બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / Defeat dictatorial mindset democratically: PM Modi mentions emergency in Mann Ki Baat

મન કી બાત / તાનાશાહી માનસિકતાને લોકતાંત્રિક પદ્ધતિથી હરાવી: PM મોદીએ મન કી બાતમાં ઈમરજન્સીનો કર્યો ઉલ્લેખ

Priyakant

Last Updated: 12:57 PM, 26 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કાર્યક્રમને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે, મને મન કી બાત માટે ઘણા સંદેશા મળ્યા છે, જેના માટે હું તમારા બધાનો આભારી છું

  • મન કી બાતના 90મા એપિસોડમાં ઈમરજન્સીનો ઉલ્લેખ 
  • નાગરિકો પાસેથી તમામ અધિકારો છીનવી લેવાયા હતા: મોદી 
  • તાનાશાહી માનસિકતાને લોકતાંત્રિક પદ્ધતિથી હરાવી: મોદી 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે મન કી બાતના 90મા એપિસોડને સંબોધિત કર્યો હતો. આજે કાર્યક્રમને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે, મને મન કી બાત માટે ઘણા સંદેશા મળ્યા છે, જેના માટે હું તમારા બધાનો આભારી છું. પીએમ મોદીએ કહ્યું કે, આજે હું એવા જન આંદોલનની ચર્ચા કરવા માંગુ છું જે દેશના દરેક નાગરિકના જીવનમાં ખૂબ મહત્વ ધરાવે છે. 

આ અંગે ચર્ચા કરતા પહેલા પીએમ મોદીએ કહ્યું હતું કે, હું આજના યુવાનોને, 24-25 વર્ષના યુવાનોને પૂછવા માંગુ છું, શું તમે જાણો છો કે તમારા માતા-પિતા તમારી ઉંમરના હતા, ત્યારે તેમના જીવનનો અધિકાર છીનવી લેવામાં આવ્યો હતો? પીએમ મોદીએ વધુમાં કહ્યું કે જૂન 1975માં આપણા દેશમાં ઈમરજન્સી લાગુ કરવામાં આવી હતી. 

 

નાગરિકો પાસેથી તમામ અધિકારો છીનવી લેવાયા હતા: મોદી 

ઈમરજન્સીમાં દેશના નાગરિકો પાસેથી તમામ અધિકારો છીનવી લેવાયા હતા. પીએમ મોદીએ વધુમાં કહ્યું કે, આ દરમ્યાન ભારતના લોકતંત્રને કચડી નાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. દેશની અદાલતો, દરેક બંધારણીય સંસ્થા, પ્રેસ, બધું જ નિયંત્રિત હતું. આ સેન્સરશીપની શરત હતી કે મંજુરી વિના કશું જ છાપી શકાતું નથી. 

 

તાનાશાહી માનસિકતાને લોકતાંત્રિક પદ્ધતિથી હરાવી: મોદી 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, એ વખતે ભારતના લોકોએ લોકતાંત્રિક રીતે 'ઇમરજન્સી' દૂર કરી અને ફરીથી લોકશાહીની સ્થાપના કરી. સરમુખત્યારશાહી માનસિકતા, સરમુખત્યારશાહી વલણને લોકતાંત્રિક રીતે સમગ્ર વિશ્વમાં હરાવવાનું આવું ઉદાહરણ મળવું મુશ્કેલ છે.

આ સાથે પીએમ મોદીએ વધુમાં કહ્યું કે, આજે આપણું ભારત અનેક ક્ષેત્રોમાં સફળતાના આકાશને સ્પર્શી રહ્યું છે, તો આકાશ કે અંતરિક્ષ તેનાથી અસ્પૃશ્ય કેવી રીતે રહી શકે. છેલ્લા કેટલાક વર્ષોમાં આપણા દેશમાં અવકાશ ક્ષેત્રને લગતા ઘણા મોટા કામો થયા છે. દેશની આ સિદ્ધિઓમાંની એક ઇન-સ્પેસ નામની એજન્સીની રચના છે.

પીએમ મોદીએ ક્રિકેટર મિતાલી રાજને શુભેચ્છા પાઠવી

પીએમ મોદીએ ક્રિકેટર મિતાલી રાજ વિશે પણ વાત કરતા કહ્યું કે, આજે હું ભારતની સૌથી પ્રતિભાશાળી ક્રિકેટર મિતાલી રાજ વિશે પણ ચર્ચા કરવા માંગુ છું. તેણે આ મહિને ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે, જેણે ઘણા રમતપ્રેમીઓને ભાવુક કરી દીધા છે. હું મિતાલીને તેના ભવિષ્ય માટે ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ