બ્રેકિંગ ન્યુઝ
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
VTV / Dehradoon: 4 days older kid was found alive with his parents dead bodies
Vaidehi
Last Updated: 08:01 PM, 14 June 2023
ઉત્તરાખંડનાં દેહરાદૂનમાં ચાર દિવસનો બાળક પોતાના માતા-પિતાની લાશની વચ્ચે જીવિત મળી આવ્યો. ઘરમાં દંપતીએ ત્રણ દિવસ પહેલાં સ્યુસાઈડ કરી લીધું હતું. તેમનાં શવ પણ સડી ગયાં હતાં. આ મામલો ત્યારે સામે આવ્યો જ્યારે ઘરમાંથી દુર્ગંધ આવવા લાગી. હાલમાં પોલીસે આ શવને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધાં છે અને બાળકને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. રિપોર્ટ અનુસાર યુવકે કેટલીક રકમ ઉધાર લીધી હતી જે એ ચૂકવવામાં નિષ્ફળ રહ્યો હતો. સંભવત: આ જ કારણે યુવકે પોતાની બીજી પત્નીની સાથે સ્યુસાઈડ કરી લીધું.
મકાન ત્રણ દિવસથી હતું બંધ
માહિતી અનુસાર 13 જૂનનાં રોજ પોલીસને સૂચના મળી કે ટર્નર રોડ પર આવેલ એક મકાનમાંથી દુર્ગંધ આવી રહી છે અને શક્ય છે કે તેની અંદર શવ હોય. પોલીસ તાત્કાલિક આ મકાનમાં પહોંચી હતી. જ્યાં તેમણે જોયું કે એક રૂમનો દરવાજો બહારથી લોક હતો અને અન્ય રૂમનો દરવાજો અંદરથી લોક હતો. આ બાદ પોલીસે જાળી કાપીને અંદરનો દરવાજો ખોલ્યો. પોલીસે જોયું કે રૂમમાં એક મહિલા અને એક પુરુષનું શવ સડી રહ્યું હતું. માહિતી અનુસાર રૂમમાં જામેલું લોહી પણ જોવા મળ્યું હતું.
4 દિવસનો બાળક મળ્યો જીવિત
તપાસ બાદ પોલીસને એક 4-5 દિવસનો બાળક પણ ઘરમાંથી મળી આવ્યો. નવાઈની વાત તો એ છે કે ત્રણ દિવસ ઘરમાં બંધ રહેવા છતાં આ બાળક જીવિત હતો. પોલીસે આ બાળકને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડ્યો.
પહેલી પત્નીથી યુવકને 5 વર્ષની પુત્રી છે
પોલીસે કહ્યું કે દંપતીનાં શવ પર કોઈ ઈજાનાં નિશાન જોવા મળ્યાં નથી. આ લોહી તેમના મોઢામાંથી નિકળી રહ્યું હતું. પોલીસ અનુસાર આ દંપતીએ એક વર્ષ પહેલાં લગ્ન કર્યાં હતાં. રિપોર્ટ અનુસાર મૃતક યુવકનું નામ મોહતશિમ છે જે 25 વર્ષનો હતો. તે સહારનપુર જિલ્લાનાં નાગલ વિસ્તારનો રહેવાસી હતો. મૃતક મહિલા તેની બીજી પત્ની હતી. મૃતકનાં પરિવારે જણાવ્યું કે કાશિફે 2 લગ્ન કર્યાં હતાં. પહેલી પત્નીથી તેને 5 વર્ષની પુત્રી છે. તેણે અનમ નામક મહિલા સાથે એકવર્ષ પહેલા જ લગ્ન કર્યાં હતા.
5 લાખ રૂપિયા ઉધાર હતાં
આ મામલામાં પહેલી પત્ની નુસરતનું કહેવું છે કે તે 2-3 દિવસથી તેનો ફોન નહોતાં ઉપાડી રહ્યાં. મૃતક યુવક સાથે તેની છેલ્લે 10 જૂનનાં વાત થઈ હતી. યુવકે નુસરતને જણાવ્યું કે તે કાલે ગામ આવશે કારણકે કોઈકને 5 લાખ રૂપિયા પાછા આપવાનાં છે. હું અહીં આવી તો જોયું કે દરવાજો બંધ હતો. મેં આ વાત પોતાના સાસુ-સસરાને જણાવી. પોલીસે કહ્યું કે પ્રાથમિક તપાસ બાદ આ આત્મહત્યાનો કેસ જણાઈ રહ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
આતંકી હુમલો / મણિપુરમાં મોડી રાત્રે કુકી આતંકવાદીઓએ CRPF બટાલિયન પર કર્યો હુમલો, બે જવાન શહીદ
Indian army