બ્રેકિંગ ન્યુઝ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ
લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી
લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી
અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / coronavirus grain distribution to poor people in gujarat state
Divyesh
Last Updated: 02:24 PM, 1 April 2020
અમરેલીના સાવરકુંડલામાં અનાજ વિતરણ સમયે અફરાતફરી
અમરેલીના સાવરકુંડલામાં અનાજ વિતરણ સમયે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. અફરાતફરી થતાં MLA પ્રતાપ દુધાત સ્થળ પર દોડી આવ્યા હતા અને ધારાસભ્યએ કલેક્ટર-મામલતદારને પણ સ્થળ પર બોલાવ્યાં હતા. ધારાસભ્યએ અધિકારીઓને રૂબરુ બોલાવી ટોળાને દૂર કરવામાં આવ્યું હતું. અનાજની દુકાનોમાંથી ઓનલાઇન પાસ સિસ્ટમ દૂર કરાવી હતી અને બાદમાં અનાજનું વિતરણ કરવામાં આવ્યું હતું.
અમદાવાદમાં અનાજની ક્વોલિટિ જોઇ કાર્ડધારકો રોષે ભરાયાં
કોરોના વાયરસના સંકટ વચ્ચે રાજ્યમાં આજે સસ્તા અનાજનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. અનાજની ક્વોલિટી જોઇ કાર્ડધારકો રોષે ભરાયા છે. પશુ ન ખાય તેવા અનાજનું વિતરણ કરાઇ રહ્યું છે. દાળ અને ઘઉં ખુબજ ખરાબ ક્વોલિટીના જોવા મળી રહ્યાં છે. સડી ગયેલા ઘઉં અને દાળ લેવા લોકો મજબુર બન્યા છે. વર્ષોથી પડી રહેલા ઘઉંનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.
રાશનકાર્ડ ન મળતાં રાજકોટમાં જિલ્લા કલેકટર કચેરી બહાર લોકોનો હોબાળો
રાજકોટ જિલ્લા કલેકટર કચેરી બહાર લોકોએ હોબાળો કરીને વિરોધ કર્યો છે. રાશન ન મળતાં કાર્ડ ધારકોએ હોબાળો કર્યો છે. કલેકટર કચેરીએ બહાર 100થી વધુ લોકો એકઠા થઈને હોબાળો કર્યો છે. સરકારે આજથી અનાજ વિતરણની જાહેરાત કરી છે.
વડોદરામાં સસ્તા અનાજની દુકાનમાં જોવા મળી બેદરાકારી
જ્યારે રાજ્યના વડોદરા શહેરની વાત કરીએ તો મફત અનાજના વિતરણ દરમિયાન બેદરકારી જોવા મળી છે. જેમાં સસ્તા અનાજની દુકાનમાં ફિંગરપ્રિન્ટ બાદ અનાજ આપવામાં જોવા મળ્યું હતું. જો કે રાજ્ય સરકાર દ્વારા અગાઉથી જ ફિંગરપ્રિન્ટ પર મનાઇ ફરમાવામાં આવી હતી. જેનું મુખ્ય કારણ હતું કે કોરોના વાયરસ ચેપી રોહ હોવાથી નિયમોને નજર અંદાજ કરવામાં આવ્યાં હતાં.
ઉલ્લેખનીય છે કે રાજ્યમાં આજથી ગરીબ પરિવારને રાશન આપવામાં આવી રહ્યાં છે. 17 હજાર રેશનિંગ દુકાનો પરથી અનાજનું વિતરણ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં રાજ્યના 3 કરોડ 25 લાખ લોકો માટે અનાજ વિતરણ કરવામાં આવશે. જો કે અગાઉ નક્કી કરાયાં મુજબ 25-25 ગ્રાહોકને જ ફોન કરીને અનાજ લેવા માટે બોલાવાનું નક્કી કરાયું હતું. જેનું મુખ્ય કારણ સોશિયલ ડિસ્ટન્સ જળવાઇ રહે તે હતું. જો કે તેમ છતાં રાશન આપવાની શરૂઆત બાદ રાજ્યભરમાં અફરાતરફરીનો માલો જોવા મળ્યો છે.
રાજકોટમાં સસ્તા અનાજની દુકાનેથી મફત અનાજનું વિતરણ
રાજકોટમાં સસ્તા અનાજની દુકાનેથી મફત અનાજનું વિતરણ શરૂ કરવામાં આવ્યું હતું. જો કે મળવાપાત્ર રાશનકાર્ડ ધારકોને જ લાભ મળશે. એક મહિનાનું રાશન સંપૂર્ણ વિનામૂલ્યે મળશે. દુકાનદારો કુપન દીઠ કાર્ડધારકોને બોલાવશે. ટોળા એકઠા ન થાય તે માટે પોલીસ બંદોબસ્ત રહેશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
સ્પોર્ટ્સ / 'મેચ જલ્દી ખતમ કરો; બાળક આવવાનું છે', આખરે કેમ લાઇવ મેચમાં સાક્ષી ધોનીએ CSKને કરી આવી અપીલ
સ્પોર્ટ્સ ન્યુઝ
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
સ્પોર્ટ્સ / 'મેચ જલ્દી ખતમ કરો; બાળક આવવાનું છે', આખરે કેમ લાઇવ મેચમાં સાક્ષી ધોનીએ CSKને કરી આવી અપીલ
સ્પોર્ટ્સ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024 / સાબરકાંઠામાં મોટું ગાબડુ: અપક્ષ ઉમેદવારો ગયા ભાજપના શરણે, જુઓ કોને-કોને કર્યા કેસરિયા
Joined BJP