બ્રેકિંગ ન્યુઝ
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
VTV / Politics / brijbhushan sharan singh is ready to resign, read what are the demands of wrestlers
Vaidehi
Last Updated: 07:39 PM, 28 April 2023
શુક્રવારે સાંજે 4 વાગ્યે પહેલવાનોએ પ્રેસ કોન્ફેરેન્સમાં FIR નોંધવા અંગે વાત કરી અને કહ્યું કે આ તો શરૂઆત છે. તેમનું ધ્યેય છે કે બૃજભૂષણ સિંહને સજા મળે. અને હવે બૃજભૂષણ શરણસિંહે ખાનગી મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે' જો તેમનાં રાજીનામાં પછી પહેલવાનો પોતાનું પ્રદર્શન રોકશે તો હું રાજીનામું આપવા તૈયાર છું.'
પહેલવાનો યૌન શોષણ મામલે આ પાંચ બાબતોની ચર્ચા કરી રહ્યાં છે:
1. બૃજભૂષણને જેલ થાય...
પહેલવાન બજરંગ પૂનિયા, વિનેશ ફોગાટ અને સાક્ષી મલિક શુક્રવારે મીડિયાને કહ્યું કે 'દિલ્હી પોલીસે કડકમાં કડક કાર્યવાહી કરવી જોઈએ, બૃજભૂષણને જેલમાં નાખવો જોઈએ. તેમની આ સૌથી પહેલી માંગ છે'
2. વાત કુશ્તીની નહીં, સ્પોર્ટસનાં ભવિષ્યની છે..
વિનેશ ફોગાટે કહ્યું કે આ માત્ર કુશ્તીની વાત નથી, જો દેશનું ભવિષ્ય સ્પોર્ટસમાં બચાવવું હોય તો આપણે એકસાથે આવવું પડશે. જો ખેલાડીઓનો અવાજ દબાવવામાં આવી રહ્યો છે તો અમે તેમનો અવાજ બનશું. જો આપણે આજે એવું ન કરી શક્યાં તો ભારતમાં ક્યારેય સ્પોર્ટસને બચાવી નહીં શકીએ.
3. આ લડત માત્ર FIR સુધી જ નથી...
વિનેશ ફોગાટે કહ્યું કે 'FIR નોંધવા માટે છોકરીઓ પોતે ફરિયાદ નોંધાવી રહી છે એટલું જ પૂરતું છે તેના માટે જો અમારા પાસે પૂરાવાઓ માંગવામાં આવશે તો અમે પૂરાવા પણ સુપ્રીમ કોર્ટની સામે રજૂ કરશું કોઈ પણ કમિટી કે દિલ્હી પોલીસની સામે નહીં.' પહેલવાનોએ કહ્યું કે આ લડત માત્ર FIR સુધી જ નથી, સજા અપાવવા માટેની છે. બૃજભૂષણની સામે કડક કાર્યવાહી થવી જોઈએ.
4. ખેલમંત્રીએ અમારી વાત નથી સાંભળી...
પહેલવાન બોલ્યાં કે કમિટીએ સાચી વાત છુપાવીને રાખી છે, સુપ્રીમ કોર્ટ જે નિર્ણય લેશે તે જ માન્ય હશે. પૂનિયાએ કહ્યું કે જ્યાં સુધી બૃજભૂષણ જેલમાં નહીં જાય ત્યાં સુધી ધરણા ચાલુ રહેશે. પૂનિયાએ વધુમાં કહ્યું કે 'ખેલમંત્રી અનુરાગ ઠાકુરે તો અમારો ફોન જ નથી ઊપાડ્યો, અમે ક્યાં જઈએ? તેઓ 12 મિનીટ પણ અમારી સાથે નથી બેઠાં. સુપ્રીમ કોર્ટ સિવાય અમને કોઈ કમિટી કે સદસ્ય પર વિશ્વાસ નથી, દિલ્હી પોલીસ પર પણ નથી. અમે માત્ર સુપ્રીમ કોર્ટની સામે અમારું નિવેદન આપશું.'
5. સુરક્ષાની પણ આવશ્યકતા છે
બૃજભૂષણ સિંહને તમામ પદોથી દૂર કરવામાં આવે, યોગ્ય તપાસ કરવામાં આવે અને કોર્ટ અનુસાર જે નિર્ણય આવે તેના આધારે સજા આપવામાં આવી. જ્યાં સુધી આવું નથી થતું ત્યાં સુધી અમે ધરણાં પર બેઠા રહેશું. પૂનિયાએ કહ્યું કે હવે તો એ જ જોવાનું છે કે કેવી FIR નોંધવામાં આવે છે અને કઈ કલમો લગાવવામાં આવે છે. પહેલવાનોએ કહ્યું કે અમે 7 દિવસથી બેઠાં છીએ અત્યાર સુધી કોઈએ(સરકારમાંથી) બોલાવ્યું નથી.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
આતંકી હુમલો / મણિપુરમાં મોડી રાત્રે કુકી આતંકવાદીઓએ CRPF બટાલિયન પર કર્યો હુમલો, બે જવાન શહીદ
Indian army