બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / Conditions To Travel In Special Trains For Migrant Workers Students And Others During Lockdown

રાહત / જો સ્ક્રિનિંગમાં તંદુરસ્ત હશે તો જ નિયમાનુસાર શ્રમિકોને મળશે ટ્રેનમાં પ્રવેશ, જાણો અન્ય સુવિધાઓ વિશે વિગતે

Bhushita

Last Updated: 10:14 AM, 2 May 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લૉકડાઉનના કારણે અન્ય રાજ્યોમાં ફસાયેલા મજૂરો, વિદ્યાર્થીઓ, પ્રવાસીઓ અને તીર્થયાત્રીઓને તેમના ઘર સુધી પહોંચાડવા માટે શ્રમિક સ્પેશ્યિલ ટ્રેન શરૂ કરવામાં આવી છે. આ ટ્રેનમાં મુસાફરી કરવા માટેના ખાસ નિયમો છે અને તેમાં પેસેન્જર્સને આ ખાસ સુવિધાઓ પણ આપવામાં આવે છે. દરેકે આ નિયમોનું કડક રીતે પાલન કરવાનું રહે છે.

  • સરકારે કરી શ્રમિકો માટે ખાસ વ્યવસ્થા
  • શ્રમિકોને વતન પહોંચાડવા શરૂ કરી શ્રમિક સ્પેશ્યિલ ટ્રેન
  • જાણો ટ્રેનમાં કોણ, કેવી રીતે કરી શકશે મુસાફરી

કોરોના વાયરસના કારણે સરકારે અચાનક જાહેર કરેલા લૉકડાઉનમાં અનેક લોકો ફસાઈ ગયા હતા. તેમને હવે 40 દિવસ પછી પણ વતન પહોંચાડવા માટે રેલ્વેની વ્યવસ્થા કરી છે. રાજ્ય સરકારે વિનંતી કરી હતી કે ટ્રેનોને સ્ટાન્ડર્ડ પ્રોટોકોલ હેઠળ પોઇન્ટ-ટુ-પોઇન્ટ ચલાવવામાં આવે. એટલે કે, આ ટ્રેનો ક્યાંય રોકાશે નહીં. પહેલા દિવસે શુક્રવારે જુદી જુદી રૂટ પર છ સ્પેશિયલ ટ્રેનો ચલાવવામાં આવી હતી. આ ટ્રેનો ચલાવવા માટે બંને રાજ્યોની (જનારા અને પહોચનારા) સંમતિ જરૂરી છે.  સામાન્ય મુસાફરોને આ ટ્રેનોમાં બેસવા દેવામાં આવશે નહીં. સરકારે કેટલીક શરતો પણ નિર્ધારિત કરી છે, ત્યારબાદ જ ટ્રેનો ચલાવવામાં આવશે.

બનશે પેસેન્જર્સનું લિસ્ટ

રાજ્ય સરકાર આ વિશેષ ટ્રેનોમાં મુસાફરોની યાદી બનાવશે. સ્થળાંતરિત મજૂરો, પ્રવાસીઓ, વિદ્યાર્થીઓ અને યાત્રાળુઓએ તેમના ગૃહ રાજ્યમાં અરજી કરવી આવશ્યક છે. ત્યાંના નોડલ અધિકારી દ્વારા તૈયાર કરવામાં આવનારી આ સૂચિ રેલ્વેને સુપરત કરવામાં આવશે. વહીવટ દ્વારા નક્કી કરાયેલા લોકોને જ સ્ટેશને પહોંચવાનું કહેવામાં આવ્યું છે. આ સિવાય કોઈને પણ ટ્રેનોમાં બેસવા દેવામાં આવશે નહીં.

થશે શ્રમિકોનું સ્ક્રીનિંગ

જે રાજ્યમાંથી ટ્રેન દોડશે, ત્યાં સ્ટેશને મુસાફરોની સ્ક્રીનીંગ કરવામાં આવશે. બધાને સ્ક્રીનિંગમાંથી પસાર થઈને તંદુરસ્ત ગણ્યા પછી જ ટ્રેનમાં બેસવાની મંજૂરી આપવામાં આવશે. જો કોઈ લક્ષણો જોવા મળે છે, તો તે હોમ સ્ટેટને બદલે સીધા જ કવૉરેન્ટાઈન કેન્દ્ર અથવા ઘરના એકાંતમાં મોકલી શકાય છે.

અહીં મળશે ભોજન

જે રાજ્યથી ટ્રેન ચાલશે ત્યાં જ આ પ્રવાસીઓને માટે ખાવાનું અને પાણીની તમામ વ્યવસ્થા થશે. આ વ્યવસ્થા સ્ટેશન પર જ કરવામાં આવશે. 

દરેકને માટે માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સ જરૂરી

આ ટ્રેનમાં મુસાફરી કરવા માટે દરેક યાત્રીએ ફેસ માસ્ક લગાવવાનું જરૂરી છે. સ્ટેશનથી લઈને આખા દિવસના પ્રવાસમાં સોશ્યલ ડિસ્ટન્સ જાળવવું ફરજિયાત રહેશે. 

દરેક કોચમાં નક્કી હશે યાત્રીઓની સંખ્યા

સામાન્ય રીતે ટ્રેનના કોચ કીડિયારાની જેમ ભરાયેલા હોય છે પણ કોરોના સંક્રમણમાં આવું નહીં બને. ટ્રેનમાં 72ને બદલે 54 યાત્રીઓ જ કરી શકશે મુસાફરી. એટલે સોશ્યલ ડિસ્ટન્સને મેન્ટેન કરાશે. 

પોતાના રાજ્ય પહોંચતા જ થશે સ્ક્રીનિંગ

એકવાર ટ્રેન તેના લક્ષ્યસ્થાને પહોંચ્યા પછી, મુસાફરોને ત્યાંના સ્ટેશન પર પણ તપાસવામાં આવશે. પ્રોટોકોલ સમાન રહેશે. જો કોવિડ -19 ના લક્ષણો જોવા મળે, તો તે સીધા જ ક્વોરેન્ટાઇન સેન્ટરમાં મોકલવામાં આવશે. જો ત્યાં કોઈ લક્ષણો નથી, તો મુસાફરોને ઘરે જવા દેવામાં આવશે. જો કે, તેઓને 14 દિવસ ઘરના એકાંતમાં રહેવું પડશે.

પોલીસ સ્ટેશનમાં પણ મજૂરો ભરી રહ્યા છે ફોર્મ

મુંબઈમાં રહેનારા પ્રવાસી મજૂરોને જ્યારે ખ્યાલ આવ્યો કે સરકાર તેમને પોતાના રાજ્ય મોકલવાની વ્યવસ્થા કરી રહી છે તો તેઓ ખુશ થયા. અનેક મજૂરોને પોલીસ સ્ટેશન પહોંચીને ફોર્મ જમા કર્યું. ફોર્મ પ્રશાસનની મદદથી સરકાર સુધી પહોંચશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ