
Indian army