ઉનાળામાં આ ફળોનાં સેવનથી ગરમીમાં રાહત મળે છે અને સ્વાસ્થ્ય પણ સારું રહે છે. જાણો ક્યા ક્યા ફળોનાં સેવનથી ફાયદો થશે
ઉનાળામાં આ ફળોનાં સેવનથી થશે ફાયદો
મળશે ગરમીમાં રાહત
સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક
ઉનાળામાં તાજાં ફળોનું સેવન ગરમી સામે રાહત આપવાનું કામ કરે છે. તે તમને હેલ્ધી પણ રાખે છે. આ ફળોમાં ભરપૂર માત્રામાં પોષક તત્ત્વો હોય છે. તેઓ આપણા હૃદયને સ્વસ્થ રાખવાનું કામ કરે છે. આ ફળો માત્ર તમને હાઈડ્રેટેડ રાખે છે એટલું જ નહીં, પરંતુ અન્ય આરોગ્ય લાભ માટે પણ જાણીતાં છે. તેઓ હૃદયના આરોગ્ય-બ્લડ પ્રેશરના સ્તરને જાળવવાનું કામ કરે છે. આ ફળોમાં પુષ્કળ પ્રમાણમાં પાણી અને ફાઈબર હોય છે. તેઓ તમારા હૃદયને સ્વસ્થ રાખવાનું કામ કરે છે. હૃદયને સ્વસ્થ રાખવા માટે તમે આહારમાં તરબૂચ, કેરી, બેરી અને પપૈયાં વગેરે જેવાં ફળોનો સમાવેશ કરી શકો છો.
તરબૂચ
તરબૂચમાં લગભગ ૯૦ ટકા પાણી હોય છે, તેમાં પોટેશિયમ, લાઇકોપીન જેવાં વિવિધ પોષક તત્ત્વો હોય છે. તેઓ હૃદયને સ્વસ્થ રાખે છે. તરબૂચ બ્લડ પ્રેશરના સ્તરને નિયંત્રણમાં રાખે છે. દરરોજ તરબૂચનું સેવન હૃદયને સ્વસ્થ રાખે છે.
કેરી
કેરી એ ઉનાળામાં ખાવામાં આવતું લોકપ્રિય ફળ છે. કેરી હૃદયને સ્વસ્થ રાખે છે, તેમાં ફાઈબર, પોટેશિયમ અને ઘણાં વિટામિન હોય છે. પોટેશિયમ વધારવું અને સોડિયમનું સેવન ઓછું કરવું એ તમારા હૃદયને સ્વસ્થ રાખવા તથા બ્લડ પ્રેશરના સ્તરને નિયંત્રિત કરવા માટે જરૂરી છે.
બેરી
બેરીમાં ફ્લેવોનોઈડ્સ હોય છે, તેમાં એિન્ટઓક્સિડન્ટ ગુણધર્મો છે. તે હૃદયરોગ સંબંધિત ઓક્સિડેિટવ તણાવ ઘટાડવામાં મદદ કરે છે. ફાઈબરથી ભરપૂર બેરી હૃદયને સ્વસ્થ રાખે છે. હૃદયને સ્વસ્થ રાખવા માટે તમે બેરીનું સેવન ઘણી રીતે કરી શકો છો.
પપૈયાં
પપૈયાંમાં ફાઈબર, વિટામિન-સી અને એિન્ટઓક્સિડેન્ટ હોય છે. પપૈયાંમાં રહેલાં વિટાિમન અને મિનરલ્સ હૃદય અને ત્વચાને સ્વસ્થ રાખવાનું કામ કરે છે. તે બળતરા ઘટાડે છે. આ સિવાય તે ઘણા સ્વાસ્થ્ય લાભ પણ આપે છે.
પીચ
પીચ તમારા હૃદયની તંદુરસ્તી જાળવે છે, તેમાં એિન્ટઓક્સિડેન્ટ, ફાઈબર, પોટેશિયમ અને વિટામિન-સી જેવાં પોષક તત્ત્વો હોય છે. તેઓ માત્ર હૃદયને સ્વસ્થ જ રાખતાં નથી, પરંતુ રોગપ્રતિકારકશક્તિ વધારવા અને બ્લડ શુગરના સ્તરને નિયંત્રિત કરવામાં પણ મદદ કરે છે. તે સ્વાદિષ્ટ હોવાની સાથે-સાથે પોષક તત્ત્વોથી પણ ભરપૂર હોય છે, જે તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે.